AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીરેન્દ્ર સહેવાગે રિદ્ધીમાન સાહાના કેસમાં આપી મોટી પ્રતિક્રિયા

રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતા નારાજ થયો હતો. તેને આ પહેલા કોચ રાહુલ દ્રવિડે પણ નિવૃતી માટે વિચારવાનું કહેવામાં આવ્યું હતું.

વીરેન્દ્ર સહેવાગે રિદ્ધીમાન સાહાના કેસમાં આપી મોટી પ્રતિક્રિયા
Wriddhiman Saha and Virender Sehwag
| Updated on: Feb 22, 2022 | 11:12 PM
Share

પત્રકારની વ્હોટ્સઅપ ચેટ લીક કરી નામ નહીં જણાવ્યા બાદ રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ફરીથી તેણે કહ્યું કે કોઇ પરિવારને જોતા મે નામ નહીં જાહેર કરવાનો નિર્ણય લીધો છે અને આગળથી જો આવું થયું તો હું રોકાઇશ નહીં. સાહાના આ ટ્વિટ બાદ વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એ પણ તેના સમર્થનમાં મોટી પ્રતિક્રિયા આપી હતી. તેણે રિદ્ધિમાન સાહાને પત્રકારનું નામ જાહેર કરવા માટે આગ્રહ કર્યો હતો. વીરેન્દ્ર સહેવાગે એક ટ્વીટ કરીને કહ્યું કે, “પ્રિય રિદ્ધિ, બીજાનું નુકસાન પહોંચાડવું તમારો સ્વભાવ નથી અને તમે એક અદ્ભુત વ્યક્તિ છો. પણ ભવિષ્યમાં અન્ય કોઇ સાથે આવું નુકસાન ન થાય તે કારણથી તમારે તેનું નામ જાહેર કરવું જરૂરી છે. ઉંડો શ્વાસ લે અને નામ બોલી નાખ.”

આ પહેલા મંગળવારે રિદ્ધિમાન સાહાએ કહ્યું હતું કે હું ગભરાયેલો હતો એટલા માટે આ ચેટ સોશિયલ મીડિયામાં નાખવાનો નિર્ણય કર્યો હતો. હું ઇચ્છતો ન હતો કે ભવિષ્યમાં કોઇ અન્ય ખેલાડી આ રીતે કોઇને હેરાન કરે. મે એ વિચાર્યું કે વ્હોટ્સઅપ ચેટ લોકો સમક્ષ લઇને આવીશ પણ તેનું નામ નહીં જાહેર કરુ.

મહત્વનું છે કે ઇન્ટરવ્યુના મામલામાં પત્રકાર સાથે થયેલી વાતચીતનો સ્ક્રીન શોટ સાહાએ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. તેમાં કથિત રીતે જણાય આવતું હતું કે પત્રકાર તરફથી સાહા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પહેલા સાહાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ટેસ્ટ ટીમમાં હવે જગ્યા નહીં મળવાના સંકેત કોચ રાહુલ દ્રવિડ પાસેથી મળ્યો હતો. એટલા માટે દ્રવિડે તેને રિટારમેન્ટની યોજનાઓ પર કામ કરવાની સલાહ આપી હતી.

મહત્વનું છે કે ભારતીય ટીમને શ્રીલંકા સામેની ઘર આંગણેની સીરિઝમાં બે ટેસ્ટ મેચ રમવાની છે. તેનાથી પહેલા ત્રણ મેચની ટી20 સીરિઝ પણ રમવાની છે. રિદ્ધિમાન સાહાને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી ન હતી.

આ પણ વાંચો : ટી20 વર્લ્ડ કપ 2022 માટે બે ટીમોએ કર્યુ ક્વોલિફાઈ, નેપાળની ટીમને લાગ્યો મોટો ઝટકો

આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલે રવિન્દ્ર જાડેજાનું કોમેડી મીમ બનાવી શરે કરી, લોકોએ લીધી મજા

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">