IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે

ટીમ ઈન્ડિયા 3 સ્પિનરોની રણનીતિ સાથે બાંગ્લાદેશ સામે પણ જઈ શકે છે. આના સંકેત ટીમના પ્રેક્ટિસ સેશનથી મળ્યા છે, જ્યાં ટીમ 3 પેસર નહીં પરંતુ 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, હવે જો આવું છે, તો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?

IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે
Rohit Sharma & Rinku Singh
Follow Us:
| Updated on: Jun 22, 2024 | 5:56 PM

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? શું સતત ચાર મેચની નિષ્ફળતા બાદ રોહિત-વિરાટ ફરી ઓપનિંગ કરશે? શું શિવમ દુબેને ફરી તક મળશે? આ તમામ સવાલો છે જે એન્ટીગુઆમાં યોજાનારી મેચ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઉભા છે.

11 ખેલાડીઓ નક્કી

એન્ટિગુઆમાં ટોસ સાથે આ તમામ પ્રશ્નોના જવાબો મળી જશે. પરંતુ, ટોસ અને મેચના એક દિવસ પહેલા જ આનો જવાબ મળી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો, બાંગ્લાદેશ સામે રોહિત શર્મા તેના કયા 11 ખેલાડીઓમાંથી મેદાનમાં ઉતારશે, તેમના નામ ફાઈનલ દેખાઈ રહ્યા છે.

મેચ પહેલા પ્લેઈંગ-11ની ઝલક

જોકે બાંગ્લાદેશ સામેની મેચની પ્લેઈંગ ઈલેવનને લઈને અત્યાર સુધી કોઈએ સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. પરંતુ, એન્ટિગુઆમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન જોયા બાદ પ્લેઈંગ ઈલેવનની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ હતી. હવે સવાલ એ છે કે એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં શું જોવા મળ્યું, જે ભારતની પ્લેઈંગ ઈલેવનને જાહેર કરે છે?

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

રોહિતે આપ્યા સંકેત

એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં, ભારતીય ટીમ ફરી એકવાર 3 સ્પિનરો સાથે રમશે, જે એક મોટો સંકેત છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આગામી મેચમાં પણ બેન્ચ પર બેસવું પડી શકે છે. જો આવું થાય તો બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ નહિવત છે. મતલબ, 3 સ્પિનરોથી સજ્જ એ જ ટીમ મેદાનમાં જોવા મળશે, જે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે જોવા મળી હતી. બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ એન્ટીગુઆમાં 3 સ્પિનરો સાથે રમવાના સંકેત આપ્યા હતા.

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથેની પ્રેક્ટિસ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ટીમ ઈન્ડિયાને વધારાના સીમરની જરૂર નથી. મતલબ, બાંગ્લાદેશ સામેની મેચમાં જે 11 ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે તે કંઈક આ રીતે હોઈ શકે છે.

બાંગ્લાદેશ સામે સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, શિવમ દુબે, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો: ‘જ્યાં છું ત્યાં ખુશ છું, ભવિષ્યનું વિચારતો નથી’, ગૌતમના ‘ગંભીર’ નિવેદને ટીમ ઈન્ડિયાના કોચ અંગે મોટો સવાલ ઊભો કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">