AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે એક નહીં પરંતુ બે ટીમ ઈન્ડિયા મેદાનમાં, 26 ખેલાડીઓ પર રહેશે નજર

મંગળવારે ભારતીય ક્રિકેટના 26 ખેલાડીઓ મેદાનમાં જોવા મળશે. આ સ્ટાર ખેલાડીઓ પર આખા દેશની નજર રહેશે. એક તરફ, એવા 11 ખેલાડીઓ હશે જેઓ તેમના પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરશે. તો બીજી તરફ વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા 15 ખેલાડીઓ તિરુવનંતપુરમમાં વર્લ્ડ કપ પહેલા વોર્મ અપ મેચ રમશે.

આજે એક નહીં પરંતુ બે ટીમ ઈન્ડિયા મેદાનમાં, 26 ખેલાડીઓ પર રહેશે નજર
Rohit Sharma & Ruturaj Gaikwad
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:59 AM
Share

ભારતીય ક્રિકેટ ચાહકો માટે મંગળવારનો દિવસ એક્શનથી ભરેલો રહેશે, કારણ કે આ દિવસે ટીમ ઈન્ડિયા (Team India) એક નહીં પરંતુ બે મેચ રમશે. એક ટીમ  એશિયન ગેમ્સમાં રમશે, જ્યારે બીજી ટીમ નેધરલેન્ડ સામે વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ રમશે. એશિયન ગેમ્સ (Asian Games 2023) માં 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, જ્યારે વર્લ્ડ કપ (World Cup 2023) ટીમ ઈન્ડિયાને તિરુવનંતપુરમમાં તમામ ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની તક મળશે.

એશિયન ગેમ્સમાં નેપાળ સામેની મેચ

હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયા નેપાળ સામે ટક્કર છે. મેચ સવારે 6.30 કલાકે શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ છે. ઋતુરાજ ગાયકવાડ ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ ક્વાર્ટર ફાઈનલ મેચ છે. નેપાળ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીતી ભારતીય કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એશિયન ગેમ્સમાં 9 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ મેચ SonyLIV એપ પર જોઈ શકાશે. આ સિવાય આ મેચ Sony Sports Ten 2 SD અને HD પર જોઈ શકાશે.

ભારતની પ્લેઈંગ 11 :

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, આર સાઈ કિશોર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ

નેધરલેન્ડ સામે વોર્મ અપ મેચ

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાની આ બીજી વોર્મ અપ મેચ હશે. ગુવાહાટીમાં વરસાદને કારણે ઈંગ્લેન્ડ સામેની તેની પ્રથમ વોર્મ-અપ મેચ રદ કરવામાં આવી હતી. મંગળવારની મેચ બાદ ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે મેદાનમાં ઉતરશે. અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની તૈયારીઓની કસોટી કરવાની આ છેલ્લી તક હશે.

આ પણ વાંચો : IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ગાંધી-જિન્નાહ ટ્રોફી રમાડવાનો PCBનો BCCIને પ્રસ્તાવ

તમામ 15 ખેલાડીઓને તક મળી

રોહિતે આ ટૂર્નામેન્ટ માટે પસંદ કરાયેલા તમામ 15 ખેલાડીઓને તક આપી શકે છે. તે અશ્વિનના પ્રદર્શન પર નજર રાખી શકે છે. ચોથા નંબર માટે કોણ ફાઇનલિસ્ટ હશે, રાહુલ કે શ્રેયસ, તે પણ મેચ બાદ નક્કી કરી શકાશે. ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. અગાઉ 2011માં ભારતમાં ક્રિકેટનો મહાકુંભ રમાયો હતો, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. હવે રોહિત બ્રિગેડ પાસે ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાની તક છે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (કેપ્ટન કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , કુલદીપ યાદવ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">