AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર, ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડી

. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી CSK IPL ઈતિહાસમાં બીજી સૌથી સફળ ટીમ છે.

IPL 2022 : ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર,  ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડી
IPL 2022: ચેન્નઈ ટીમનો નવો સુકાની જાહેર, ટીમની કમાન સંભાળશે આ ગુજરાતી ખેલાડીImage Credit source: Twitter
| Updated on: Mar 24, 2022 | 3:19 PM
Share

IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. ચેન્નાઈની કમાન હવે રવિન્દ્ર જાડેજા ( Ravindra Jadeja)ના હાથમાં છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી CSK IPL ઈતિહાસમાં બીજી સૌથી સફળ ટીમ છે. ધોની 2008માં IPLની શરૂઆતી સિઝનથી ચેન્નાઈની કમાન સંભાળી રહ્યો હતો. ગત વર્ષે તેની કેપ્ટનશિપમાં ચેન્નાઈ (Chennai Super Kings)એ આઈપીએલનો ખિતાબ પણ જીત્યો હતો.

મહેન્દ્ર સિંહે 12 સીઝનમાં ચેન્નાઈની કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2008માં જ્યારે લીગ શરૂ થઈ ત્યારે તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કેપ્ટન તરીકે જોડાયો. વર્ષ 2016 અને 2017માં ટીમે લીગમાં ભાગ લીધો ન હતો. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવી છે. ચેન્નાઈ આ લીગની સૌથી સફળ ટીમ તરીકે જાણીતી છે.

CSKએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

ટીમે પોતાના સત્તાવાર નિવેદનમાં લખ્યું, ‘મહેન્દ્ર સિંહ ધોનીએ નિર્ણય લીધો છે કે, તે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવા માંગે છે. તેણે ટીમના નવા કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. જાડેજા 2012થી ટીમનો મહત્વનો ભાગ છે. તે અમારી ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની આ સિઝન અને તેના પછી પણ ટીમ સાથે જોડાયેલા રહેશે.રવીન્દ્ર જાડેજાને IPL 2022 મેગા ઓક્શનમાંથી રિટેન્શન દરમિયાન ચેન્નાઈ(Chennai Super Kings)એ જાળવી રાખ્યો હતો. જાડેજા ચેન્નાઈ દ્વારા રિટેન કરાયેલો સૌથી મોંઘો ખેલાડી હતો. તેને ચેન્નાઈએ 16 કરોડ જ્યારે એમએસ ધોનીને 12 કરોડ રૂપિયામાં ટીમે જાળવી રાખ્યો હતો.

IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમ

IPL 2022ની શરૂઆત 26 માર્ચથી IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમ થઇ રહી છે. આ વખતે લીગમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ નવી ટીમ તરીકે મેદાન પર ઉતરશે.IPL 2022 ની પ્રથમ મેચ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ અને ગયા વર્ષની ઉપવિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

 આ  પણ વાંચો : Russia-Ukraine war: જંગની વચ્ચે બેલ્જિયમ પહોંચ્યા રાષ્ટ્રપતિ જો બાઈડન, NATO સંમેલનમાં લેશે ભાગ

 આ પણ વાંચો : IPL 2022: મોઇન અલીના વિઝા વિવાદનો અંત, છતાંય ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ મેચમાં મેદાનમાં નહી જોવા મળે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">