INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન

અમે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બુમરાહ, રિષભ પંત અને લોકેશ રાહુલને કેપ્ટન તરીકે ગ્રુમ કરી રહ્યા છીએ: ચેતન શર્મા

INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન
Rohit Sharma and Jasprit Bumrah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 4:34 PM

રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, “તે શ્રીલંકા (Sri Lanka Cricket) સામેની આગામી ટી20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઉપ સુકાની બનાવવા પર ખુશ છે. તેણે કહ્યું કે જો કોઇ બોલર કે બેટ્સમેન લીડરશિપ ગ્રુપનો ભાગ બને છે તો તેને કોઇ જ તકલીફ નથી. બુમરાહને આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં થયેલ વન-ડે સીરિઝ માટે પહેલીવાર ભારતનો ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને આ ભુમિકા સોપવામાં આવી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જસપ્રીત બુમરાહને લોકેશ રાહુલની ગેરહાજરીમાં શ્રીલંકા સામેની સ્થાનિક સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો છે. રાહુલ આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ભારતનો ઉપ સુકાની બન્યો હતો. જ્યારે રિષભ પંતને ટી20 સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. રિષભ પંતે પણ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બ્રેક લીધો છે.

જાણો, વર્ચુઅલ પત્રકાર પરિષદમાં રોહિત શર્માએ શું કહ્યું,

તેનાથી કોઇ ફર્ક નથી પડતો કે તે બેટ્સમેન છે કે બોલર. હું તેને સારી રીતે ઓળખું છું અને હું સમજુ છું કે તેની પાસે કેવું ક્રિકેટનું દિમાગ છે. લીડરશિપના રોલની ભુમિકામાં પગલું મુકવું તેના માટે સારૂ રહેશે. તે પોતાની રમતને એક આગળના લેવલ સુધી લઇ ગયો છે. મને વિશ્વાસ છે કે આગળ પણ તે વધતો રહેશે. આ ભુમિકા જે તેને મળી છે તેનાથી તેનો આત્મવિશ્વાસ વધારે વધશે.

બુમરાહ, પંત અને રાહુલ લીડરશિપ માટે સંભવિત દાવેદાર છેઃ રોહિત શર્મા

આ વચ્ચે રોહિત શર્માએ એ પણ કહ્યું કે બુમરાહ, રાહુલ અને રિષભ પંત ટીમમાં લીડરશિપની ભુમિકા માટે મજબુત દાવેદાર છે. તેણે વધુમાં કહ્યું કે, “જો તમે જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ અને રિષભ પંત વિશે વાત કરો છો તો આ તમામ લોકોએ ભારતીય ક્રિકેટમાં ભવિષ્યમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવવી પડશે.”

હાલમાં જ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પણ કહ્યું હતું કે અમે રોહિત શર્માની લીડરશિપમાં લોકેશ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સુકાની માટે ગ્રુપ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચો : IND vs SL: વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરી પહોંચી શકે છે નંબર 1 સ્થાન પર

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">