Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup, India vs England Final Preview: ભારત આજે 5મીં વાર વિશ્વવિજેતા બનવા મેદાને ઉતરશે, ઇંગ્લૅન્ડ અઢી દાયકાથી રાહ જોઇ રહ્યુ છે

જો ભારત (Team India) ની નજર 5મી વખત ટાઈટલ જીતવા પર છે તો ઈંગ્લેન્ડ 24 વર્ષના દુષ્કાળનો અંત લાવવા જોઈ રહ્યું છે. બંને ટીમોના ઈરાદાઓ અડીખમ છે.

U19 World Cup, India vs England Final Preview: ભારત આજે 5મીં વાર વિશ્વવિજેતા બનવા મેદાને ઉતરશે, ઇંગ્લૅન્ડ અઢી દાયકાથી રાહ જોઇ રહ્યુ છે
India vs England વચ્ચે આજે U19 વિશ્વકપ નો ફાઇનલ મુકાબલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 9:04 AM

અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) નો રોમાંચ આજે અંતિમ તબક્કામાં છે. ટાઈટલ કઈ દિશામાં જશે તે તો આજે જ ખબર પડશે. મેચ ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે છે. આ બે ટીમોમાંથી જેનો વિજયી રથ સમાપ્ત થશે તે વિશ્વ કપ ઉપાડી જશે. આ એટલા માટે છે કારણ કે બંને ટીમો અત્યાર સુધી અજેય રહીને ફાઇનલમાં સફર કરી ચૂકી છે. બંને ટીમો જીતનું બ્યુગલ ફૂંકવા માટે તૈયાર છે. જો ભારત (Indian Cricket Team) ની નજર 5મી વખત ટાઈટલ જીતવા પર છે તો ઈંગ્લેન્ડ 24 વર્ષના દુષ્કાળનો અંત લાવવા રાહ જોઈ રહ્યું છે. બંને ટીમોના ઈરાદાઓ અડીખમ છે. હવે આવી સ્થિતિમાં કોનો શનિ કોના પર ભારે રહેશે અને કોણ ટ્રોફી જીતશે તે તો મેચ બાદ જ ખબર પડશે.

ભારતીય ટીમની આ સતત ચોથી અને એકંદરે 8મી ફાઈનલ હશે. આ પહેલા રમાયેલી 7 ફાઈનલમાં 4 પોતાના નામે કરી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. 1998 પછી ઇંગ્લૅન્ડની આ બીજી ફાઇનલ હશે. જો કે, 1998 માં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે તેણે ન્યૂઝીલેન્ડને હરાવીને ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો.

ઇંગ્લૅન્ડની બીજી ફાઇનલ, પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતુ

તે સ્પષ્ટ છે કે ભારત પાસે અંડર 19 વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવાનો વધુ અનુભવ છે. પરંતુ, ઈંગ્લેન્ડ સાથે મહત્વની વાત એ છે કે તેણે ફાઇનલમાં પહોંચીને ટાઈટલ પણ કબજે કર્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઈ પણ સંજોગોમાં ઈંગ્લેન્ડને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. યશ ઢૂલની ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત જેવી રહી એ જ રીતે અંત લાવવા ઈચ્છે છે. સારી વાત એ છે કે ઈંગ્લેન્ડ સામે અંડર 19 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. પછી ભલે તે એકંદર આંકડા હોય કે T20 વર્લ્ડ કપ.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

ઈંગ્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ શાનદાર છે

ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે આજે 50મી ODI મેચ રમાશે. આ પહેલા રમાયેલી 49 મેચોમાં ભારત 37 જીત્યું છે જ્યારે માત્ર 11 ઈંગ્લેન્ડે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. અંડર 19 વર્લ્ડ કપમાં આજે બંને ટીમો 9મી વખત ટકરાશે. આ પહેલા રમાયેલી 8 મેચોમાં ભારત 6 વખત જીત્યું છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 2 વખત જીતી છે. એટલે કે અહીં પણ ભારતીય ટીમનું પલ્લું ભારે રહ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2022 Mega Auction: એ ભારતીય ક્રિકેટરો કે જેમણે સૌથી વધારે બેઝ પ્રાઇઝ રાખી છે, જુઓ પુરુ લીસ્ટ

આ પણ વાંચોઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધોને લઇ દિલ ખોલીને કહી આ વાત, જાણો શુ કહ્યુ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">