IND vs USA: અર્શદીપ-સૂર્યકુમાર યાદવના દમ પર ટીમ ઈન્ડિયાનો વિજય, ગર્વ સાથે સુપર-8માં પ્રવેશ

T20 વર્લ્ડ કપ 2024માં USA સામે જીત સાથે ટીમ ઈન્ડિયાએ સુપર-8 રાઉન્ડમાં ક્વોલિફાય કર્યું હતું. સાથે જ એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 111 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી સફળ રન ચેઝ છે. આ પહેલા પાકિસ્તાને 107 રનનો પીછો કર્યો હતો.

IND vs USA: અર્શદીપ-સૂર્યકુમાર યાદવના દમ પર ટીમ ઈન્ડિયાનો વિજય, ગર્વ સાથે સુપર-8માં પ્રવેશ
Team India
Follow Us:
| Updated on: Jun 12, 2024 | 11:57 PM

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કમાં રમાયેલી અન્ય એક રોમાંચક લો સ્કોરિંગ મેચમાં ભારતે યજમાન અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે સતત ત્રીજી જીત સાથે ટીમ ઈન્ડિયાએ આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયાની જીતનો સિતારો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હતો, જેણે 4 વિકેટ લઈને અમેરિકાને માત્ર 110 રન પર રોકી દીધું હતું. ત્યારબાદ શરૂઆતી આંચકાઓ બાદ ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગના આધારે 19 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

સૂર્યકુમાર યાદવની ફિફ્ટી

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપની છેલ્લી મેચ હતી અને આ વખતે પણ પીચ અને ફિલ્ડમાં કોઈ ફેરફાર થયો નથી. ફરી એકવાર બંને ટીમના બોલરોએ પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું. અંતે, અર્શદીપ સિંહના રેકોર્ડ સ્પેલ અને આ વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવના પ્રથમ અર્ધશતકના આધારે ટીમ ઈન્ડિયાએ અમેરિકાને વધુ એક અપસેટ કરતા અટકાવ્યો. આ પરિણામ બાદ સુપર-8માં પહોંચવાની પાકિસ્તાનની આશા અકબંધ છે પરંતુ અમેરિકા હજુ પણ સારી સ્થિતિમાં છે.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

ભારતની મજબૂત બોલિંગ

આ મેચમાં બંને ટીમના ડાબા હાથના ફાસ્ટ બોલરે શરૂઆતી પ્રહારો કર્યા હતા. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ કામ સૌથી પહેલા કર્યું. તેણે ઈનિંગ્સના પહેલા જ બોલ પર ઓપનર શયાન જહાંગીરને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર આન્દ્રે ગૌસને પણ પેવેલિયન પરત મોકલવામાં આવ્યો હતો. આ પછી, રન પર રોક લાગી અને અમેરિકાને સંઘર્ષ કરવો પડ્યો. તેને સૌથી મોટો આંચકો 8મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે હાર્દિક પંડ્યાએ તેના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન એરોન જોન્સને પેવેલિયન પરત મોકલી દીધો.

અર્શદીપે માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા પરંતુ અર્શદીપ અને પંડ્યાએ નિયંત્રણ જાળવી રાખ્યું હતું. સ્ટીવન ટેલર, નીતીશ કુમાર અને કોરી એન્ડરસને નાની પણ મહત્વની ઈનિંગ્સ રમી અને કોઈક રીતે ટીમને 110 રન સુધી લઈ ગઈ. ટીમ ઈન્ડિયા માટે અર્શદીપે માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી, જે T20 વર્લ્ડ કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ પણ વાંચો : IND vs USA: ‘એનિવર્સરી’ પર વિરાટ કોહલી સાથે થયું કઈંક એવું જે અત્યારસુધીની કરિયરમાં ક્યારેય ન થયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">