Asia Cup 2023: પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો

રમીઝ રાજા જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પ્રમુખ હતો ત્યારે તેમણે ધમકી આપી હતી કે જો એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવશે તો પાકિસ્તાન ટૂર્નામેન્ટ નહીં રમે. આ પછી, તેણે તેની અધ્યક્ષપદની ખુરશી પણ ગુમાવી દીધી અને હવે તે ટૂર્નામેન્ટની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર થઈ ગયો છે.

Asia Cup 2023: પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો
Ramiz Raja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 1:42 PM

થોડા મહિના પહેલા સુધી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (Pakistan) નહીં જાય તો એશિયા કપમાંથી ખસી જવાની ધમકી આપનાર રમીઝ રાજાને ટૂર્નામેન્ટની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી, જેમાં રવિ શાસ્ત્રી, વસીમ અકરમ, ગૌતમ ગંભીર, એન્ડી ફ્લાવર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે, પરંતુ દિગ્ગજોથી ભરેલી આ યાદીમાંથી રમીઝ રાજા (Pakistan)નું નામ ગાયબ છે.

એશિયા કપ હોસ્ટ કરવાને લઈ વિવાદ

એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. મુલતાનમાં ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ક્વોલિફાયર નેપાળ વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. વાસ્તવમાં, આખી ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનમાં રમવાની હતી, પરંતુ ભારતે સ્પષ્ટપણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો, ત્યારબાદ શ્રીલંકાને સંયુક્ત યજમાન બનાવવામાં આવ્યું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી

રમીઝ રાજાએ કોઈપણ રીતે પાકિસ્તાન સાથે હોસ્ટિંગ જાળવી રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. તે ધમકી આપવા સુધી પણ ઉતરી ગયા હતા. તેણે ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી. રમીઝ તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ હતો. PCBના અધ્યક્ષ તરીકે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો તેમની પાસેથી હોસ્ટિંગ છીનવી લેવામાં આવશે તો પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી જ ખસી જશે.

આ પણ વાંચો : 12 વર્ષની ઉંમરે UAE તરફથી ડેબ્યૂ, ધ હન્ડ્રેડમાં મચાવી દહેશત, હવે ઈંગ્લેન્ડે આપી છે પોતાની ટીમમાં તક

PCBનું અધ્યક્ષ પદ ગુમાવવું પડ્યું

એટલું જ નહીં, રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. જો કે આ પછી રમીઝ રાજાને તેનું પાકિસ્તાન ક્રીકટ બોર્ડનું અધ્યક્ષપદ પણ ગુમાવવું પડ્યું હતું અને તેમની જગ્યાએ નજમ સેઠીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ જૂનમાં તેમણે પણ પદ છોડી દીધું હતું અને તેમના પછી જકા અશરફ અધ્યક્ષ બન્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">