ભારત-કેનેડા વચ્ચે લોડરહિલમાં રમાનાર ટી20 વર્લ્ડકપની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ચુકી છે. આ મેચમાં બંન્ને ટીમના સુપર-8માં કોઈ અસર પડી નથી કરાણ કે, ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વોલિફાય કરી લીધું હતુ. જ્યારે કેનેડાની ટીમ પહેલાથી જ બહાર થઈ ચુકી છે. હવે ભારતીય ટીમ 20 જૂનના રોજ પોતાની પહેલી સુપર-8 મેચ રમશે. આ મેચ કેસિગ્ટન ઓવલ બારબાડોસમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાશે. હવે જો સુપર-8માં વરસાદ આવ્યો તો મેચનું પરિણામ શું આવશે તે વિશે જાણીએ.
રિપોર્ટ અનુસાર સુપર-8માં ગ્રુપ સ્ટેજની મેચની જેમ કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. એટલે કે, જો વરસાદ આવ્યયો તો મેચ તેજ દિવસે પૂર્ણ કરવાની રહેશે. મેચના પરિણામ માટે 5-5 ઓવરની મેચ રમાશે. જો તેમ છતાં પરિણામ ન આવે તો બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સુપર-8માં દરેક ટીમ 3-3 મેચ રમશે. જો એક પણ મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો ટીમને નુકસાન થઈ શકે છે. કારણ કે, ગ્રુપ સ્ટેજની એક મેચ રહેશે નહિ.
UPDATE
The #CANvIND match has been called off due to wet outfield.
Both the teams share a point each.#T20WorldCup | #TeamIndia
ICC pic.twitter.com/6KiRpe9Y2D
— BCCI (@BCCI) June 15, 2024
પહેલી સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં વરસાદ આવે છે તો તે દિવસે પરિણામ માટે ઓછામાં આછી 10-10 ઓવરની મેચ રમવી પડશે. જો મેચ રમવી શક્ય ન બને તો આ મેચ રિઝર્વ ડેમાં ચાલ્યો જશે. પહેલી સેમિફાઈનલ અને ફાઈનલ માટે 190 મિનિટ અને રિઝર્વ ડે છે. જ્યારે બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. બીજી સેમિફાઈનલ માટે 250 મિનિટનો સમય મળશે. ખાસ વાત તો એ છે કે, બીજી સેમિફાઈનલ અને ફાઈનલ વચ્ચે માત્ર એક દિવસજનો તફાવત છે.બીજી સેમિફાઈનલ 27 જૂન અને ફાઈનલ 29 જૂનના રોજ રમાશે.
આ પણ વાંચો : T20 World Cup 2024 સુપર 8માં ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો