IND vs BAN: રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક, ટીમ ઈન્ડિયા ચેન્નાઈમાં ક્યારેય કરી શકી નથી આ કામ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં ભારતનો રેકોર્ડ ઘણો સારો છે અને ટીમ ઈન્ડિયાએ 34માંથી 15 મેચ જીતી છે. તેમ છતાં, સપ્ટેમ્બર મહિનો એવો અપવાદ રહ્યો છે, જ્યારે ચેન્નાઈનું મેદાન ટીમ ઈન્ડિયા માટે સારું સાબિત થયું નથી.

IND vs BAN: રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક, ટીમ ઈન્ડિયા ચેન્નાઈમાં ક્યારેય કરી શકી નથી આ કામ
Rohit Sharma (Photo-PTI)
Follow Us:
| Updated on: Sep 17, 2024 | 8:32 PM

19 સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયા ફરી એકવાર ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સફેદ જર્સીમાં મેદાનમાં ઉતરશે. પૂરા 6 મહિના પછી, ભારતીય ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમશે અને સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલમાં પહોંચવા માટે તેમના અભિયાનને આગળ ધપાવશે. આ વખતે ટીમ ઈન્ડિયાનો સામનો બાંગ્લાદેશ સામે છે.

બાંગ્લાદેશને ઓછું આંકી શકાય નહીં

જેને સામાન્ય રીતે બહુ મુશ્કેલ પડકાર માનવામાં આવતો નથી, પરંતુ પાકિસ્તાનમાં જઈને ટેસ્ટ શ્રેણી 2-0થી જીતનારી બાંગ્લાદેશી ટીમને આ વખતે ઓછો આંકી શકાય તેમ નથી. તેની ઉપર, એક મોટો પડકાર સપ્ટેમ્બર મહિનો છે, જે ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં ભારત માટે ક્યારેય સફળતા લાવ્યો નથી. હવે કેપ્ટન રોહિત શર્મા પાસે ઐતિહાસિક કામ કરવાની તક છે.’

સપ્ટેમ્બરમાં ચેન્નાઈમાં ક્યારેય જીત્યું નથી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચો રમાવાની છે, જેમાંથી પ્રથમ મેચ ચેન્નાઈમાં છે. જો કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં ક્લીન સ્વીપની દાવેદાર છે, પરંતુ આ વખતે તેને બાંગ્લાદેશ તરફથી પડકાર મળવાની આશા છે. હવે બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાને કેટલો પડકાર આપે છે તે તો 19 તારીખથી જ ખબર પડી જશે પરંતુ ટીમ ઈન્ડિયાને સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઈના પડકારજનક ઈતિહાસનો સામનો ચોક્કસ કરવો પડશે. હા, સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઈમાં રમાયેલી તમામ ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ક્યારેય જીતી શકી નથી.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

ચેન્નાઈમાં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ

1934માં ચેન્નાઈમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 34 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 15 ટેસ્ટ જીતી છે, 11 ડ્રો રહી છે અને 7 વખત હારનો સામનો કરવો પડ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ મેદાન પર માત્ર 3 ટેસ્ટ મેચ રમાઈ છે પરંતુ ભારતીય ટીમ એક પણ વખત જીતી શકી નથી. જેમાંથી 2 મેચ ડ્રો રહી હતી જ્યારે 1 મેચ ટાઈ રહી હતી. સપ્ટેમ્બર 1979માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 1982માં શ્રીલંકા સાથેની મેચ પણ ડ્રો રહી હતી. 1986માં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રોમાંચક ટાઈમાં સમાપ્ત થઈ હતી.

શું રોહિત ઈતિહાસ બદલી શકશે?

1986 થી આજ સુધી ચેન્નાઈમાં સપ્ટેમ્બર મહિનામાં કોઈ ટેસ્ટ રમાઈ નથી. એટલે કે સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયાને આજ સુધી કોઈ જીત મળી નથી પરંતુ હાર પણ મળી નથી. તેમ છતાં ચેન્નાઈના મેદાન પર ટીમ ઈન્ડિયાના મજબૂત રેકોર્ડને જોતા સપ્ટેમ્બર મહિનામાં આ પ્રકારનું પ્રદર્શન થોડું આશ્ચર્યજનક છે. હવે કેપ્ટન રોહિત શર્મા પાસે આ ઈતિહાસ બદલવાની તક છે. રોહિત પ્રથમ ભારતીય કેપ્ટન બની શકે છે જે સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઈમાં ટેસ્ટ મેચ જીતશે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડ જેવો નથી, કોચિંગ સ્ટાફની વિચારસરણી અલગ… ચેન્નાઈ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ આવું કેમ કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">