એજબેસ્ટન ટેસ્ટમાં હાર બાદ ICCએ ભારતીય ટીમ સામે કરી મોટી કાર્યવાહી, મહત્વનું કારણ સામે આવ્યું

Cricket: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની વર્તમાન સ્થિતીમાં પાકિસ્તાનથી નીચે ચોથા સ્થાને સરકી ગઈ છે. પાકિસ્તાનની ટીમના 44 પોઈન્ટ છે અને તેની જીતની ટકાવારી 52.38 છે. જ્યારે ભારતીય ટીમના 75 પોઈન્ટ છે, પરંતુ જીતની ટકાવારી 52.08 છે.

એજબેસ્ટન ટેસ્ટમાં હાર બાદ ICCએ ભારતીય ટીમ સામે કરી મોટી કાર્યવાહી, મહત્વનું કારણ સામે આવ્યું
Team India (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 9:31 PM

એજબેસ્ટન ટેસ્ટ (ENG vs IND)માં ભારતીય ટીમ (Team India)ને ઈંગ્લેન્ડ (England Cricket) સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ પણ ભારતીય ટીમ માટે કોઈ સારા સમાચાર ન હતા અને સ્લો ઓવર રેટના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય ટીમ નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી નાખી હતી. ભારતીય ટીમે સજા તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બે પોઈન્ટ ગુમાવવા પડ્યા હતા અને ખેલાડીઓને તેમની મેચ ફીના 40 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પોઈન્ટની કપાત બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની વર્તમાન સ્થિતીમાં પાકિસ્તાનથી નીચે ચોથા સ્થાને સરકી ગઈ છે. પાકિસ્તાનની ટીમના 44 પોઈન્ટ છે અને તેની જીતની ટકાવારી 52.38 છે. જ્યારે ભારતીય ટીમના 75 પોઈન્ટ છે, પરંતુ જીતની ટકાવારી 52.08 છે.

મેચ રેફરી ડેવિડ બૂને ભારત સામે કાર્યવાહી કરી છે. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)માં ભારતીય ટીમે ધીમી ઓવર રેટના કારણે ત્રીજી વખત પોઈન્ટ ગુમાવવા પડ્યા છે. આ પહેલા ભારતીય ટીમે નોટિંગહામમાં સેન્ચુરિયન ટેસ્ટમાં બે પોઈન્ટ અને એક પોઈન્ટ ગુમાવ્યા હતા. ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર જો તેઓ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય છે તો ન્યૂનતમ ઓવર-રેટના અપરાધો સાથે કામ કરે છે, ખેલાડીઓને દરેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ ઉપરાંત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પ્લેઇંગ કન્ડીશન્સની કલમ 16.11.2 અનુસાર દરેક ઓવર શોર્ટ માટે ટીમને એક પોઇન્ટનો દંડ આપવામાં આવે છે. પરિણામે ભારતના કુલ સ્કોરમાંથી બે WTC પોઈન્ટ બાદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એજબેસ્ટન ટેસ્ટમાં ભારત 7 વિકેટે હારી ગયું હતું. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ (Team India)એ 416 રન બનાવ્યા હતા. જવાબી ઈનિંગ્સ રમતા ઈંગ્લિશ ટીમ 284 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે તેના બીજા દાવમાં 245 રન બનાવ્યા હતા. જો રૂટ (Joe Root) અને જોની બેયરસ્ટો (Jonny Bairstow)ની અણનમ સદીઓને કારણે ઈંગ્લેન્ડે અંતિમ દિવસના પ્રારંભિક સત્રમાં જ 378 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો અને શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 2-2થી સરભર કરી હતી અને શ્રેણી હારથી બચ્યા હતા.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">