AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: આ દેશની ટીમ પર ઉતરી આફત, 2 ખેલાડીઓ માતા અને એક ખેલાડીએ પિતા ગુમાવ્યા, છતાંય દેશ માટે ત્રણેય ખેલાડી રમશે

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) રવિવારથી ઓમાનમાં શરૂ થઈ રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ બીની બે ટીમો ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે ટક્કર કરશે.

T20 World Cup 2021: આ દેશની ટીમ પર ઉતરી આફત, 2 ખેલાડીઓ માતા અને એક ખેલાડીએ પિતા ગુમાવ્યા, છતાંય દેશ માટે ત્રણેય ખેલાડી રમશે
Papua New Guinea
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:50 PM
Share

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) રવિવારથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ બીની ટીમ ઓમાન અને પપુઆ ન્યૂ ગિની વચ્ચે ટક્કર થશે. જોકે ક્રિકેટ પ્રેમીઓને આ મેચમાં બહુ રસ નહીં હોય, પરંતુ પપુઆ ન્યૂ ગિની (PapuaNewGuinea) માટે આ મેચ ખૂબ જ ખાસ છે. ખાસ એટલા માટે કારણ કે આ ટીમના એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ ખેલાડીઓએ તેમના પરિવારના સભ્યને ગુમાવ્યા છે. આમ હોવા છતાં, તે ખેલાડીઓ તેમના દેશ માટે ટી20 વર્લ્ડ કપ રમી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગત સપ્તાહે પાપુઆ ન્યૂ ગિનીની ટીમના 3 ખેલાડીઓએ તેમના માતા અને પિતા ગુમાવ્યા હતા. બોલર નોસાઇના પોકાનાના પિતાનું અવસાન થયું, જ્યારે વિકેટકીપર કિપ્લિન ડોરિગા અને ઓલરાઉન્ડર ચાર્લ્સ અમીની માતાનું પણ અવસાન થયું. આ ત્રણેયના મૃત્યુ 48 કલાકની અંદર થયા છે. આમ હોવા છતાં, આ ત્રણ ખેલાડીઓ તેમની ટીમ સાથે સંકળાયેલા છે. તેમનું સ્વપ્ન છે કે તેઓ તેમની ટીમને સુપર-12 રાઉન્ડમાં લઈ જાય.

PNG એ 676 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી!

પપુઆ ન્યૂ ગિની ટીમ માટે ટી20 વર્લ્ડ કપ રમવું પણ મુશ્કેલ છે. કારણ કે આ ટીમે 676 દિવસ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી. તમને જણાવી દઈએ કે 2020 માં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યા પછી, આ વર્ષે સપ્ટેમ્બરમાં 676 દિવસો બાદ PNG ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. કોવિડ રોગચાળા બાદ પપુઆ ન્યૂ ગિનીની ટીમ સતત 10 આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ, જેમાં 8 વનડે અને 2 ટી 20 મેચનો સમાવેશ થાય છે. PNG વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ પણ હારી ગઈ. તેઓ આયર્લેન્ડ અને શ્રીલંકા સામે હારી ગયા હતા.

ગયા મહિને પીએનજી ટીમ ચર્ચામાં આવી હતી જ્યારે અમેરિકાના જસકરન મલ્હોત્રાએ તેના બોલર ગોડી ટોકાની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. મલ્હોત્રાએ તે મેચમાં અણનમ 173 રન બનાવ્યા હતા. જોકે ઓછા લોકો જાણે છે કે ઓછી મેચ પ્રેક્ટિસને કારણે PNG એ જસકરનના 4 કેચ છોડ્યા હતા.

જસકરનના બે કેચ 20 રન પહેલા છોડ્યા હતા. ટીમના ખેલાડીઓને વ્યક્તિગત નુકસાન થયું છે. ટીમમાં મેચ પ્રેક્ટિસ નથી. ફિલ્ડિંગ નબળી છે, બોલરો પણ ફોર્મમાં નથી, આમ હોવા છતાં PNG ટીમ ઉત્સાહિત છે અને તેઓ ઓમાન સામેની મેચમાં પોતાનો જીવ રેડવા માટે તૈયાર છે.

PNG T20 વર્લ્ડ કપ સ્ક્વોડ

અસદ વાલા (કેપ્ટન), ચાર્લ્સ અમીની, લેગા સિયાકા, નોર્મન વનુઆ, નોસાઇના પોકાના, કિપ્લિન ડોરિગા, ટોની ઉરા, હિરી હિરી, ગૌડી ટોકા, સેસ બાઉ, ડેમિયન રાવુ, કાબુઆ વાગી-મોરિયા, સિમોન અતાઇ, જેસન કિલા, ચાડ સોપર અને જેક ગાર્ડનર.

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

આ પણ વાંચોઃ  IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ ‘આંતરીક’ યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">