AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેપ્ટન રોહિત શર્માના યો-યો ટેસ્ટ પાસ કરવા પર ઉઠ્યા સવાલો, ફેન્સે કરી અજીબ માંગ

બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા એશિયા કપની તૈયારીમાં વ્યસ્ત છે, જ્યાં તમામ ખેલાડીઓનો યો-યો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. વિરાટ કોહલી ઉપરાંત હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ સરળતાથી પાસ કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ આમાં સફળતા મેળવી છે. જોકે કેટલાક ચાહકો આ ટેસ્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

કેપ્ટન રોહિત શર્માના યો-યો ટેસ્ટ પાસ કરવા પર ઉઠ્યા સવાલો, ફેન્સે કરી અજીબ માંગ
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 1:31 PM
Share

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ (Asia Cup 2023)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કર્ણાટકના અલુરમાં ટીમ ઈન્ડિયાનો કેમ્પ લગાવવામાં આવ્યો છે, જ્યાં પહેલા દિવસે તમામ ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ કરવામાં આવી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય ખેલાડીઓની યો-યો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. સમાચાર અનુસાર દરેકે આ ટેસ્ટ પાસ કરી છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ના યો-યો ટેસ્ટ પાસ કરવા પર સવાલો ઉઠી રહ્યા છે.

યો-યો ટેસ્ટને લઈ ફેન્સની માંગ

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ બધાની સામે યો-યો ટેસ્ટ (Yo-Yo Test) કરાવવાની વાત પણ કરી હતી.એક ચાહકે સોશિયલ મીડિયા પર લખ્યું કે રોહિત શર્માના યો-યો ટેસ્ટ પાસ કરવાના સમાચાર નકલી છે. એક વ્યક્તિએ આ ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિશે જણાવ્યું.

રોહિતના યો-યો ટેસ્ટ પર સવાલ કેમ?

હવે સવાલ એ છે કે રોહિત શર્માની યો-યો ટેસ્ટને નકલી કેમ કહેવામાં આવી રહી છે? વાસ્તવમાં આ પહેલીવાર નથી જ્યારે રોહિત શર્માની ફિટનેસ પર આવા સવાલો ઉઠી રહ્યા છે. ઘણા વર્ષોથી રોહિત ફિટનેસના મુદ્દે ફેન્સના સવાળોથી ઘેરાયેલો રહ્યો છે. જોકે ભારતીય કેપ્ટન હંમેશા આ કસોટીમાં પાસ થયો છે.

વિરાટે યો-યો ટેસ્ટ શેર કરી ભૂલ કરી !

જ્યાં એક તરફ રોહિત શર્માના યો-યો ટેસ્ટ પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ વિરાટ કોહલી પણ આ ટેસ્ટ બાદ મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ સરળતાથી પાસ કર્યા બાદ પોતાનો સ્કોર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે BCCIને તે પસંદ નહોતું આવ્યું અને આ પછી, BCCIએ તમામ ખેલાડીઓને તેમના યો-યો સ્કોર શેર ન કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો : સિરાજ કે શમી – પાકિસ્તાન સામે કોને મળશે તક? રોહિત-દ્રવિડ સામે સૌથી મોટો સવાલ

4 ખેલાડીઓનો યો-યો ટેસ્ટ નહીં થાય

ટીમ ઈન્ડિયાના કેમ્પમાં માત્ર એ જ ખેલાડીઓની તપાસ કરવામાં આવી છે જેઓ આયર્લેન્ડ શ્રેણીમાં રમી રહ્યા ન હતા. મતલબ કે જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા અને સંજુ સેમસનનો યો-યો ટેસ્ટ થશે નહીં. આમાંથી ત્રણ ખેલાડીઓની એશિયા કપ માટે પસંદગી કરવામાં આવ્યા છે. જ્યારે સંજુ સેમસન બેકઅપ તરીકે શ્રીલંકા જશે. ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે 30 ઓગસ્ટે રવાના થશે અને પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">