Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝને ‘એશિઝ’ કેમ કહેવામાં આવે છે ? જાણો નામ પાછળનું રહસ્ય

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 જૂનથી એશિઝ 2023ની ત્રીજી ટેસ્ટ શરૂ થશે. પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 2-0 આગળ છે. ઈંગ્લેન્ડને સીરિઝ જીવંત રાખવા ત્રીજી ટેસ્ટ જીતવી જ પડશે, તો બીજી તરફ જો ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટમાં જીત મેળવશે તો સીરિઝ પર કબજો કરી લેશે.

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝને 'એશિઝ' કેમ કહેવામાં આવે છે ? જાણો નામ પાછળનું રહસ્ય
Ashes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 6:03 PM

બે દેશો વચ્ચે રમાતી દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય સીરિઝ જો કોઈ છે તો તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ‘એશિઝ‘ ટેસ્ટ સીરિઝ છે. આ સીરિઝ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હોય છે. બે દેશો વચ્ચે રમાતી આ સૌથી જૂની શ્રેણી છે. 141 વર્ષ પહેલા વર્ષ 1882માં એશિઝ ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે આવી હતી.

ક્રિકેટના ઈતિહાસની સૌથી જૂની શ્રેણી

વર્ષ 1882માં એશિઝ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ હતી. જેમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમ ઈંગ્લેન્ડને તેમના ઘરમાં હરાવી હતી. ઈંગ્લેન્ડને ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર હારનો સામનો કરવા પડ્યો હતો.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
why england australia test series called ashes Know the secret behind the name

Ashes 1882

અત્યારસુધી 72 એશિઝ સીરિઝ રમાઈ

વર્ષ 1882થી લઈ અત્યારસુધી 72 એશિઝ સીરિઝ રમાઈ ચૂકી છે. દરેક સીરિઝમાં મોટાભાગે પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે. આમાંથી ઓસ્ટ્રેલિયા 34 જ્યારે ઈંગ્લેન્ડ 32 વાર એશિઝ સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે છ સીરિઝ ડ્રો રહી છે.

‘એશિઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ

29મી ઓગસ્ટ 1882ના રોજ ઓવલ ખાતે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ‘એશિઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે લંડનથી પ્રકાશિત થતાં અખબાર ધ સ્પોર્ટિંગ ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં પત્રકાર રેનિગાલ્ડ શિર્લે બ્રૂક્સે લખ્યુ હતું કે, ‘ઇંગ્લેન્ડ ક્રિકેટનું મોત થઈ ગયુ છે અને બૉડીની અંતિમવિધિ કરાયા બાદ હવે બાકી રહેલી રાખને (એશિઝ) ઓસ્ટ્રેલિયન પોતાના ઘરે લઇ ગયા છે.’

આ પણ વાંચો : Steve Smith 100th test : સ્ટીવ સ્મિથની શાનદાર ઇનિંગ, જેણે સ્મિથની કારકિર્દીને બદલી નાખી

ઇંગ્લિશ કેપ્ટનના નિવેદન બાદ નામ થયું ફેમસ

આ સીરિઝના 4 મહિના બાદ ડિસેમ્બર 1882માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન ઇવો બ્લિંગે કહ્યું હતું કે, ‘ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા લઇ જવામાં આવેલી રાખ અમે પાછા લેવા જઇ રહ્યા છીએ.’ આ નિવેદન બાદ ઇંગ્લિશ મીડિયાએ આ સીરિઝને ‘એશિઝ’ ગણાવી હતી. ત્યારથી આ ટેસ્ટ સીરિઝને એશિઝ કહેવામાં આવવા લાગી. ડિસેમ્બર 1882માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી એશિઝ ટ્રોફી પરત લઇને પાછી ઈંગ્લેન્ડ આવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">