IND vs PAK, T20 World Cup 2021: આ 4 ખેલાડીઓને બહાર રાખ્યા, ભારત અને પાકિસ્તાને અંતિમ ઇલેવનમાં કોનો-કોનો કર્યો સમાવેશ, જાણો
India vs Pakistanપાકિસ્તાને શનિવારે જ તેના અંતિમ 12 પ્લેયરને જાહેર કરી દઇ મોટા ભાગનુ ચિત્ર સ્પષ્ટ કરી દીધુ હતુ. ભારતીય ટીમે (Team India) તેની રણતીની ટોસ ઉછળવા દરમ્યાન જ જાહેર કરી હતી.
આખરે એ ઘડી આવી ગઇ છે અને હવે ભારત પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો મેદાન પર આવી ચૂકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાનારી છે. આ મેચ માટે ભારતીય ટીમે તેના પત્તા ટોસના સમયે જ ખોલ્યા હતા. બાબર આઝમે ટોસ જીતીને પ્રથ બોલીંગ પસંદ કરી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ની સેનાએ ટોસ હારીને પહેલા બેટીંગ કરવાની છે. આ અગાઉ શનિવારે જ પાકિસ્તાનની ટીમે તેના 12 ખેલાડીઓને જાહેર કરી દીધા હતા.
વિરાટ કોહલીએ કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ ટોસ તેના હાથમાં નહોતો. જોકે, તે પહેલા બેટિંગ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઇશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર અને રાહુલ ચાહર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં રમી રહ્યા નથી.
Match 16. India XI: KL Rahul, R Sharma, V Kohli, S Yadav, R Pant, H Pandya, R Jadeja, B Kumar, V Chakaravarthy, M Shami, J Bumrah https://t.co/eNq46RHDCQ #INDvPAK #T20WC
— BCCI (@BCCI) October 24, 2021
બાબર આઝમે શોએબ મલિકને ભારત સામે છેલ્લા 12 ખેલાડીઓમાં પણ રાખ્યો હતો. કારણ કે તે સ્પિન સારી રીતે રમે છે. બાબરના મતે શોએબ મલિક પાસે અનુભવ છે અને તે સ્પિનરો સામે સારી બેટિંગ કરે છે. ટોસના સમયે જ બાબર આઝમે કહ્યુ હતુ કે તેમણે હૈદરને અંતિમ 11 માટે હૈદરને બહાર કર્યો છે.
Pakistan win toss, decide to bowl first. #WeHaveWeWill #INDvPAK pic.twitter.com/UHoQXzHU2O
— Pakistan Cricket (@TheRealPCB) October 24, 2021
ટીમો નીચે મુજબ છે:
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તી
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હરિસ રઉફ, હસન અલી અને શાહીન શાહ આફ્રિદી.
દુબઈમાં ભારત માટે પ્રથમ બેટિંગ એ ટેન્શન
દુબઈની પીચ પર ભારત માટે ટોસ હારવું કોઈ આંચકાથી કમ નથી. દુબઈમાં રાત્રે ઝાકળ પડે છે, જેનાથી બેટ્સમેનોને ફાયદો થાય છે. ઉપરાંત, ભારતીય ટીમે બંને વખત વોર્મ-અપ મેચોમાં બાદમાં બેટિંગ કરી છે. આવી સ્થિતિમાં બોલરોને સ્કોર બચાવવાની પરિસ્થિતિનો સામનો કરવો પડતો ન હતો. જો કે, સારી વાત એ છે કે ભારતીય બેટ્સમેનો રંગમાં છે. જો ભારત મોટો સ્કોર કરી શકશે, તો દબાણથી ભરેલી મેચમાં સ્કોરનો પીછો કરવો વધુ મુશ્કેલ બનશે. ઉપરાંત, ભારતીય બોલરોએ પણ દુબઈમાં IPL 2021 દરમિયાન ડ્યૂમાં બોલિંગ કરી છે.