જસપ્રીત બુમરાહને શા માટે આરામ આપવામાં આવ્યો? ટીમ ઈન્ડિયાના નિર્ણય પર દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

ધર્મશાલા ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જસપ્રીત બુમરાહને આરામ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના મતે બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવો ટીમના હિતમાં નથી. તમને જણાવી દઈએ કે બુમરાહ હવે ધર્મશાલા ટેસ્ટમાં રમશે.

જસપ્રીત બુમરાહને શા માટે આરામ આપવામાં આવ્યો? ટીમ ઈન્ડિયાના નિર્ણય પર દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ
Jasprit Bumrah
Follow Us:
| Updated on: Mar 05, 2024 | 5:50 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પોતાના નિવેદનો માટે જાણીતા છે અને ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે. ગાવસ્કરે રાંચી ટેસ્ટમાં બુમરાહને આરામ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે જસપ્રીત બુમરાહને રાંચીમાં આરામ આપવો ટીમના હિતમાં નથી. ગાવસ્કરે સ્પષ્ટ કહ્યું કે બુમરાહને આરામની જરૂર નથી, કારણ કે તે રાજકોટમાં વધુ બોલિંગ કરતો નહોતો અને ચોથી ટેસ્ટ પછી પણ ઘણા દિવસોનો વિરામ હતો.

સુનીલ ગાવસ્કરે સવાલો ઉઠાવ્યા

એક આર્ટિકલમાં સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયા પર નિશાન સાધ્યું, આ દિગ્ગજ ખેલાડીએ લખ્યું, ‘બુમરાહે રાજકોટ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 15 ઓવર અને બીજી ઈનિંગમાં માત્ર 8 ઓવર નાખી. આ પછી બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. સંભવ છે કે આ ટ્રેનરની ભલામણ પછી આ કરવામાં આવ્યું હતું. પરંતુ ભૂલશો નહીં કે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો વિરામ હતો અને બુમરાહે આખી મેચમાં માત્ર 23 ઓવર જ ફેંકી હતી. તો શા માટે બુમરાહને આરામ આપવામાં આવ્યો?

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

બુમરાહને આરામ આપવો ટીમના હિતમાં નથી!

ગાવસ્કરે આગળ લખ્યું કે ચોથી ટેસ્ટ બાદ પણ 8 દિવસનો બ્રેક હતો. કોઈપણ એથ્લેટ માટે આ આરામનો સારો સમય છે. ચોથી મેચ પણ ઘણી મહત્વની હતી. જો ઈંગ્લેન્ડ જીત્યું હોત તો છેલ્લી ટેસ્ટ નિર્ણાયક બની હોત. આવી સ્થિતિમાં, જો NCAએ બુમરાહને રાંચીમાં આરામ આપવાનો નિર્ણય લીધો તો પણ તે ટીમ ઈન્ડિયાના હિતમાં નથી.

બુમરાહ સિરીઝમાં શાનદાર ફોર્મમાં

તમને જણાવી દઈએ કે બુમરાહ આ ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ માત્ર 6 ઈનિંગમાં 17 વિકેટ ઝડપી છે. એવી આશા છે કે બુમરાહ ધર્મશાલામાં પણ પોતાની તાકાત બતાવશે અને ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતીને ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લેશે.

આ પણ વાંચો : કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ યુઝવેન્દ્ર ચહલે કહ્યું- ‘હું સૌથી વધુ વિકેટ લઈશ’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">