Breaking News : IPL મેચ પછી આખી રાત ખેલાડીઓ ક્યાં ગાયબ થતાં ? CSKના એક ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
આઈપીએલની દીવાનગી ચાહકો વચ્ચે દરેક સીઝનમાં વધી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ભારતીય ખેલાડી ચેતેશ્વર પુજારાએ આઈપીએલના શરુઆતના દિવસોને લઈ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તો ચાલો જાણીએ આ વિશે.

આઈપીએલે અનેક ખેલાડીઓની કિસ્મત રાતો રાતબદલવાનું કામ કર્યું છે. ભારત જ નહી પરંતુ દુનિયાભરના અનેક ખેલાડીઓને આઈપીએલ દ્વારા સાચી ઓળખ મળી છે. આઈપીએલમાં મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનાર ખેલાડીઓ મેચ પછી પાર્ટીઓ કરતા હોય છે. મોડી રાત સુધી ચાલનારી પાર્ટી અને ફ્રેન્ચાઈઝીની સાથે માલિકો માટે ખેલાડીઓનું બોન્ડિંગ પણ આઈપીએલને ખાસ બનાવે છે.
હાલમાં ટીમ ઈન્ડિયાના2 દિગ્ગજો ચેતેશ્વર પુજારા અને ઈરફાન પઠાણે આઈપીએલના શરુઆતના દિવસો અને મોડી સાંજ સુધી પાર્ટીના કેટલાક રસપ્રદ કિસ્સા શેર કર્યા છે.
પિતાએ બાળપણથી તેને સવારે જલ્દી ઉઠવાની આદત પાડી
વર્ષ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે આઈપીએલનો ખિતાબ જીતનાર ચેતેશ્વર પુજારા મેદાન પર શાંત જોવા મળે છે. રમત સિવાય પુજારા પોતાની પર્સનલ લાઈફને લઈ સમયસર કામ પૂર્ણ કરનાર રહ્યો છે. પુજારાએ કહ્યું તેના પિતાએ બાળપણથી તેને સવારે જલ્દી ઉઠવાની આદત નાંખી છે. પરંતુ જ્યારે તે આઈપીએલમાં આવ્યો તો અહી વાતાવરણ બિલકુલ અલગ હતુ.
View this post on Instagram
રાતે 2 વાગ્યે શરુ થતી હતી આઈપીએલની પાર્ટીઓ
ચેતેશ્વર પુજારા મુજબ મેચ પછી પાર્ટીઓ મોડી સાંજે શરુ થતી હતી. સમયપાલન કરનાર પૂજારા સૌથી પહેલા પહોંચતો, પણ બીજા ખેલાડીઓ સવારે 3 વાગ્યા સુધીમાં આવી જતા. પૂજારા થોડી રાહ જોતો, પછી પોતાના રૂમમાં સૂઈ જતો, અને હંમેશની જેમ સવારે 7 વાગ્યે ઉઠી જતો.
View this post on Instagram
રાતભર ગાયબ રહેતા હતા આ ખેલાડીઓ
શરુઆતમાં જ્યારે પુજારાએ સવારે અન્ય ખેલાડીઓને નાસ્તાના ટેબલ પર જોતો તો તેને લાગ્યું કે, પોતાની જેમ અન્ય ખેલાડીઓને પણ સવારે વહેલા ઉઠવાની આદત છે. પરંતુ આ વિશે સાચું કારણ પછી જાણવા મળ્યું કે, તે ખેલાડીઓ સવારે ઉઠતા ન હતા પરંતુ આખી રાત પાર્ટી કર્યા પછી સીધા સુવા જતા પહેલા નાસ્તો કરતા હતા. નાસ્તો કર્યા પછી સુવા જતા હતા.
