AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં મળશે મોકો? જય શાહના એક ટ્વીટથી મચી ગઈ ચર્ચા

Yashasvi Jaiswal, IPL 2023: યશસ્વી જયસ્વાલે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તોફાની બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે IPL ની સૌથી ઝડપી અડધી સદી નોંધાવીને સૌને દંગ રાખી દીધા હતા.

IPL 2023: યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં મળશે મોકો? જય શાહના એક ટ્વીટથી મચી ગઈ ચર્ચા
Yashasvi Jaiswal માટે જય શાહે ટ્વીટ કર્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 10:45 PM
Share

IPL 2023 નો રોમાંચ જબરદસ્ત બન્યો છે. યુવા ખેલાડીઓ પોતાનો દમ દેખાડી રહ્યા છે. ભારતીય બેટર અને બોલર્સ પણ જબરદસ્ત દેખાવ કરી રહ્યા છે. સિઝનને પ્લેઓફની રેસ ખેલાડીઓના પ્રદર્શને ખૂબ જ રોમાંચક બનાવી દીધી છે. આ દરમિયાન ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરી હતી. જયસ્વાલે IPL ની સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી. જયસ્વાલે માત્ર 13 બોલમાં જ અડધી સદી ફટકારી હતી, જેને લઈ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવાની માંગ ઉઠી છે. આ માંગ પહેલા ચર્ચા ખાસ કારણને લઈ જાગી છે.

જય શાહે ટ્વીટ કર્યુ હતુ અને જયસ્વાલની બેટિંગના ખૂબ જ વખાણ કર્યા હતા. જેને લઈ હવે જયસ્વાલને લઈ અટકળો તેજ બની ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે, હવે જયસ્વાલનુ ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કુ બની શકે છે. રાજસ્થાન માટે તોફાની શરુઆત કરતા જયસ્વાલે ઈનીંગની પ્રથમ ઓવરમાં જ 26 રન નોંધાવ્યા હતા.

એક ટ્વીટે ચર્ચા બનાવી દીધી

બીસીસીઆઈના સચિવ જય શાહે ઉભરતા યુવા ખેલાડીને વખાણ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવે યુવા ખેલાડીને પ્રોત્સાહિત કરવા રુપ કરેલુ ટ્વીટ ખૂબ જ પસંદ ચાહકોને આવી રહ્યુ છે. ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જરુરી પણ છે. જે કામ જય શાહે કરીને ખૂબ પ્રસંશા મેળવી છે. જોકે બીસીસીઆઈના સચિવે ટ્વીટ કરવાને લઈ હવે જયસ્વાલનુ ટીમ ઈન્ડિયામાં ઝડપથી સ્થાન હોઈ શકવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આમ તો સામાન્ય રીતે જોવામાં આવે તો જય શાહ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં કોઈ ટ્વીટ કરે છે. આવામાં જય શાહે યશસ્વી જયસ્વાલ માટે ટ્વીટ કર્યુ હતુ અને તેના વખાણ કરતા જ ચાહકો જ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટરો પણ પોત પોતાના મત લગાવી ટીમ ઈન્ડિયામાં સમાવેશને લઈ પોતાની વાત રજૂ કરવા લાગ્યા હતા. પૃથ્વી શોને લઈને આ પહેલા એક ટ્વીટ કર્યુ હતુ અને ટૂંકા સમયમાં પૃથ્વીને મોકો મળ્યો હતો.

આ સિવાય સુરેશ રૈનાએ પણ કહ્યુ હતુ કે, જો પોતે ભારતીય ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોત તો, યશસ્વી જસ્વાલને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરી લેતો. જોકે રૈના હાલમા માત્ર પૂર્વ ભારતીય ક્રિકેટર છે, જેના કહેવાથી જયસ્વાલની પસંદગી થઈ શકે એમ નથી, પરંતુ માહોલ જરુર બની શકે છે.

આ પણ વાંચોઃ  Suryakumar Yadav, IPl 2023: સૂર્યકુમાર યાદવની વાનખેડેમાં ધમાલ, અંતિમ બોલ પર છગ્ગો જમાવી નોંધાવી અણનમ સદી

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">