હું ભારતને વર્લ્ડ કપ અને એશિયા કપ જીતાડવા માટે કંઈ પણ કરીશ: Virat Kohli
વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે. તેના ખરાબ ફોર્મને લઈને દિગ્ગજો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના ખરાબ ફોર્મ વચ્ચે જોરદાર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે તેનું મુખ્ય લક્ષ્ય ટીમ ઈન્ડિયાને એશિયા કપ (Asia Cup 2022) અને વર્લ્ડ કપ (Cricket World Cup) માં જીત અપાવવાની છે અને આ માટે તે જે પણ કરવું પડશે તે કરશે. હકિકતમાં વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે. તેના ખરાબ ફોર્મને લઈને દિગ્ગજો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક તેને આરામ આપવાની વાત કરી રહ્યા છે તો કેટલાક રમવાની વાત કરી રહ્યા છે. તો વિરાટ કોહલીને ઘણા પૂર્વ ક્રિકેટરોનું સમર્થન પણ મળ્યું છે.
મારો લક્ષ્યાંક એશિયા કપ 2022 અને વર્લ્ડ કપમાં ટીમને જીત અપાવી છે: વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની વિરાટ કોહલી હાલ ક્રિકેટના મેદાનથી દુર છે. તે ઓગસ્ટમાં યોજાનાર એશિયા કપ (Asia Cup 2022) સાથે વાપસી કરી શકે છે. આ દરમિયાન તેણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ (T20 World Cup) ને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે આ બંને ટૂર્નામેન્ટમાં ભારત જીતે. સ્ટાર સ્પોર્ટ્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા નિવેદનમાં વિરાટ કોહલીએ કહ્યું કે, મારું મુખ્ય લક્ષ્ય ભારત એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવાનું છે અને તેના માટે હું કંઈપણ કરવા તૈયાર છું.
The 👑 giving us another reason to #BelieveInBlue!
Get your game face on & cheer for @imVkohli & #TeamIndia in their quest to win the #AsiaCup 2022 🏆!
Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Ie3119rKyw
— Star Sports (@StarSportsIndia) July 23, 2022
ગત T20 વર્લ્ડ કપમાં ભારત પહેલા રાઉન્ડમાંથી જ બહાર ફેકાઇ ગયું હતું
તમને જણાવી દઈએ કે એશિયા કપ 27 ઓગસ્ટથી અને T20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં યોજાશે. ગત વખતે વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ (T20 World Cup) ના પહેલા રાઉન્ડમાંથી બહાર થવું પડ્યું હતું. પરંતુ ટીમ આ વખતે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. વિરાટ કોહલી ઈચ્છશે કે તે આ બંને ટૂર્નામેન્ટ જીતવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવે. આ સમયે બધાની નજર વિરાટ કોહલીના ફોર્મ પર છે.