AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત-શમી-ભુવનેશ્વરના નિવૃત્તિ ન લેવા અંગે ચોંકાવનારો દાવો, કારણ જાણીને ચોંકી જશો

રોહિત શર્મા, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે સતત ચર્ચા થઈ રહી છે. ટીમમાં સ્થાન મળવામાં મુશ્કેલી હોવા છતાં આ ખેલાડીઓ હજુ મેદાન છોડવા તૈયાર નથી. હવે એક રિપોર્ટમાં તેમના નિવૃત્તિ ન લેવા પાછળનું કારણ જણાવાયું છે. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

રોહિત-શમી-ભુવનેશ્વરના નિવૃત્તિ ન લેવા અંગે ચોંકાવનારો દાવો, કારણ જાણીને ચોંકી જશો
Shami, Rohit, BhuvneshwarImage Credit source: PTI/X
| Updated on: Sep 03, 2026 | 5:45 PM
Share

રોહિત શર્મા, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ખેલાડીઓના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠી રહ્યા છે. પસંદગીકારો હવે યુવા ખેલાડીઓ તરફ ધ્યાન આપી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે ત્રણેય દિગ્ગજોએ હાર માની નથી. રોહિત હજુ વનડે ટીમનો ભાગ છે, જ્યારે શમી અને ભુવનેશ્વર પણ પોતાના પ્રદર્શનથી વાપસીનો પ્રયાસ કરી રહ્યા છે.

બ્રાન્ડ વેલ્યુના કારણે નિવૃત્તિ નથી લઈ રહ્યા!

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ખેલાડીઓ નિવૃત્તિ લેવાનું ટાળી રહ્યા છે તેનું એક કારણ તેમની બ્રાન્ડ વેલ્યુ હોઈ શકે છે. નિવૃત્તિ બાદ IPL કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ ડીલ અને અન્ય પ્રોફેશનલ તથા બિઝનેસ ડીલ પર અસર પડી શકે છે. જોકે, આ માત્ર રિપોર્ટમાં કરવામાં આવેલો દાવો છે અને ખેલાડીઓએ પોતે આ કારણની પુષ્ટિ કરી નથી.

રોહિત શર્માએ બતાવ્યો પોતાનો ક્લાસ

રોહિત શર્માએ તાજેતરમાં પોતાના બેટથી ટીકાકારોને જવાબ આપ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં શરૂઆતની બે મેચમાં નિષ્ફળ રહ્યા બાદ લોર્ડ્સમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. સમગ્ર શ્રેણીમાં રોહિતે 58.33ની સરેરાશથી 175 રન બનાવ્યા હતા. આ દરમિયાન BCCI તરફથી પણ તેની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભુવનેશ્વર-શમીનું દમદાર ફોર્મ

બીજી તરફ, ભુવનેશ્વર કુમારે IPL 2026માં શાનદાર પ્રદર્શન કરીને RCBના અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે હાલમાં સ્થાનિક ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી રહ્યો છે. મોહમ્મદ શમીએ પણ દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન દર્શાવે છે કે બંને હજુ પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે તૈયાર છે.

ત્રણેય ખેલાડીઓ પર સૌની નજર

ત્રણેય ખેલાડીઓની ઉંમર વધી રહી છે અને ભારતીય ટીમમાં તેમની જગ્યા અંગે સવાલો ચોક્કસ છે, પરંતુ તેમના તાજેતરના પ્રદર્શનને કારણે નિવૃત્તિનો નિર્ણય સરળ નથી. ખાસ કરીને રોહિત, શમી અને ભુવનેશ્વર હજુ પણ ઉચ્ચ સ્તરે રમવાની ક્ષમતા બતાવી રહ્યા છે. હવે તેઓ ક્યારે નિવૃત્તિ જાહેર કરશે કે ફરી ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે, તેના પર સૌની નજર રહેશે.

Breaking News: MS ધોનીએ લીધો મોટો નિર્ણય, IPL 2027માં CSK માટે આ ભૂમિકામાં નહીં રમે

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">