AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma-Virat Kohli : ‘એક સિરીઝ રમીને થાકી ગયા હશે..’, રોહિત-વિરાટને આરામ મળતા ચાહકો ગુસ્સે થયા

Cricket : વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામે ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી થવાની છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ ODI ટીમનો ભાગ નથી. ખેલાડીઓને સતત આરામ કરતા જોઈને ચાહકો પણ હવે ગુસ્સે થઈ રહ્યા છે.

Rohit Sharma-Virat Kohli : 'એક સિરીઝ રમીને થાકી ગયા હશે..', રોહિત-વિરાટને આરામ મળતા ચાહકો ગુસ્સે થયા
Virat Kohli and Rohit Sharma (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 7:38 AM
Share

વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) પ્રવાસ પર યોજાનારી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને રિષભ પંત (Rishabh Pant) જેવા ખેલાડીઓને અહીં આરામ આપવામાં આવ્યો છે. જેને લઈને ક્રિકેટ ચાહકો ઘણા ગુસ્સે ભરાયા હતા. કારણ કે તમામ ખેલાડીઓ હાલમાં જ આરામ કરીને ટીમ સાથે જોડાયા છે. આવી સ્થિતિમાં તે લોકોને ફરી આરામ આપવામાં આવતા ચાહકોનો સોશિયલ મીડિયા પર એક સવાલ છે કે તેમને ફરીથી આરામ કેમ મળી રહ્યો છે.

શિખર ધવન (Shikhar Dhawan) ને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે સુકાની બનાવવામાં આવ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઉપ-સુકાની બનાવવામાં આવ્યો છે. ટીમની જાહેરાત થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર એક મુદ્દો બની ગયો હતો.

ઘણા ચાહકોએ ટ્વિટર (Twitter) પર લખ્યું કે, શું સિનિયર ખેલાડીઓ માત્ર એક કે બે શ્રેણી માટે જ ઉપલબ્ધ છે. ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા ખેલાડીઓ માત્ર 1 સિરીઝ રમીને થાકી ગયા હતા. ટ્વિટર યુઝર્સે ખેલાડીઓના ખરાબ ફોર્મ અને મોટા પ્રસંગે ટીમ ઈન્ડિયાની નિષ્ફળતા માટે વારંવાર બ્રેકને જવાબદાર ઠેરવી છે.

મહત્વનું છે કે હાલમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રિષભ પંત આખી IPL સિઝન રમી ચૂક્યા છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમાઈ. જેમાં રોહિત-વિરાટ-બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે રિષભ પંતે ટીમની કમાન સંભાળી હતી. તે પછી આયર્લેન્ડ શ્રેણીમાં બધાને આરામ મળ્યો.

હવે જ્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ થઈ ત્યારે રોહિત શર્માને કોરોના થઈ ગયો. ઇંગ્લેન્ડ સામેની T20, ODI શ્રેણી માટે દરેક લોકો ઉપલબ્ધ રહેશે. પરંતુ કોઈ વેસ્ટ ઈન્ડિઝ જશે નહીં. સિનિયર ખેલાડીઓને બ્રેક આપવાની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે. મહત્વનું છે કે કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આ વધુ બન્યું છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાઃ

શિખર ધવન (સુકાની), રવિન્દ્ર જાડેજા (ઉપ-સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">