AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2023: અફઘાનિસ્તાનના સ્પિનરોથી ભયભીત પાકિસ્તાન, ચેન્નઈમાં રમવા નથી માંગતા મેચ

વનડે ક્રિકેટ વિશ્વ કપ 2023 નું આયોજન ભારતમાં થવાનું છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના વિશ્વ કપના કાર્યક્રમમાં બે મેચને લઇને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેન્નઇ અને બેંગલુરૂમાં આયોજિત બે મેચમાં ફેરફાર કરવા માંગે છે.

ODI World Cup 2023: અફઘાનિસ્તાનના સ્પિનરોથી ભયભીત પાકિસ્તાન, ચેન્નઈમાં રમવા નથી માંગતા મેચ
Pakistan fearful of Afghanistan spinners in Chennai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:42 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતમાં વનડે વિશ્વ કપ દરમિયાન કોઇક વિશેષ સ્થળો પર કોઇક ટીમો સામે રમવાને લઇને તૈયાર નથી જેમાં અફઘાનિસ્તાન સામે ચેન્નઇમાં અને ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરૂમાં રમવાનું સામેલ છે. એશિયા કપના આયોજનને લઇને સમસ્યાઓનો અંત આવ્યો છે અને પાકિસ્તાન ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વિશ્વ કપ માટે ભારતની મુલાકાતે આવે તેવી આશા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં હાઇ વોલટેજ મુકાબલો થવાની શક્યતા છે.

અફઘાનિસ્તાનના સ્પિનરોથી પાકિસ્તાન ભયભીત

વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC)એ પ્રસ્તાવિત કાર્યક્રમ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સહિત તમામ સભ્ય બોર્ડ પાસેથી સૂચનો માંગ્યા છે. પીટીઆઇના અહેવાલ મુજબ પાકિસ્તાનને ચેન્નઇમાં અફઘાનિસ્તાન સામે અને બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાને લઇને વાંધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ ટીમનો અસ્થાઇ કાર્યક્રમ સિલેક્ટર અને ક્રિકેટ એક્સપર્ટને મોકલ્યો છે જેમને સંભવિત પાકિસ્તાન ટીમની થોડીક મેચને લઇને વાંધો છે.

ચેન્નઈની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર અફઘાનિસ્તાન સામે રમવાનો અર્થ એ છે કે પાકિસ્તાનને રશીદ ખાન અને નૂર અહેમદ જેવા સ્પિનરો સામે રમવું પડશે, જેમણે આઇપીએલ 2023માં 16મી સીઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સ માટે સારું પ્રદર્શન કર્યું હતું.

બેંગલુરૂની પીચ બેટ્સમેન માટે અનુકુળ માનવામાં આવે છે અને પીચ હાઇ સ્કોરિંગ રહી છે એવામાં પાકિસ્તાનને ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા પર વાંધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે સિલેક્ટર્સે બોર્ડને સૂચન આપ્યું છે કે અફઘાનિસ્તાન સામે ચેન્નઈને સ્થળ તરીકે સ્વીકારવામાં ન આવે કારણ કે તે એક સ્ટેડિયમ છે જે ઐતિહાસિક અને આંકડાકીય રીતે સ્પિનરો માટે અનુકૂળ છે.

પાકિસ્તાનની ભારત સામે અમદાવાદમાં થશે ટક્કર

પીટીઆઇના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન બોર્ડને સૂચન આપવામાં આવ્યુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનની મેચોને ફરીથી શેડ્યૂલ કરવા કહેવું અને અફઘાનિસ્તાન સામે મેચ બેંગલુરુમાં અને ઓસ્ટ્રેલિયા સામે મેચ ચેન્નઈમાં ટીમની તાકાત અનુસાર આયોજિત કરાવી.નોંધપાત્ર છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતુ કે આઇસીસી બીજા ક્રિકેટ દેશો પાસે સૂચન માંગતી હોય છે જે એક પ્રોટોકોલ છે અને આયોજન સ્થળમાં ફેરફાર માટે માન્ય કારણ હોવું જોઇએ.

ભારત સામે વિશ્વ કપની મેચ અમદાવાદમાં રમવાને લઇને પાકિસ્તાન લગભગ તૈયાર છે પણ પીસીબી સૂત્રએ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય સરકાર કરશે. પાકિસ્તાને વિશ્વ કપ 2023ની શરૂઆતની બે મેચ હૈદરાબાદમાં 6 અને 12 ઓક્ટોબરે રમવાની છે. પાકિસ્તાનની મેચ આ સિવાય ચેન્નઇ, કોલકત્તા, બેંગલુરૂ અને અમદાવાદમાં રમાવાની આશા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">