AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir જણાવ્યું કે તેમની ટીમ IPLમાં કયા વિચાર સાથે ઉતરશે, ખેલાડીઓની પસંદગી અંગે નિવેદન આપ્યું

એન્ડી ફ્લાવરને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. ટીમના મેન્ટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) છે.

Gautam Gambhir જણાવ્યું કે તેમની ટીમ IPLમાં કયા વિચાર સાથે ઉતરશે, ખેલાડીઓની પસંદગી અંગે નિવેદન આપ્યું
Gautam Gambhir (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 5:05 PM
Share

Gautam Gambhir :IPL 2022માં આ વખતે 8 ટીમોને બદલે 10 ટીમો લીગમાં ભાગ લેવા જઈ રહી છે. જૂની આઠ ટીમો ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને અમદાવાદની ટીમ પ્રથમ વખત લીગમાં ભાગ લેવા જઈ રહી છે. લખનૌની ટીમે કેપ્ટન અને કોચ તરીકે તેના નામની જાહેરાત કરી દીધી છે. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમનો મેન્ટર બનાવવામાં આવ્યો છે. ગંભીર(Gautam Gambhir) નું કહેવું છે કે, તે આ લીગમાં પોતાની ટીમની મદદથી એવો વારસો બનાવવા માંગે છે જે પહેલા ક્યારેય કોઈ ટીમ બનાવી શકી નથી.

મેગા ઓક્શન (Mega auction )પહેલા બંને નવી ટીમોએ ડ્રાફ્ટ તરીકે 3 ખેલાડીઓની પસંદગી કરવાની હતી. લખનૌએ પોતાની ટીમમાં કેએલ રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈનો સમાવેશ કર્યો છે. ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team)ના વાઇસ કેપ્ટન કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે એન્ડી ફ્લાવર મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. ગંભીરનું માનવું છે કે, ટીમ પાસે પોતાને સાબિત કરવાની શાનદાર તક છે.

આ વખતે ખોટ પુરી કરવાની તક

ગૌતમ ગંભીરે કહ્યું, ‘અમારી પાસે વારસો બનાવવાની મોટી તક છે, તેથી કોઈ પણ ટીમની નકલ કરવાને બદલે, અમે અમારી પોતાનો એક નવો વારસો બનાવવા માંગીએ છીએ.’ ગોએન્કા સરે પૂણેની ટીમ ખરીદી હતી, તેઓ માત્ર 1 રન દૂર હતા. IPL જીતવાથી. હવે અમારી પાસે આ વખતે તે ખોટ પુરી કરવાની તક છે.

ગંભીરે કહ્યું કે, તે નથી ઈચ્છતો કે કોઈ પણ ખેલાડી લખનઉ સુપર જાયન્ટ માટે રમે જે ટીમ ઈન્ડિયામાં રમવાનું સપનું જોઈ રહ્યો છે. ગૌતમ ગંભીરે કહ્યું, ‘હું ટીમમાં એવો ખેલાડી નથી ઈચ્છતો જે લખનૌના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનું સપનું જોઈ રહ્યો હોય. જો કોઈપણ ખેલાડી આવી વિચારસરણી રાખે છે તો તે ફ્રેન્ચાઈઝી સાથે બેઈમાન હશે. પરંતુ જો તમે લખનૌ માટે રમો છો અને તેના માટે સારો દેખાવ કરો છો તો તમે ટીમ ઈન્ડિયા સુધી પહોંચી શકો છો.

ટીમમાં યુવા બોલર રવિ બિશ્નોઈ પણ સામેલ

લખનૌની ટીમમાં યુવા બોલર રવિ બિશ્નોઈને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેણે હાલમાં જ ટીમ ઈન્ડિયાનું નામ મેળવ્યું છે. રવિ બિશ્નોઈ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું, ‘રવિ બિશ્નોઈને ટીમમાં ખૂબ જ સારી રીતે પસંદ કરવામાં આવ્યો છે, તે યુવા છે, વિકેટ લેવામાં નિષ્ણાત છે અને તેની પાસે રમતની દરેક તક પર બોલિંગ કરવાની શક્તિ છે.

આ પણ વાંચો-U19 World Cup 2022 : ક્વાર્ટર ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, ઓલરાઉન્ડર વાસુ વત્સના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">