AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં મળશે મોકો? જય શાહના એક ટ્વીટથી મચી ગઈ ચર્ચા

Yashasvi Jaiswal, IPL 2023: યશસ્વી જયસ્વાલે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તોફાની બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે IPL ની સૌથી ઝડપી અડધી સદી નોંધાવીને સૌને દંગ રાખી દીધા હતા.

IPL 2023: યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં મળશે મોકો? જય શાહના એક ટ્વીટથી મચી ગઈ ચર્ચા
Yashasvi Jaiswal માટે જય શાહે ટ્વીટ કર્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 10:45 PM
Share

IPL 2023 નો રોમાંચ જબરદસ્ત બન્યો છે. યુવા ખેલાડીઓ પોતાનો દમ દેખાડી રહ્યા છે. ભારતીય બેટર અને બોલર્સ પણ જબરદસ્ત દેખાવ કરી રહ્યા છે. સિઝનને પ્લેઓફની રેસ ખેલાડીઓના પ્રદર્શને ખૂબ જ રોમાંચક બનાવી દીધી છે. આ દરમિયાન ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરી હતી. જયસ્વાલે IPL ની સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી. જયસ્વાલે માત્ર 13 બોલમાં જ અડધી સદી ફટકારી હતી, જેને લઈ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવાની માંગ ઉઠી છે. આ માંગ પહેલા ચર્ચા ખાસ કારણને લઈ જાગી છે.

જય શાહે ટ્વીટ કર્યુ હતુ અને જયસ્વાલની બેટિંગના ખૂબ જ વખાણ કર્યા હતા. જેને લઈ હવે જયસ્વાલને લઈ અટકળો તેજ બની ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે, હવે જયસ્વાલનુ ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કુ બની શકે છે. રાજસ્થાન માટે તોફાની શરુઆત કરતા જયસ્વાલે ઈનીંગની પ્રથમ ઓવરમાં જ 26 રન નોંધાવ્યા હતા.

એક ટ્વીટે ચર્ચા બનાવી દીધી

બીસીસીઆઈના સચિવ જય શાહે ઉભરતા યુવા ખેલાડીને વખાણ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવે યુવા ખેલાડીને પ્રોત્સાહિત કરવા રુપ કરેલુ ટ્વીટ ખૂબ જ પસંદ ચાહકોને આવી રહ્યુ છે. ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જરુરી પણ છે. જે કામ જય શાહે કરીને ખૂબ પ્રસંશા મેળવી છે. જોકે બીસીસીઆઈના સચિવે ટ્વીટ કરવાને લઈ હવે જયસ્વાલનુ ટીમ ઈન્ડિયામાં ઝડપથી સ્થાન હોઈ શકવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આમ તો સામાન્ય રીતે જોવામાં આવે તો જય શાહ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં કોઈ ટ્વીટ કરે છે. આવામાં જય શાહે યશસ્વી જયસ્વાલ માટે ટ્વીટ કર્યુ હતુ અને તેના વખાણ કરતા જ ચાહકો જ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટરો પણ પોત પોતાના મત લગાવી ટીમ ઈન્ડિયામાં સમાવેશને લઈ પોતાની વાત રજૂ કરવા લાગ્યા હતા. પૃથ્વી શોને લઈને આ પહેલા એક ટ્વીટ કર્યુ હતુ અને ટૂંકા સમયમાં પૃથ્વીને મોકો મળ્યો હતો.

આ સિવાય સુરેશ રૈનાએ પણ કહ્યુ હતુ કે, જો પોતે ભારતીય ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોત તો, યશસ્વી જસ્વાલને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરી લેતો. જોકે રૈના હાલમા માત્ર પૂર્વ ભારતીય ક્રિકેટર છે, જેના કહેવાથી જયસ્વાલની પસંદગી થઈ શકે એમ નથી, પરંતુ માહોલ જરુર બની શકે છે.

આ પણ વાંચોઃ  Suryakumar Yadav, IPl 2023: સૂર્યકુમાર યાદવની વાનખેડેમાં ધમાલ, અંતિમ બોલ પર છગ્ગો જમાવી નોંધાવી અણનમ સદી

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">