Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR

છેલ્લે 2017 માં ટીમ ઇન્ડિયા (Team India) તરફથી રમનાર યુવરાજ સિંહે (Yuvraj Singh) 2019 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR
Yuvraj Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:27 PM

ટીમ ઇન્ડિયા (Team India) ના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ની હરિયાણામાં પોતાના સાથી ક્રિકેટર માટે અપમાનજનક શબ્દો વાપરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દિગ્ગજ ડાબોડી ભારતીય ક્રિકેટર યુવરાજની શનિવારે 16 ઓક્ટોબરે હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ પર જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ હતો, જેની ફરિયાદ ગયા વર્ષે કરવામાં આવી હતી. જોકે આ પછી, SC-ST એક્ટના કેસમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે રવિવારે તેની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને તરત જ જામીન પણ મળી ગયા હતા.

યુવરાજ સિંહ ગયા વર્ષે તેનાથી એક અજાણતા કહેવાતી ટિપ્પણીને કારણે આ મામલામાં સપડાયો હતો. 2020 માં લોકડાઉન દરમિયાન અન્ય ઘણા ખેલાડીઓની જેમ, યુવરાજ સિંહ પણ તેના સાથી ખેલાડીઓ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વાત કરી રહ્યો હતો અને ચાહકોનું મનોરંજન કરી રહ્યો હતો. તેણે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સાથે આવી જ એક લાઇવ ચેટ કરી હતી. આ લાઇવ ચેટ દરમિયાન, યુવીએ ભારતીય ટીમના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) વિશે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે જાતિવાદી ટિપ્પણીના દાયરામાં આવતો હતો.

યુવરાજના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો અને સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ખૂબ જ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ, સોશિયલ મીડિયા સિવાય, હરિયાણાના હિસાર જિલ્લાના હંસીના વકીલ રજત કલસને પૂર્વ ભારતીય ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં હતી. ત્યારબાદ યુવરાજ સામે SC-ST એક્ટની કલમો હેઠળ FIR નોંધાઇ હતી. આ વકીલ દ્વારા ગત વર્ષથી જ યુવરાજ સિંહની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા

આ કેસમાં યુવરાજે ધરપકડ ટાળવા માટે પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારી લીધી હતી. આ કારણે, યુવરાજે શનિવારે હાંસી પોલીસ સ્ટેશનમાં રજૂ થયો હતો. જ્યાં તેની ફરીથી થોડા સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ, કોર્ટના આદેશને અનુસરીને પોલીસે ઔપચારિકતાઓ પૂર્ણ કરી યુવરાજને જામીન પર મુક્ત કર્યો.

2000 માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરનાર યુવરાજ સિંહે 2017 માં ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ રમી અને 2019 માં ક્રિકેટને અલવિદા કહ્યું. પોતાની 17 વર્ષની લાંબી કારકિર્દીમાં, યુવરાજે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે લગભગ 12,000 રન બનાવ્યા અને 150 વિકેટ પણ લીધી. તે 2007 માં ટી20 વર્લ્ડ કપ અને 2011 માં વનડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો અને બંને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન ‘કિંગ’

આ પણ વાંચોઃ T20 World Cup: પ્રથમ મેચમાં જ કમાલ ! વિશ્વકપમાં જે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જ કરી શક્યા એ કામ ઓમાને કરી દેખાડ્યુ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">