Cricket: તો શું Imran Khan અને Rekha લગ્ન સંબંધથી જોડાવાના હતા ? જુના સંબંધોની યાદોએ ચર્ચા જગાવી

ક્રિકેટર્સ અને એક્ટ્રેસ વચ્ચે લવ અફેર એ કોઇ મોટી વાત નથી રહી. એવા અનેક ક્રિકેટરોને એક્ટ્રેસ સાથે પ્રેમસંબધ રહ્યા છે, કેટલાક ક્રિકેટરના સંબંધો લગ્ન સુધી પહોંચી શક્યા છે. આ દરમ્યાન ક્રિકેટર અને બોલીવુડથી જોડાયેલ એક છપાયેલી પ્રેમ કહાની સામે આવી છે.

Cricket: તો શું Imran Khan અને Rekha લગ્ન સંબંધથી જોડાવાના હતા ? જુના સંબંધોની યાદોએ ચર્ચા જગાવી
Imran-khan-rekha
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 11, 2021 | 8:13 PM

ક્રિકેટર્સ અને એક્ટ્રેસ વચ્ચે લવ અફેયર એ કોઇ મોટી વાત નથી રહી. એવા અનેક ક્રિકેટરોને એક્ટ્રેસ સાથે પ્રેમસંબધ રહ્યા છે, કેટલાક ક્રિકેટરના સંબંધો લગ્ન સુધી પહોંચી શક્યા છે. આ દરમ્યાન ક્રિકેટર અને બોલીવુડથી જોડાયેલ એક છપાયેલી પ્રેમ કહાની સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન (Imran Khan) અને બોલીવુડ સ્ટાર રેખા (Rekha) વચ્ચે નિકટતા હતી.

આ જાણકારી સોશિયલ મીડિયામાં શેર થયેલા એક સમાચારપત્રના કટીંગ દ્રારા સામે આવી છે. આ પોસ્ટ હાલ તો ખૂબ જ ચર્ચામાં છવાઇ જવા લાગી છે, જોકે તે પોસ્ટ ઓક્ટોબર 2020 ની છે, જ્યારે અખબારનુ કટીંગ વર્ષ 1985ના સમયનુ છે.

જેમાં લખવામાં આવ્યુ છે કે, રેખા અને ઇમરાનખાન લગ્ન કરશે. સમાચારમાં ભારતીય ફિલ્મ જર્નલ મુવીના હવાલાથી બંનેના લગ્નની વાત કહેવામાં આવી હતી. જેમાં કહ્યું હતું કે, રેખાની માતા આ સંબંધથી ખુશ હતી અને તેણે આ અંગે જ્યોતિષથી પણ વાત કરી હતી. સાથે જ લખ્યું હતું કે, ઇમરાન ખાને રેખા સાથે મુંબઇમાં કેટલોક સમય પણ વિતાવ્યો હતો. બંને એપ્રિલ મહિનામાં સાથે રહ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ દરમ્યાન બંનેને અનેક લોકોએ મુંબઇના બીચ પર અને નાઇટ ક્લબમાં સાથે સાથે ફરતા પણ જોયા હતા. લોકોના કહેવા મુજબ રિપોર્ટમાં લખ્યુ છે કે, ઇમરાન ખાન અને રેખા ખૂબ જ નજીક હતા. બંને એકબીજાથી ખૂબ જ પ્રેમ કરતા હતા.

ઇમરાને કહ્યુ હતુ, અભિનેત્રીથી લગ્ન નથી કરી શકતો રિપોર્ટમાં ઇમરાન ખાનનુ નિવેદન પણ ઉલ્લેખ છે, જે મુજબ ઇમરાને કહ્યુ હતુ કે, થોડા સમય માટે એકટ્રેસની સાથે રહી શકાય છે. મને કેટલોક સમય તેની સાથે રહેવુ પસંદ છે. પછી હું આગળ વધી જઉં છુ. હું કોઇ ફિલ્મી અભિનેત્રી સાથે લગ્ન કરી શકતો નથી. રિપોર્ટ મુજબ ઇમરાન ખાનને ઝિન્નત અમાન અને શબાના આઝમી સાથે પણ સંબંધ રહ્યો હતો.

ઇમરાન ખાને ત્રણ વખત લગ્ન કર્યા હતા ઇમરાન ખાને બ્રિટીશ પ્રોડ્યુશર ઝેમીમા ગોલ્ડસ્મિથ સાથે 1995માં લગ્ન કર્યા હતા. જોકે 2004માં તે લગ્ન સમાપ્ત થયા હતા. ત્યાર બાદ તેણે બ્રિટીશ પત્રકાર રેહમ ખાન સાથે 2014માં લગ્ન કર્યા હતા. જોકે તે સંબંધ પણ એક જ વર્ષ ચાલી શક્યો હતો, ત્યાર બાદ છુટાછેડા થયા હતા.

ઇમરાન ખાને 2018માં ત્રીજી વખત લગ્ન કર્યા હતા, જે લગ્ન જીવન હાલ વર્તમાનમાં જારી છે. તેની હાલની પત્નિનુ નામ બુશરા બીબી છે. ઇમરાન ખાન એ 1992માં પાકિસ્તાનને વિશ્વકપ જીતાડવા બાદ ક્રિકેટને અલવિદા કરી દીધુ હતુ. 2017માં તેમની પાર્ટી ચુંટણી જીતતા તે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા.

રેખાએ 1990માં દિલ્હીના બિઝનેશમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના કેટલાક મહિનાઓ બાદ તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ તેણે ફરી થી લગ્ન નહોતા કર્યા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">