AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માનો બ્રોન્કો ટેસ્ટ કેમ ન થયો ? મોટું કારણ બહાર આવ્યું

ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન રોહિત શર્મા વનડે ટીમમાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે રોહિત શર્માએ યો-યો ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યો હતો, પરંતુ તેનો બ્રોન્કો ટેસ્ટ લેવામાં આવ્યો નહોતો. હવે આનું મોટું કારણ સામે આવ્યું છે.

રોહિત શર્માનો બ્રોન્કો ટેસ્ટ કેમ ન થયો ? મોટું કારણ બહાર આવ્યું
Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Sep 03, 2025 | 4:46 PM
Share

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ગયા અઠવાડિયે તેણે બેંગલુરુમાં આવેલ BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે યો-યો ટેસ્ટ આપ્યો હતો અને તેને સફળતાપૂર્વક પાસ પણ કર્યો હતો. આ દરમિયાન શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓએ પણ યો-યો ટેસ્ટ આપ્યો હતો.

બ્રોન્કો ટેસ્ટ કેમ ન થયો?

અહેવાલો અનુસાર, 31 ઓગસ્ટે રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ આપ્યો હતો અને બ્રોન્કો ટેસ્ટની પણ તૈયારી થઈ ગઈ હતી, પરંતુ BCCI દ્વારા આ ટેસ્ટ હજુ ઓફિશિયલી લાગુ કરવામાં આવ્યો ન હોવાથી રોહિત શર્માનો બ્રોન્કો ટેસ્ટ લેવાયો નહોતો. ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનિંગ કોચ એડ્રિયન લી રોક્સે આ અંગે સ્પષ્ટતા કરી છે કે બ્રોન્કો ટેસ્ટ વિશે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હાલમાં તે અમલમાં નથી મૂકાયો.

એશિયા કપ પહેલા થશે બ્રોન્કો ટેસ્ટ?

એક અહેવાલો મુજબ, આ બ્રોન્કો ટેસ્ટ એશિયા કપ પહેલા દુબઈમાં યોજાઈ શકે છે. ટીમ ઈન્ડિયા 4 સપ્ટેમ્બરે દુબઈ માટે રવાના થશે અને 5 સપ્ટેમ્બરે ICC એકેડેમી ખાતે ટીમનું પહેલું ટ્રેનિંગ સેશન યોજાશે. જો BCCI ઈચ્છે તો બ્રોન્કો ટેસ્ટ ત્યાં લેવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધીમાં આ અંગે કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી.

લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર

ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે છેલ્લે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી હતી, ત્યારથી રોહિત શર્મા અને રોહિત કોહલી બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર છે.

ઓસ્ટ્રેલિયા સામે વાપસીની સંભાવના

હવે અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ આગામી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચોની શ્રેણી માટે વાપસી કરી શકે છે. બંને પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે અને રોહિતે ઓસ્ટ્રેલિયા-A સામેની ઘરેલૂ શ્રેણીમાં રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: ICC Rule Book EP 34: Hit the Ball Twice – ક્રિકેટમાં વિચિત્ર રીતે આઉટ થવા અંગે સૌથી દુર્લભ અને ખાસ નિયમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">