AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક ઇનીંગ, ઘાતક બનેલા ભૂવનેશ્વરના કમાલ સહિત આ 5 કારણોથી ભારતની જીત

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) શ્રીલંકા સામેની પ્રથમ T20I 62 રને જીતીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી.

IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક ઇનીંગ, ઘાતક બનેલા ભૂવનેશ્વરના કમાલ સહિત આ 5 કારણોથી ભારતની જીત
India Vs Sri Lanka: ભારત સિરીઝમાં 1-0 ની સરસાઇ મેળવી ચુક્યુ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:07 AM
Share

ભારતે ગુરુવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા (India Vs Sri Lanka) ને 62 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વ્હાઇટ-બોલ સિરીઝમાં સ્વીપ કર્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) આ શ્રેણીમાં પણ સકારાત્મક શરૂઆત કરી. T20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સતત 10મી જીત છે. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ભારતને વધુ એક જીત મળી છે. આ જીતમાં ટીમના બેટ્સમેન અને બોલરો બંનેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ શ્રીલંકાને નબળી બોલિંગનો માર સહન કરવો પડ્યો હતો.

ટીમની જીતમાં ઓપનર ઈશાન કિશન અને રોહિત શર્માની ઈનિંગ્સ મહત્વની રહી હતી. ટીમને રોહિત-ઈશાન દ્વારા સારી શરૂઆત અપાઈ હતી, જેના કારણે ભારતની મજબૂત સ્થિતિ થઇ શકી હતી. બાકીનું કામ શ્રેયસ અય્યરે પૂરું કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ માત્ર બેટિંગ જ નહીં પરંતુ બોલિંગમાં પણ કમાલ કર્યો હતો અને શ્રેણીની પ્રથમ મેચ એકતરફી રીતે જીતી હતી.

1. રોહિત શર્મા-ઈશાન કિશનની ભાગીદારી

રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 71 બોલમાં 111 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ શ્રીલંકાના બોલરોનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો હતો. એક તરફ ઈશાન આક્રમક બેટિંગ કરી રહ્યો હતો તો બીજી તરફ રોહિત પણ ખરાબ બોલને છોડતો નહોતો. તેના સંયમના કારણે જ ઈશાનને મુક્તપણે રમવાની તક મળી અને શ્રીલંકાની ટીમ 12મી ઓવર સુધી વિકેટ માટે ઝંખતી રહી હતી.

2. ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સ

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં સંઘર્ષ કરી રહેલા ઈશાન કિશને શ્રીલંકા સામેની પહેલી જ મેચમાં તોફાની બેટિંગ કરી હતી. ઓપનિંગમાં આવતા જ ઈશાને 56 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 158.93 હતો. ઈશાન ઈનિંગની સમાપ્તિની ત્રણ ઓવર પહેલા જ આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમને સારો સ્કોર અપાવી દીધો હતો. તેણે પોતાનુ અર્ધશતક માત્ર 30 બોલમાં જ ફટકાર્યુ હતુ.

3. શ્રેયસ અય્યરનુ તોફાની અર્ધશતક

શ્રેયસ અય્યરે ઈશાન કિશન અને રોહિત શર્માની આપેલી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવાનું કામ કર્યું. બંને ઓપનરોની વિદાય બાદ તેણે ગિયર બદલ્યો અને શ્રીલંકાના બોલરોને તોફાની રીતે ધુલાઇ કરી હતી. ઈશાન કિશન આઉટ થયો ત્યાં સુધીમાં ઐય્યરે 14 બોલમાં માત્ર 17 રન બનાવ્યા હતા. જોકે આ પછી તેણે આગામી 14 બોલમાં 40 રન બનાવ્યા હતા. અય્યરે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અય્યરનો સ્ટ્રાઈક રેટ 203.57 હતો.

4. ભુવનેશ્વર કુમારે પ્રથમ બોલે જ શ્રીલંકાને ઝટકો આપ્યો

શ્રીલંકાને ખાતું ખોલવાની ભુવનેશ્વર કુમારે પણ તક આપી ન હતી અને તેનો સ્ટાર બેટ્સમેન પથુમ નિસાંકા ઇનિંગના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જનિત સાથે કામિલ મિશારા ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરે એ પહેલા જ ભુવીએ તેની બીજી ઓવરમાં તેને પણ પેવેલિયન તરફ ચાલતો કર્યો હતો. 15 રન પર ભુવીએ હરીફ ટીમને ઓપનીંગ જોડીને પરત મોકલી દીધી હતી. અહીંથી જ તેમના પર સર્જાયેલા દબાણને કારણે તે અંત સુધી પરત ફરી શક્યા નહોતા.

5. શ્રીલંકાની નબળી બોલિંગ અને ફિલ્ડિંગ

શ્રીલંકાના બોલરોએ ભારતીય બેટ્સમેનોને રન બનાવવાની પૂરી તક આપી હતી. તેમની લાઇન-લેન્થ ખરાબ હતી અને ખરાબ ફિલ્ડિંગ પણ તેમાં સાથ પુરાવતી હતી. ટીમે ઈશાન કિશનને જીવનદાન આપ્યું, જેની કિંમત તેમને મોંઘી પડી. આ સિવાય ટીમ ઈન્ડિયાને ઘણી વખત તેમના ઓવર થ્રોના કારણે વધારાના રન પણ મળ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">