IPL 2021 : વિરાટ કોહલી એ ટૂર્નામેન્ટમાં મેચના એક દિવસ પહેલા RCB ની કેપ્ટનશિપ છોડવાની કરી ઘોષણાં, કેપ્ટન તરીકે અંતિમ સિઝન
IPL 2021 બાદ વિરાટ કોહલીએ RCB ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.
વિરાટ કોહલી (Virat Kohli) IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશિપ છોડશે. RCB એ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. અગાઉ, કોહલીએ કહ્યું હતું કે તે આગામી મહિને શરૂ થનારા ટી20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. આ સિઝન તેની છેલ્લી સિઝન હશે, જોકે તે બેંગ્લોરની ટીમ માટે રમવાનું ચાલુ રાખશે
તેણે કહ્યું, હું RCB ના તમામ સમર્થકોને મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા બદલ આભાર માનું છું. મારે એક મહત્વની જાહેરાત કરવાની છે. આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને તેણે કહ્યું કે RCB કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે.
Virat Kohli to step down from RCB captaincy after #IPL2021
“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021
મેનેજમેન્ટ સાથે વાત કરી
તેણે કહ્યું, મેનેજમેન્ટ સાથે આજે સાંજે જ વાત કરી. મારા મગજમાં આ વાત થોડા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં જ મેં ભારતની T20 કપ્તાની પણ છોડી દીધી છે. વર્કલોડને કારણે આ કરવામાં આવ્યું છે, કારણ કે તે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું રહ્યુ છે. આગામી વર્ષે મોટી હરાજી થવાની હોવાથી RCB પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. મેં મેનેજમેન્ટને કહ્યું છે કે હું RCB સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.
ટાઇટલ મેળવી શક્યો નથી
કોહલી 2008 થી IPL રમી રહ્યો છે અને પહેલી સીઝનથી RCB સાથે છે. તેણે અત્યાર સુધી 199 મેચ રમી છે અને 37.97 ની સરેરાશથી 6076 રન બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને 40 અર્ધ સદી છે. તે IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે 2013 માં ટીમનો સંપૂર્ણ સમયનો કેપ્ટન બન્યો હતો. તેના નેતૃત્વમાં ટીમ 2016 માં IPL ની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીના કેબિનેટમાં અત્યાર સુધી આઈપીએલ ટ્રોફીનું સ્થાન ખાલી છે.