IND vs AUS: સૂર્યકુમાર યાદવ ODI શ્રેણીમાં એક પણ વાર બોલને બેટ અડાડી શક્યો નહીં, આ 3 ભૂલ ને લઈ મળ્યા 3 શૂન્ય

Suryakumar Yadav ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ત્રણેય વનડેમાં બેટિંગ કરવાના મોકા મેળવ્યા હતા. પરંતુ ત્રણમાંથી એક પણ વાર તે પોતાના બેટનો બોલ સાથે સંગમ કરાવી શક્યો નહીં અને આખી સિરીઝમાં શૂન્યમાં પરત ફર્યો હતો.

IND vs AUS: સૂર્યકુમાર યાદવ ODI શ્રેણીમાં એક પણ વાર બોલને બેટ અડાડી શક્યો નહીં, આ 3 ભૂલ ને લઈ મળ્યા 3 શૂન્ય
Suryakumar Yadav Golden Duck reasons
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 9:19 AM

સૂર્યાકુમાર યાદવ મેદાનમાં ઉતરતા જ ચિચિયારો જેના નામની પડતી હતી. આ ચિચિયારીઓ વચ્ચે તે હરીફ બોલરોને ખૂબ ધુલાઈ કરીને પરત ફરતો. નાની ઈનીંગ હોય કે મોટી ઈનીંગ પણ જે બોલર સામે હોય એની એવરેજ બગાડવાનુ કામ કરીને જ સૂર્યા મોટે ભાગે પરત ફરતો. જોકે આજકાલ સૂર્યાના બેટની આગ અચાનક જ ઠંડી થઈ ગઈ છે. ધખધકતુ સૂર્યાનુ બેટ બોલને જ સ્પર્શ્યા વિના ઈનીંગ સમાપ્ત થઈ ગઈ. જેના નામથી સ્ટેડિયમ ગૂંજતુ અને સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટાતી હતી ત્યાં વનડે સિરીઝમાં જુદી જ જોવા મળી. કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝમાં સૂર્યા ત્રણેય મેચમાં માત્ર શૂન્ય રન પર રહીને વિકેટ ગુમાવી છે.

ભારતે વનડે સિરીઝને 1-2 થી ગુમાવી દીધી છે. ઘર આંગણે ભારતે લાંબા સમય બાદ વનડે સિરીઝ ગુમાવી છે. આમ થવાનુ સ્પષ્ટ કારણ બેટિંગમાં ભારતીય ખેલાડીઓ ફ્લોપ રહ્યા. ત્રણેય વનડેમાં ભારતીય બેટરો રન નિકાળવામાં સંઘર્ષ કરતા રહ્યા હતા. એમાય સૂર્યાકુમાર જેવા વિસ્ફોટક બેટરની હાલત અત્યંત કફોડી રહી હતી. તે ત્રણેય મેચમાં બેટિંગ કરવા માટે ઉતર્યો ખરો પરંતુ ત્રણેય વાર પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.

આ ત્રણ કારણોને લઈ સૂર્યકુમાર યાદવ વનડે સિરીઝમાં ત્રણેય મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

1. સૌથી મોટી ભૂલ-ફુટવર્ક

ત્રણેય વનડે મેચમાં ત્રણેય વાર શૂન્ય રને વિકેટ ગુમાવનારા સૂર્યકુમાર યાદવનુ ફુટવર્ક ખૂબ જ ખરાબ રહ્યુ હતુ. તેના ખરાબ પ્રદર્શનનુ સૌથી મોટુ કારણ ફુટવર્કને જ માનવામાં આવી રહ્યુ છે. મુંબઈ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ બંને વનડેમાં તે પ્રથમ બોલે જ લેગબિફોર વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. જ્યારે ચેન્નાઈમાં તે ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. પ્રથમ બંને વનડે મેચમાં તેનો બોડી વેટ ઓફ સ્ટંપ તરફ વધારે ટ્રાન્સ્ફર જોવા મળ્યો હતો. જ્યારે ચેન્નાઈમાં તે આગળ વાળા બોલ પર પાછળ રહીને રમી લીધુ હતુ.

2. ખરાબ હેંડ-આઈ કોઓર્ડિનેશન

પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવનાર સૂર્યાકુમારની બીજી ભૂલ તેની આંખ અને હાથના ખરાબ તાલમેલને માનવામાં આવી રહી છે. હેંડ-આઈ કોઓર્ડિનેશન ખૂબ જ મહત્વની બાબત છે. આમાં ચૂક એટલે કે જોખમ રમતમાં માનવાવાાં આવે છે. સહેજપણ ચૂક થવી એટલે કે શિકાર થવાનો ખતરો રહેતો હોય છે. ખતરા વચ્ચે રન નિકળવા પણ મુશ્કેલ બની જતા હોય છે.

3. પ્રેશરમાં જોવા મળ્યો

રમતમાં માનસિક મજબૂતાઈ હોવી ખૂબ જ જરુરી છે. સાએથ આત્મવિશ્વાસ પણ હોવો એટલો જ જરુરી છે. સૂર્યામાં આ બંનેનો અભાવ જોવા મળ્યો હતો. સૂર્યાને સતત દબાણ લાગી રહ્યુ હતુ. કાંતો એ વિશ્વકપને લઈ ચિંતા અનુભવી રહ્યો હોય અથવા પોતાના પ્રદર્શનને લયમાં લાવવાની ચિંતા હોઈ શકે છે. જોકે આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાની અપેક્ષાઓ પુરી ના થઈ શકી. સંતુલન ખોરવાઈ ગયુ. જોકે હવે સૂર્યા માટે આ સિરીઝ કરિયરમાં કાળી ટીલી બનીને યાદ રહેવાની છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">