AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિરાજ કે શમી – પાકિસ્તાન સામે કોને મળશે તક? રોહિત-દ્રવિડ સામે સૌથી મોટો સવાલ

મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા માટે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ ટીમ ઈન્ડિયા સમક્ષ પડકાર એશિયા કપ માટે પ્લેઈંગ ઈલેવનમાં બેમાંથી કોઈ એકને પસંદ કરવાનો છે. ટીમ ઈન્ડિયા કોને તક આપશે તે જોવું રોમાંચક રહેશે.

સિરાજ કે શમી - પાકિસ્તાન સામે કોને મળશે તક? રોહિત-દ્રવિડ સામે સૌથી મોટો સવાલ
Shami-Siraj
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 10:36 AM
Share

એશિયા કપ (Asia Cup 2023)ની તૈયારી માટે ભારતીય ક્રિકેટ ટીમનો કેમ્પ બેંગલુરુમાં શરૂ થઈ ગયો છે. જેના પ્રથમ દિવસે યો-યો સહિત અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેથી તેમની ફિટનેસ જાણી શકાય. હવે આજથી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટિસની સાથે પ્લેઈંગ ઈલેવન જેવા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ થશે. જેમાં મોહમ્મદ શમી (Mohammed Shami) અને મોહમ્મદ સિરાજમાંથી કોને તક આપવી તે સવાલનો જવાબ મેળવવા કેપ્ટન અને કોચ પ્રયત્ન કરશે.

પ્લેઈંગ 11માં સ્થાનને લઈ થશે ચર્ચા

એશિયા કપ માટે સિલેકટ થયેલ ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલરોમાં જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ સિવાય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યા પસંદગી માટે ઉપલબ્ધ છે, જેમાંથી ત્રણ ફાસ્ટ બોલરોને તક મળી શકે છે. બુમરાહ અને પંડ્યાનું સ્થાન નિશ્ચિત છે. આ સિવાય બે સ્પિનરોમાં કુલદીપ, જાડેજા અને અક્ષરમાંથી બે ખેલાડીને તક મળશે, એવામાં સિરાજ અને શમીમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને જ તક મળશે એવું લાગી રહ્યું છે. ટીમ બંનેને પણ રમાડી શકે છે, પરંતુ આવું કરવાથી ટીમની બેટિંગમાં તાકાત ઓછી થઈ જશે. એવામાં કોને તક મળશે એ મોટો પ્રશ્ન છે.

શમીનો અનુભવ અને મજબૂત રેકોર્ડ

32 વર્ષીય અનુભવી પેસર શમીએ અત્યાર સુધી 90 વનડે રમી છે અને 162 વિકેટ લીધી છે. તેની એવરેજ 26 છે અને સ્ટ્રાઈક રેટ 27.80 છે. શમીની ખાસિયત નવા બોલ સાથે સ્વિંગનો ઉપયોગ છે, જે બેટ્સમેનો માટે મુશ્કેલી બની જાય છે. ઉપરાંત તે વચ્ચેની ઓવરોમાં પણ ટૂંકા બોલનો સારો ઉપયોગ કરે છે. જોકે, ડેથ ઓવરોમાં તે બહુ અસરકારક રહ્યો નથી. શમીએ 2019ના વર્લ્ડ કપ બાદ માત્ર 23 ODI રમી છે, જેમાં તેણે 30ના સ્ટ્રાઈક રેટ અને 30ની એવરેજથી 35 વિકેટ લીધી છે. છેલ્લા કેટલાક સમયમાં તેનું ફોર્મ બહુ એવરેજ રહ્યું છે.

સિરાજ છેલ્લા દોઢ વર્ષમાં શાનદાર ફોર્મમાં

તેની સરખામણીમાં સિરાજે 2019માં પ્રથમ વનડે રમ્યા બાદ 2022થી અત્યાર સુધીમાં છેલ્લા દોઢ વર્ષમાં 23 વનડે રમી છે અને તે સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર સાબિત થયો છે. 1 જાન્યુઆરી, 2022થી બુમરાહ ICC રેન્કિંગમાં બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આ 23 મેચોમાં 19ની એવરેજ અને 24ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 43 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી પણ 4.62ની છે. સિરાજ આ વર્ષની શરૂઆતમાં ICC રેન્કિંગમાં પણ નંબર વન પર પહોંચી ગયો હતો. નવા બોલથી પાવરપ્લેમાં વિકેટ લેવામાં તે સતત સફળ રહ્યો છે.

આ પણ વાંચો : PAK vs AFG: બાબર આઝમ અફઘાનિસ્તાનના હાથે અપમાનથી બચી ગયો, છેલ્લી ઓવરમાં અદ્ભુત ડ્રામા

પાકિસ્તાન સામે કોણ રમશે?

આવી સ્થિતિમાં બુમરાહ સાથે તેની જોડી ટીમ માટે મજબૂત સાબિત થઈ શકે છે. આમ છતાં શમીનો અનુભવ અને ટ્રેક રેકોર્ડને અવગણી શકાય તેમ નથી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે અને તે પહેલા આ કેમ્પમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">