AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTCમાં હાર બાદ રોહિત શર્માએ ICC પર આકરા પ્રહારો કર્યા, ફાઇનલમાં ફેરફારની કરી માંગ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર બાદ રોહિત શર્માએ તો ત્યાં સુધી કહ્યું કે, ફાઈનલ કોઈપણ દેશમાં યોજાઈ શકે છે. ફાઈનલ શા માટે માત્ર ઈંગ્લેન્ડમાં જ યોજવી જોઈએ. 2 વર્ષની મહેનત બાદ ફાઈનલમાં 3 મેચ હોવી જોઈએ.

WTCમાં હાર બાદ રોહિત શર્માએ ICC પર આકરા પ્રહારો કર્યા, ફાઇનલમાં ફેરફારની કરી માંગ
Rohit Sharma questions ICC
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 8:00 PM
Share

ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું હતું. હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટીમ પોતાનું માથું ઉંચુ રાખીને આગામી ચેમ્પિયનશિપ માટે લડશે. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટને ICC પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ આગામી ફાઈનલ માટે તેણે 3 મોટી માંગણીઓ પણ કરી હતી.

કેપ્ટન રોહિતનું કહેવું છે કે આ ચેમ્પિયનશિપના વિજેતાનો નિર્ણય એક મેચથી ન થવો જોઈએ, પરંતુ ફાઈનલ 3 મેચની હોવી જોઈએ. તેનું કહેવું છે કે 2 વર્ષની મહેનત બાદ ફાઈનલમાં 3 મેચ થવી જોઈએ, પરંતુ ICCની અન્ય ટુર્નામેન્ટ પર પણ જોવાની જરૂર છે. રોહિતે કહ્યું કે જો આગામી ફાઈનલમાં 3 ટેસ્ટ મેચ હોય તો સારું રહેશે.

ફાઈનલ મેચના આયોજન પર રોહિતનો સવાલ

તેણે ફાઈનલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. વાસ્તવમાં બંને ફાઈનલ ઈંગ્લેન્ડમાં જૂન મહિનામાં જ રમાઈ હતી. રોહિત કહે છે કે શા માટે જૂનમાં જ ફાઈનલ યોજવી જોઈએ. ફાઈનલ માર્ચમાં પણ રમાઈ શકે છે. તેણે એમ પણ કહ્યું કે ફાઈનલ ગમે ત્યાં રમી શકાય છે. શા માટે માત્ર ઇંગ્લેન્ડમાં જ રમાઈ છે. રોહિત ભારતની હારથી ઘણો નિરાશ છે. તેણે કહ્યું કે શ્રેણી જીતવા કરતાં ચેમ્પિયનશિપ જીતવી વધુ મહત્વની છે. તેણે કહ્યું કે 4 વર્ષ સુધી ટીમે 2 ફાઈનલ માટે સખત મહેનત કરી. આ ખૂબ જ નિરાશાજનક છે.

આ પણ વાંચોઃ WTC 2023 : ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે હારી ગઈ હતી, જાણો કોચ રાહુલ દ્રવિડે આવું કેમ કહ્યું?

ભારત દિવસના પહેલા જ સેશનમાં ઓલઆઉટ

ફાઈનલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારત પાંચમા દિવસના પહેલા જ સેશનમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ તેમના આઉટ થયા બાદ ભારતની આશા પૂરી રીતે ખતમ થઈ ગઈ હતી. જ્યાં સુધી કોહલી અને રહાણે ક્રિઝ પર ઉભા હતા ત્યાં સુધી ભારતની જીતની આશા ટકી હતી. છેલ્લી ઈનિંગમાં કોહલીએ 49 અને રહાણેએ 46 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેનોએ ઘણા નિરાશ કર્યા હતા. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ખરાબ શોટ રમીને આઉટ થયા હતા. શુભમન ગિલનું બેટ પણ ફાઇનલમાં ચાલી શક્યું ન હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">