IND vs SA: ટીમ ઇન્ડિયાના ‘7 હિન્દુસ્તાની’ જે દક્ષિણ આફ્કિાના મેદાનમાં પ્રથમ વાર પગ રાખતા જ દેખાડશે દમ

ટીમ ઈન્ડિયા (Team India) ને દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સાત એવા ખેલાડીઓ છે, જેઓ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમશે.

IND vs SA: ટીમ ઇન્ડિયાના '7 હિન્દુસ્તાની' જે દક્ષિણ આફ્કિાના મેદાનમાં પ્રથમ વાર પગ રાખતા જ દેખાડશે દમ
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:18 AM

હવે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર બે દિવસ બાકી છે. 26 ડિસેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) ની ટીમ મેચ માટે સેન્ચુરિયન મેદાનમાં ઉતરશે. બંને ટીમોની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. ભારતીય ટીમ (Indian Cricket Team) ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની હોમ સિરીઝ જીતીને સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. આ શ્રેણીની પ્રથમ મેચ માટે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો નથી.

આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ ખેલાડી સંક્રમિત જોવા મળે તો પણ શ્રેણી ચાલુ રહેશે. આ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સાત ખેલાડીઓ એવા છે જેઓ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા ગયા છે. આમાંથી ઘણા ખેલાડીઓ એવા છે કે પ્લેઇંગ 11માં તેમનું સ્થાન પણ નિશ્ચિત છે. આ તમામ ખેલાડીઓના પ્રદર્શન વિશે વાત કરવી જરૂરી છે કારણ કે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો નિર્ણય તેમના પ્રદર્શન પર જ થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોણ છે તે 7 હિન્દુસ્તાની

મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હનુમા વિહારી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને જયંત યાદવ આ યાદીમાં સામેલ છે. બાય ધ વે, પ્રિયાંક પંચાલ પણ પહેલીવાર ભારતીય ટીમ સાથે જોડાયો છે. પરંતુ અમે હાલમાં તેની ગણતરી કરી રહ્યા નથી કારણ કે તેણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં શ્રેણી રમી છે. અમે જે સાત ખેલાડીઓના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી ચારથી પાંચ ખેલાડીઓ પ્લેઇંગ 11 માં રમવાના છે. બેટિંગમાં મયંક અગ્રવાલ, શ્રેયસ ઐયર અને રિષભ પંત કોઈપણ સંજોગોમાં ટીમના પ્લેઈંગ 11 નો ભાગ હશે.

બોલિંગમાં મોહમ્મદ સિરાજની રમત નિશ્ચિત છે. શાર્દુલ ઠાકુર અને હનુમા વિહારીને પણ પ્લેઈંગ 11માં સ્થાન માટે દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાના નિયમિત ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ના ઈજાના કારણે બહાર થવાથી પ્લેઈંગ 11નું સમીકરણ પણ બદલાઈ ગયું છે. સાઉથ આફ્રિકાની પિચોના મિજાજને સમજીને માની શકાય છે કે ભારતીય બેટ્સમેનો માટે આનાથી મોટો પડકાર બની શકે છે.

આ સાત હિન્દુસ્તાનીના રેકોર્ડ શું કહે છે?

તમને આ તમામ ખેલાડીઓના પ્રદર્શનના આંકડા પણ જણાવી દઇએ છીએ. મયંક અગ્રવાલે 16 ટેસ્ટ મેચમાં 47.92ની એવરેજથી 1294 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 5 અડધી સદી સામેલ છે. રિષભ પંતે 25 ટેસ્ટ મેચમાં 39.71ની એવરેજથી 1549 રન બનાવ્યા છે. તેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી છે. શ્રેયસ અય્યરે 2 ટેસ્ટ મેચમાં 202 રન બનાવ્યા છે. તેની સરેરાશ 50.50 છે અને તેના ખાતામાં 1 સદી અને 1 અડધી સદી છે. બોલિંગમાં મોહમ્મદ સિરાજે 10 ટેસ્ટ મેચમાં 33 અને શાર્દુલ ઠાકુરે 4 ટેસ્ટ મેચમાં 14 વિકેટ ઝડપી છે.

હનુમા વિહારી નીચલા ક્રમમાં ટીમના પ્લેઇંગ 11નો ભાગ છે. તેણે 12 ટેસ્ટ મેચમાં 624 રન બનાવ્યા છે. તેના ખાતામાં 1 સદી અને 4 અડધી સદી છે. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર જયંત યાદવે 5 ટેસ્ટ મેચમાં 16 વિકેટ ઝડપી છે.

આ આંકડાઓને જાણવું મહત્વપૂર્ણ છે કારણ કે તે ટેસ્ટ ક્રિકેટમાં આ તમામની ક્ષમતા દર્શાવે છે. આ આંકડાઓને હજુ વધુ સુધારવાનો પડકાર છે. જેના માટે ટેસ્ટ દક્ષિણ આફ્રિકાના મેદાનમાં યોજાશે.

આ પણ વાંચોઃ R Ashwin: રવિ શાસ્ત્રીનુ ચોંકાવનારુ નિવેદન, કહ્યુ રવિચંદ્રન અશ્વિનને મારા કારણે દુઃખ પહોંચ્યુ હોય તો હું ખૂશ છું!

આ પણ વાંચોઃ IPL 2022 Mega Auction: આગામી ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં યોજાશે મેગા ઓક્શન, અમદાવાદ અને લખનઉ સહિતની 10 ફેન્ચાઇઝી આ દિવસે થશે એકઠા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">