‘જ્યાં છું ત્યાં ખુશ છું, ભવિષ્યનું વિચારતો નથી’, ગૌતમના ‘ગંભીર’ નિવેદને ટીમ ઈન્ડિયાના કોચ અંગે મોટો સવાલ ઊભો કર્યો

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ અંગે હવે જ્યારે બધા BCCI તરફથી નામની સત્તાવાર જાહેરાત સાંભળવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી ટ્રફર ગૌતમ ગંભીરના લેટેસ્ટ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમના કોચ બનવા અંગેના સવાલ પર ગૌતમના 'ગંભીર' જવાબે અનેક સવાલો ઊભા કર્યા છે.

'જ્યાં છું ત્યાં ખુશ છું, ભવિષ્યનું વિચારતો નથી', ગૌતમના 'ગંભીર' નિવેદને ટીમ ઈન્ડિયાના કોચ અંગે મોટો સવાલ ઊભો કર્યો
Gautam Gambhir
Follow Us:
| Updated on: Jun 22, 2024 | 5:24 PM

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના સવાલ પર ગૌતમ ગંભીરે પોતાના લેટેસ્ટ નિવેદનથી સમગ્ર મામલાને રસપ્રદ બનાવી દીધો છે. અત્યાર સુધી ગંભીરના નવા મુખ્ય કોચ બનવાના અહેવાલો હતા પરંતુ તેનું લેટેસ્ટ નિવેદન સાંભળ્યા બાદ એવું લાગતું નથી કે હજુ કંઈ ફાઈનલ થયું છે. જ્યારે IPLમાં KKRના મેન્ટર ગૌતમ ગંભીરને કોલકાતામાં ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સીધું કંઈપણ કહેવાનું ટાળ્યું. ગંભીરે એટલું જ કહ્યું કે તે અત્યારે જ્યાં છે ત્યાં ખુશ છે. બહુ આગળનું વિચારતો નથી.

મુખ્ય કોચનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થઈ રહ્યો છે. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરના નવા મુખ્ય કોચ બનવાના અહેવાલો હતા. એવા પણ અહેવાલ છે કે માત્ર ગંભીરે જ કોચ બનવા માટે BCCIને અરજી કરી હતી. એવા અહેવાલો પણ છે કે BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા કોચ બનવા માટે જે એક વ્યક્તિનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તે ગંભીર હતો. આ મીડિયા અહેવાલો પછી, ગંભીરનું નિવેદન કે તે વધુ આગળ વિચારી રહ્યો નથી, તેને લઈ મુખ્ય કોચનો પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે.

ગૌતમ ગંભીરનું નિવેદન

કોલકાતામાં PTI સાથે વાત કરતા ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાના સવાલ પર કહ્યું કે, અત્યારે આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે. હું આગળનો વિચાર પણ નથી કરતો. અત્યારે હું એટલું જ કહી શકું છું કે હું જ્યાં છું ત્યાં ખુશ છું. હવે ગૌતમ ગંભીરે પશ્ચિમ બંગાળમાં આ નિવેદન આપ્યું છે પરંતુ સમગ્ર દેશમાં આ અંગે રસ જાગ્યો છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

ગંભીરનું કોચ બનવાનું નક્કી હતું, પછી શું થયું?

અહેવાલો અનુસાર BCCIએ પોતે જ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનવા માટે સંપર્ક કર્યો હતો. મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવ્યા પછી પણ બોર્ડ સતત ગંભીરના સંપર્કમાં હતું. આ કારણે એવું લાગી રહ્યું હતું કે ગંભીર આગામી મુખ્ય કોચ બનશે. પરંતુ, ગંભીરના નિવેદન બાદ તે અટકળો પર હાલ વિરામ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે ફક્ત BCCIનું સત્તાવાર નિવેદન જ આ મામલા પરથી પડદો હટાવી શકે છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા કેવી કરશે તૈયારી? BCCIના નિર્ણયથી સવાલો ઉભા થયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">