AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB વિક્ટ્રી પરેડ : બહાર લોકો મૃત્યુ પામ્યા, અંદર RCB ઉજવણી કરી રહ્યું હતું … BCCIએ ઉઠાવ્યા સવાલો

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી જતા RCBની જીતનો જશ્ન ઝાંખો પડી ગયો, જેમાં 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. BCCIએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે અને આયોજકો પર પ્રશ્નો ઉભા કર્યા છે.

RCB વિક્ટ્રી પરેડ : બહાર લોકો મૃત્યુ પામ્યા, અંદર RCB ઉજવણી કરી રહ્યું હતું ... BCCIએ ઉઠાવ્યા સવાલો
RCB Victory Parade BengaluruImage Credit source: PTI
Follow Us:
| Updated on: Jun 04, 2025 | 9:26 PM

એક તરફ જ્યારે વિરાટ કોહલી, રજત પાટીદાર સહિત આખી RCB ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર IPL ટ્રોફી ઉપાડીને ઉજવણી કરી રહી હતી, ત્યારે બીજી તરફ, 10 RCB ચાહકોએ જીવ ગુમાવ્યા. કોઈએ પોતાના પિતા ગુમાવ્યા, કોઈએ પોતાના પુત્ર ગુમાવ્યા, તો કોઈએ પોતાની માતા ગુમાવી. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે IPL ચેરમેન અરુણ ધુમલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું – કઈ ઉજવણી? બીજી તરફ, BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ ઘટના પર જ પ્રશ્નો ઉઠાવ્યા.

BCCIએ RCBની ઉજવણી પર સવાલ ઉઠાવ્યા

RCBની ઉજવણી દરમિયાન બનેલી ઘટના પર BCCIએ દુ:ખ વ્યક્ત કર્યું છે. BCCIના સચિવે કહ્યું કે આયોજકોએ સારી તૈયારી સાથે કાર્યક્રમ કરવો જોઈતો હતો. દેવજીત સૈકિયાએ કહ્યું, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, RCBની જીત પછી આયોજકોએ કાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન કરવું જોઈતું હતું. જ્યારે આવી વિજય ઉજવણી થાય છે, ત્યારે યોગ્ય સુરક્ષા પગલા લેવા જોઈએ.’ BCCIના સચિવે ક્યાંક આયોજકો પર પ્રશ્નો ઉભા કર્યા છે.

IPL ચેરમેનને વિક્ટ્રી પરેડ વિશે પણ ખબર નથી

જ્યારે એક ચેનલે IPL ચેરમેન અરુણ ધુમલ સાથે વાત કરી, ત્યારે તેમને આ વિક્ટ્રી પરેડ વિશે ખબર નહોતી. તેમણે કહ્યું કે આ દુર્ધટના દુઃખદ છે પરંતુ IPL ચેરમેનને આ વિશે કોઈ માહિતી નહોતી. અરુણ ધુમલએ કહ્યું કે તેમણે RCB મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને પૂછ્યું છે કે આયોજન કોણ કરી રહ્યું હતું? તમને જણાવી દઈએ કે આ દુર્ધટના પછી, RCBને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે આ દુર્ધટના પછી, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ રદ કરવો જોઈતો હતો.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ

RCBની જીત બાદ, બેંગલુરુમાં ચાહકો સવારથી જ તેમની ટીમનું સ્વાગત કરવા માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. ટીમ વિધાનસભાથી RCB સુધી ખુલ્લી બસમાં વિજય પરેડ કરવાની હતી. પરંતુ રસ્તા પર હજારો લોકોની ભીડને કારણે તે રદ કરવી પડી. અહેવાલો અનુસાર, આ દરમિયાન, પોલીસે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ચાહકો પર લાઠીચાર્જ કર્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ અને તેમાં 10 થી વધુ લોકોના મોત નીપજ્યા.

આ પણ વાંચો: RCB વિક્ટ્રી પરેડ : લાખોની ભીડને સંભાળવા માટે માત્ર 5000 પોલીસ, બેંગલુરુમાં લાઠીચાર્જ પર ઉઠ્યા સવાલો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">