Ravindra Jadeja : દિગ્ગજ અને ઈન્ફોર્મ સ્પિનરની હાજરી છતાં જાડેજાની બોલિંગનો ચાલ્યો જાદુ

રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ભારતનો નંબર વન બોલર હતો. જાડેજાએ ધારદાર બોલિંગ કરી અને સૌથી વધુ 3 વિકેટ પણ લીધી હતી. સ્પિનર ​​તરીકે કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનની હાજરી છતાં જાડેજાએ તેની પ્રતિભા સાબિત કરી હતી.

Ravindra Jadeja : દિગ્ગજ અને ઈન્ફોર્મ સ્પિનરની હાજરી છતાં જાડેજાની બોલિંગનો ચાલ્યો જાદુ
Ravindra Jadeja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 10:41 AM

રવિવારે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયાને હરાવી જીત સાથે ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો. ભારતની જીતમાં સ્પિનર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ખાસ યોગદાન આપ્યું હતું.

બોલરોનું દમદાર પ્રદર્શન

બુમરાહે આપેલા પ્રારંભિક ઝટકા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમના સ્કોરબોર્ડને પચાસ રનને પાર પહોંચાડ્યું. પરંતુ ત્યારબાદ કુલદીપ યાદવે ડેવિડ વોર્નરને આઉટ કરી આ ભાગીદારી તોડી હતી. જોકે ખરું કામ ત્યારબાદ જાડેજાએ કર્યું હતું.

જાડેજાએ ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે લાવી દીધું

રવીન્દ્ર જાડેજાએ 10 બોલમાં ઓસ્ટ્રેલિયાને સંપૂર્ણપણે ઘૂંટણિયે લાવી દીધું. તેણે સ્ટીવ સ્મિથ જેવા અનુભવી બેટ્સમેનને બોલ્ડ કર્યો. તેની આગામી ઓવરના બીજા બોલ પર તેણે માર્નસ લાબુશેનને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. આ પછી, તે જ ઓવરમાં તેણે ખતરનાક બેટ્સમેન એલેક્સ કેરીને LBW કર્યો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જાડેજાએ એલેક્સ કેરીને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ સીધી નીચલા ક્રમમાં સરકી ગઈ. જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે 2 ઓવર મેડન પણ ફેંકી હતી.

જાડેજાની બોલિંગની ખાસિયત શું છે ?

જાડેજાની બોલિંગમાં સૌથી મહત્ત્વનું પાસું તેનો આત્મવિશ્વાસ છે. તે એવા બોલરોમાંથી એક છે જે પોતાના પર વિશ્વાસ રાખે છે. તે દબાણમાં બોલિંગ કરતો નથી. તે પોતાના બોલની ઝડપ સાથે સતત પ્રયોગ કરતો રહે છે. છેલ્લા ઘણા સમયથી જાડેજા લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. જે સ્પિન બોલિંગના મામલે પ્રમાણમાં થોડો ઝડપી છે, પરંતુ આ તેની તાકાત છે.

જાડેજા ક્રીઝ પર ‘સ્પોટ’ પકડે છે અને પછી તેની આસપાસ સતત બોલિંગ કરે છે. એક ઓવરમાં એક જ વિકેટ પર સમાન 6 બોલ ફેંકવું કેટલું મુશ્કેલ છે. પણ જાડેજા ભટકતો નથી. તેની પાસે આ કામમાં નિપુણતા છે. આ છે જાડેજાની ‘ચોક્કસતા’.

અશ્વિન અને કુલદીપ સાથે શાનદાર બોલિંગ

કુલદીપ યાદવ અને આર અશ્વિને પણ શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે બે અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી. પરંતુ જાડેજા બંનથી આગળ રહ્યો હતો. વર્લ્ડ કપ પ્રથમ સ્પિનર ​​તરીકે કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ હતો. એશિયા કપ બાદ એક ઓફ સ્પિનર આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તે પ્રથમ પસંદ બની ગયો.

આ પણ વાંચો : KL Rahul : હું સ્નાન કરી ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો જ ત્યારે, રાહુલે મેચ પછી આવું કેમ કહ્યું?

ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી હતી કે હવે કુલદીપ યાદવની સરખામણીમાં આર અશ્વિન સ્પિન કેપ્ટન તરીકે પ્રથમ પસંદગી હશે. કારણ કે આર અશ્વિન નીચલા ક્રમમાં કુલદીપ યાદવ કરતાં વધુ સારી બેટિંગ કરી શકે છે. એટલે કે ચર્ચા એ હતી કે ભારતીય ટીમ જે મેચમાં સ્પેશિયાલિસ્ટ સ્પિનર ​​ઉતારશે તેમાં આર અશ્વિન કે કુલદીપ યાદવ રમશે? પરંતુ જાડેજા અંગે કોઈ ચર્ચા થઈ નથી.

પ્રથમ સ્પિનર ​​તરીકે કુલદીપ હોય કે અશ્વિન, બીજા સ્પિનર ​​તરીકે રવીન્દ્ર જાડેજાને કોઈ રિપ્લેસ નહીં કરી શકે. અને હા, તે ટીમનો બીજો સ્પિનર ​​હોવાનું કહેવાય છે પરંતુ ઘણી વખત તે પહેલા સ્પિનરનું કામ કરે છે. ઓસ્ટ્રેલિયા સામે પણ તેણે આમ જ કર્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">