રિદ્ધિમાન સાહાએ ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ કર્યો ખુલાસો, કહ્યું- રાહુલ દ્રવિડે નિવૃતી લેવા માટે કહ્યું
રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નહીં. ત્યાર બાદ વિકેટકીપર બેટ્સમેન ટીમ મેનેજમેન્ટ પર ખુલીને બોલ્યો.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને શ્રીલંકા સામેની માર્ચમાં રમાનાર બે મેચની ટેસ્ટ સીરિઝમાં પસંદ કરવામાં આવ્યો નહીં. બીસીસીઆઈના સીનિયર પસંદગીકર્તાએ શનિવારે ટીમની જાહેરાત કરી હતી. જેમાં રિદ્ધિમાન સાહાનું નામ આવ્યું નથી. સાહાની ટીમમાં પસંદગી ન થતાં તેણે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની નેતૃત્વવાળી ટીમ મેનેજમેન્ટે તેને નિવૃતી વિશે વિચાર કરવાનું કહ્યું હતું. કારણ કે તેની ટીમમાં પસંદગીને લઇને તેના નામનો વિચાર કરવામાં નહીં આવે.
સમાચાર એજન્સી પીટીઆઈએ 8 ફેબ્રુઆરીએ આ બાબતની જાણકારી આપી હતી કે સાહાએ રણજી ટ્રોફીમાંથી પણ એટલા માટે નામ પરત લઇ લીધું હતું કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે હવે તેની પસંદગી ટીમ ઇન્ડિયા માટે નહીં થાય. રિદ્ધિમાન સાહાએ શનિવારે પત્રકારોને કહ્યું કે, “ટીમ મેનેજમેન્ટે મને કહ્યું હતું કે મારા નામ પર હવે વિચાર નહીં કરવામાં આવે.”
કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત
રિદ્ધિમાન સાહાએ કહ્યું કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે તેને નિવૃતી લેવા માટેની સલાહ આપી છે. સાહાએ કોચ રાહુલ દ્રવિડની સાથે થયેલ વાતોને લઇને ખુલાસો કર્યો છે. સાહાએ કહ્યું કે, “કોચ રાહુલ દ્રવિડે મને કહ્યું કે મારે (સાહા) નિવૃતી લઇ લેવી જોઇએ.”
સૌરવ ગાંગુલી પર પણ નિશાન તાક્યું
સાહાએ ભારતના પુર્વ સુકાની અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર નિશાન સાધ્યું હતું. સાહાએ કહ્યું કે ગાંગુલીએ તેને આશ્વાસન આપ્યું હતું કે તેને ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવવાને લઇને ચિંતા ન કરવી જોઇએ. સાહાએ કહ્યું, “જ્યારે મે કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલ ટેસ્ટ મેચમાં દુખાવાની દવા લઇને અણનમ 61 રન બનાવ્યા હતા ત્યારે દાદાએ મને વ્હોટ્સપ પર શુભેચ્છા પાઠવી હતી.”
તેણે વધુમાં કહેતા જણાવ્યું કે, “તેમણે કહ્યું હતું કે જ્યા સુધી બીસીસીઆઈ અધ્યક્ષ છું મારે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ અધ્યક્ષથી આ પ્રકારની વાત સાંભળીને મારો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. પણ હું એ વાતને સમજી નથી શકતો કે આટલી જલ્દી બધુ કઇ રીતે બદલાઇ ગયું.”
આ પણ વાંચો : PSL : ઇંગ્લેન્ડ માટે માત્ર 1 મેચ રમ્યો, હવે પાકિસ્તામાં મચાવી રહ્યો છે તોફાન, 208ની સ્ટ્રાઇક રેટથી ફટકારી સદી
આ પણ વાંચો : IND vs SL: ટીમ ઇન્ડિયામાં પસંદગીકારોએ કરી દીધા મોટા ફેરફાર, કોણ આવ્યુ કોણ ગયુ જાણો મોટી વાતો