AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર, ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડી

. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી CSK IPL ઈતિહાસમાં બીજી સૌથી સફળ ટીમ છે.

IPL 2022 : ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર,  ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડી
IPL 2022: ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર, ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડીImage Credit source: Twitter
| Updated on: Mar 24, 2022 | 3:19 PM
Share

IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. ચેન્નાઈની કમાન હવે રવિન્દ્ર જાડેજા ( Ravindra Jadeja)ના હાથમાં છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી CSK IPL ઈતિહાસમાં બીજી સૌથી સફળ ટીમ છે. ધોની 2008માં IPLની શરૂઆતી સિઝનથી ચેન્નાઈની કમાન સંભાળી રહ્યો હતો. ગત વર્ષે તેની કેપ્ટનશિપમાં ચેન્નાઈ (Chennai Super Kings)એ આઈપીએલનો ખિતાબ પણ જીત્યો હતો.

મહેન્દ્ર સિંહે 12 સીઝનમાં ચેન્નાઈની કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2008માં જ્યારે લીગ શરૂ થઈ ત્યારે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કેપ્ટન તરીકે જોડાયો. વર્ષ 2016 અને 2017માં ટીમે લીગમાં ભાગ લીધો ન હતો. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવી છે. ચેન્નાઈ આ લીગની સૌથી સફળ ટીમ તરીકે જાણીતી છે.

CSKએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

ટીમે પોતાના સત્તાવાર નિવેદનમાં લખ્યું, ‘મહેન્દ્ર સિંહ ધોનીએ નિર્ણય લીધો છે કે, તે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવા માંગે છે. તેણે ટીમના નવા કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. જાડેજા 2012થી ટીમનો મહત્વનો ભાગ છે. તે અમારી ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની આ સિઝન અને તેના પછી પણ ટીમ સાથે જોડાયેલા રહેશે.રવીન્દ્ર જાડેજાને IPL 2022 મેગા ઓક્શનમાંથી રિટેન્શન દરમિયાન ચેન્નાઈ(Chennai Super Kings)એ જાળવી રાખ્યો હતો. જાડેજા ચેન્નાઈ દ્વારા રિટેન કરાયેલો સૌથી મોંઘો ખેલાડી હતો. તેને ચેન્નાઈએ 16 કરોડ જ્યારે એમએસ ધોનીને 12 કરોડ રૂપિયામાં ટીમે જાળવી રાખ્યો હતો.

IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમ

IPL 2022ની શરૂઆત 26 માર્ચથી IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમ થઇ રહી છે. આ વખતે લીગમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ નવી ટીમ તરીકે મેદાન પર ઉતરશે.IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ અને ગયા વર્ષની ઉપવિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

 આ  પણ વાંચો : Russia-Ukraine war: જંગની વચ્ચે બેલ્જિયમ પહોંચ્યા રાષ્ટ્રપતિ જો બાઈડન, NATO સંમેલનમાં લેશે ભાગ

 આ પણ વાંચો : IPL 2022: મોઇન અલીના વિઝા વિવાદનો અંત, છતાંય ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ મેચમાં મેદાનમાં નહી જોવા મળે

Follow Us
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
g clip-path="url(#clip0_868_265)">