AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC ફાઈનલ બદલવાની રોહિત શર્માની માંગ પર જાણો હરભજન સિંહે શું કહ્યું?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હાર્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે ફાઈનલમાં 3 મેચ હોવી જોઈએ, ત્યારબાદ હરભજન સિંહે કહ્યું કે એક ફાઈનલ પૂરતી છે.

WTC ફાઈનલ બદલવાની રોહિત શર્માની માંગ પર જાણો હરભજન સિંહે શું કહ્યું?
Harbhajan on Rohit'S demand
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 9:52 PM
Share

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગયું. ફાઈનલમાં ભારતનો સતત બીજી વખત પરાજય થયો હતો. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલ પર જ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે ફાઈનલમાં 3 મેચ હોવી જોઈએ. રોહિતના આ નિવેદન બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ લિસ્ટમાં હરભજન સિંહનો પણ સમાવેશ થયો છે.

પેટ કમિન્સે આપી પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ કહે છે કે એક ફાઈનલ પૂરતી છે. હવે હરભજને પણ રોહિતના નિવેદન પર પોતાનો અભિપ્રાય આપ્યો. રોહિતના નિવેદન પર હરભજને કહ્યું કે શું તમને ફાઇનલમાં 3 મેચ જોઈએ છે. જો ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ હોત તો શું તેઓએ પણ આવું જ કહ્યું હોત?

WTC Final 2023 Know what Harbhajan Singh said on Rohit Sharma demand to change WTC final

Harbhajan Singh

WTCની એક જ ફાઇનલ પૂરતી છે

હરભજને કહ્યું કે તમે આ ન કરી શકો. તેઓ કહે છે કે એક ફાઇનલ પર્યાપ્ત છે. વનડે વર્લ્ડ કપની એક ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની માત્ર એક જ ફાઈનલ.ભજ્જીએ વધુમાં કહ્યું કે ફૂટબોલની સૌથી મોટી ઈવેન્ટમાં પણ એક જ ફાઈનલ હોય છે.

હરભજન કેમ ટ્રોલ થયો?

આ નિવેદન બાદ હરભજન સિંહ એ કારણથી ટ્રોલ થવા લાગ્યો હતો કારણ કે જે મેચમાં તે ફાઈનલની વાત કરી રહ્યો છે, તેનું પરિણામ પણ એક જ દિવસમાં આવી જાય છે. એટલું જ નહીં, કોઈપણ ટૂર્નામેન્ટ એક મહિનાથી વધુ ચાલતી નથી. જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ 2 વર્ષ સુધી ચાલે છે, જેમાં ટીમો અલગ-અલગ સ્થિતિમાં ઘણી શ્રેણી રમે છે.

આ પણ વાંચોઃ WTC Final બાદ ભારત-ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ગિલને પણ મળી આ મોટી સજા

રોહિતે 3 મેચ વિશે વાત કરી

ટેસ્ટ મેચનું પરિણામ પણ 5 દિવસ રમ્યા પછી જ આવે છે. આ કારણથી રોહિત ફાઈનલમાં 3 મેચની વાત પણ કરી રહ્યો છે. ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જીત બાદ પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઓલિમ્પિકમાં પણ ખેલાડીઓ માત્ર એક જ ફાઈનલમાં રમે છે અને મેડલ જીતે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">