IND vs NZ: રોહિત શર્માએ અતિશય ક્રિકેટને લઇને કહ્યુ, ખેલાડી મશીન નથી, દરરોજ મેદાનમાં ના આવી શકે

ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓ જૂનથી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને તેના કારણે તાજેતરના સમયમાં વર્કલોડ મેનેજમેન્ટનો મુદ્દો ખૂબ જોરથી ઉઠાવવામાં આવ્યો છે.

IND vs NZ: રોહિત શર્માએ અતિશય ક્રિકેટને લઇને કહ્યુ, ખેલાડી મશીન નથી, દરરોજ મેદાનમાં ના આવી શકે
Rohit sharma-Venkatesh Iyer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 10:31 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket) ના ખેલાડીઓ જૂન મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યા છે. જૂનમાં, ભારતીય ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC WTC Final)માં ભાગ લીધો હતો. આ પછી, ઈંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી, જેની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી, ખેલાડીઓ IPL-2021ના બીજા ભાગમાં UAEમાં અને પછી ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup-2021) માં રમ્યા. ટીમ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને સુપર-12થી આગળ વધી શકી ન હતી.

આ પછી પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને વિરાટ કોહલી (Virat Kohli) એ વર્કલોડ મેનેજમેન્ટ વિશે વાત કરી. ભારતની T20 ટીમના નવા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમ બુધવારે જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભાગ લેશે. આ મેચ પહેલા રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. અમે ઘણી બધી મેચો રમીએ છીએ. તમારા શરીરનું મોનિટર કરવું મહત્વપૂર્ણ છે. અમારા ખેલાડીઓ મશીન નથી. તે દરરોજ સ્ટેડિયમમાં આવી શકતા નથી. તેમને આરામ કરવા માટે થોડો સમય જોઈએ છે, તાજા થવું મહત્વપૂર્ણ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ખેલાડીઓને આપ્યો આરામ

રોહિતે કહ્યું કે આ કારણોસર કેટલાક ખેલાડીઓને T20 અને ટેસ્ટ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેણે કહ્યું, અમે T20 શ્રેણીમાં કેટલાક ખેલાડીઓને આરામ આપ્યો છે અને ટેસ્ટ શ્રેણીમાંથી પણ ખેલાડીઓને આરામ આપ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા ખેલાડીઓ આગળના પડકાર માટે માનસિક રીતે ફ્રેશ રહે. અમારે દરેક શ્રેણીમાં આ વસ્તુ પર નજર રાખવી પડશે.

રાજ્યની ટીમમાં ક્યાં રમો છો કોઈ ફરક પડતો નથી

રોહિતે એમ પણ કહ્યું છે કે ખેલાડીઓ તેમના રાજ્યની ટીમમાં કે IPL ફ્રેન્ચાઇઝીમાં ક્યાં રમે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેણે કહ્યું, અમારે યોગ્ય નમૂનો સેટ કરવો પડશે અને તે થાય તે માટે અમારે થોડું કામ કરવાની જરૂર છે. ભારતીય ટીમ આ ફોર્મેટમાં શાનદાર રહી છે, એટલું જ કે અમે ICC ટૂર્નામેન્ટ જીતી શક્યા નથી. અમે એક ટીમ તરીકે સારું રમ્યા છીએ અને સારું પ્રદર્શન કર્યું છે. દેખીતી રીતે જ કેટલીક જગ્યાઓ છે જેને આપણે ભરવાની છે અને આ ટીમ માટે આ એક મોટો પડકાર છે. દરેક હરીફ ટીમમાં કમી હોય છે.

આ પણ વાંચોઃ ICC: આગામી 8 વર્ષમાં ભારતમાં 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી આયોજીત કરાશે, અમેરિકામાં રમાશે T20 વિશ્વકપ 2024

આ પણ વાંચોઃ IND vs NZ 1st T20: વેંકટેશ અય્યર પર રાહુલ દ્રવિડ આપી રહ્યા છે વિશેષ ધ્યાન, ખાસ ટિપ્સ આપવા સાથે મહત્વનો ઓલરાઉન્ડર બનાવવાનો પ્રયાસ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">