Virat Kohli: વિરાટ કોહલીની ટ્રેનિંગ પર ફિટનેસ ગુરુએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ હવે કંઇક નવુ કરવુ જરુરી છે

વિરાટ કોહલી (Virat Kohli) ના ફિટનેસ ગુરુ તે છે જેમને ભારતીય કેપ્ટને એક સમયે પોતાને માવજત કરવાનો સંપૂર્ણ શ્રેય આપ્યો હતો.

Virat Kohli: વિરાટ કોહલીની ટ્રેનિંગ પર ફિટનેસ ગુરુએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ હવે કંઇક નવુ કરવુ જરુરી છે
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 9:21 AM

વિરાટ કોહલી (Virat Kohli) ની ગણતરી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટર્સમાં થાય છે. તે અનેક કલાકો જીમમાં વિતાવે છે. સખત ટ્રેનીંગ કરે છે. પરંતુ, હવે તેના ફિટનેસ ગુરુ તે જે કરે છે અથવા કરતો આવી રહ્યો છે તેનાથી સંતુષ્ટ નથી. તેના મતે વિરાટ કોહલીએ હવે કંઈક નવું કરવાની જરૂર છે. વિરાટ કોહલીના ફિટનેસ ગુરુ તે છે, જેમને ભારતીય કેપ્ટને એક સમયે પોતાની ફિટનેસનો સંપૂર્ણ શ્રેય આપ્યો હતો. આ વ્યક્તિ છે શંકર બાસુ (Shanker Basu).

ટીમ ઈન્ડિયા (Team India0 ના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ શંકર બાસુએ કહ્યું કે વિરાટ કોહલીએ હવે ટ્રેનિંગમાં કંઈક અલગ કરવું જોઈએ. તેની ટ્રેનિંગમાં કંઈ નવું દેખાતું નથી, જેની અસર તેના ફોર્મ પર પણ પડી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શંકર બાસુએ કહ્યું, મેં વિરાટ સાથે ટ્રેનિંગ વિશે વાત કરી છે. મેં તેને કહ્યું છે કે હવે કંઈક અલગ કરવાની જરૂર છે. 30 વર્ષની ઉંમરે જે કામ કરી શકે છે, તે જરૂરી નથી કે તાલીમની એ જ પદ્ધતિ 32 વર્ષની ઉંમરે પણ કામ કરે. સાથે જ જે 32 વર્ષની ઉંમરે કામ કરે છે, તેણે 34માં વર્ષે પણ કામ કરે. આપણે એ જ રીતે ખાવા-પિવાની તે પ્રમાણે કાળજી લેવી પડશે. વિરાટ કોહલી હવે ફિટનેસ વિશે ઘણું સમજે છે. અને, હવે તેના પર તે એકલા હાથે કામ કરવા સક્ષમ છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચે આ વાત ચેન્નાઈમાં એક બુક લોન્ચ દરમિયાન કહી હતી.

શંકર બસુએ જ વિરાટને પીઠના દુખાવાથી બહાર આવવામાં મદદ કરી હતી.

વિરાટ કોહલીની કારકિર્દીમાં એક એવો તબક્કો હતો જ્યારે તે કમરના દુખાવાથી ખૂબ જ પરેશાન હતો. પછી શંકર બાસુએ જ તેમને આ પીડામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરી. વિરાટ કોહલીએ ખુદ શંકર બસુના પુસ્તક ‘100, 200 પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઇન સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ’માં આ વાત કહી છે. કોહલીએ પુસ્તકમાં લખ્યું છે, 2014માં હું કમરના દુખાવાથી ખૂબ જ પરેશાન હતો. દર્દ ઠીક થવાનું નામ જ નહોતું લેતું. દરરોજ સવારે હું દુખાવો દૂર કરવા માટે 45 મિનિટ વર્કઆઉટ કરતો હતો. પરંતુ, દુખાવો સંપૂર્ણપણે દૂર થયો ન હતો અને મેચ દરમિયાન, તે મારી પીઠને ફરીથી જકડી લેતો હતો. આવી સ્થિતિમાં બાસુ સરે મને મદદ કરી. તેમણે મને વજન ઉપાડવાનું કહ્યું. મેં પણ એવું જ કર્યું. જેના કારણે મારી ફિટનેસમાં સુધારો થયો હતો.

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">