AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma-Virat Kohli : ‘એક સિરીઝ રમીને થાકી ગયા હશે..’, રોહિત-વિરાટને આરામ મળતા ચાહકો ગુસ્સે થયા

Cricket : વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામે ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી થવાની છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ ODI ટીમનો ભાગ નથી. ખેલાડીઓને સતત આરામ કરતા જોઈને ચાહકો પણ હવે ગુસ્સે થઈ રહ્યા છે.

Rohit Sharma-Virat Kohli : 'એક સિરીઝ રમીને થાકી ગયા હશે..', રોહિત-વિરાટને આરામ મળતા ચાહકો ગુસ્સે થયા
Virat Kohli and Rohit Sharma (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 7:38 AM
Share

વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) પ્રવાસ પર યોજાનારી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને રિષભ પંત (Rishabh Pant) જેવા ખેલાડીઓને અહીં આરામ આપવામાં આવ્યો છે. જેને લઈને ક્રિકેટ ચાહકો ઘણા ગુસ્સે ભરાયા હતા. કારણ કે તમામ ખેલાડીઓ હાલમાં જ આરામ કરીને ટીમ સાથે જોડાયા છે. આવી સ્થિતિમાં તે લોકોને ફરી આરામ આપવામાં આવતા ચાહકોનો સોશિયલ મીડિયા પર એક સવાલ છે કે તેમને ફરીથી આરામ કેમ મળી રહ્યો છે.

શિખર ધવન (Shikhar Dhawan) ને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે સુકાની બનાવવામાં આવ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઉપ-સુકાની બનાવવામાં આવ્યો છે. ટીમની જાહેરાત થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર એક મુદ્દો બની ગયો હતો.

ઘણા ચાહકોએ ટ્વિટર (Twitter) પર લખ્યું કે, શું સિનિયર ખેલાડીઓ માત્ર એક કે બે શ્રેણી માટે જ ઉપલબ્ધ છે. ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા ખેલાડીઓ માત્ર 1 સિરીઝ રમીને થાકી ગયા હતા. ટ્વિટર યુઝર્સે ખેલાડીઓના ખરાબ ફોર્મ અને મોટા પ્રસંગે ટીમ ઈન્ડિયાની નિષ્ફળતા માટે વારંવાર બ્રેકને જવાબદાર ઠેરવી છે.

મહત્વનું છે કે હાલમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રિષભ પંત આખી IPL સિઝન રમી ચૂક્યા છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમાઈ. જેમાં રોહિત-વિરાટ-બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે રિષભ પંતે ટીમની કમાન સંભાળી હતી. તે પછી આયર્લેન્ડ શ્રેણીમાં બધાને આરામ મળ્યો.

હવે જ્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ થઈ ત્યારે રોહિત શર્માને કોરોના થઈ ગયો. ઇંગ્લેન્ડ સામેની T20, ODI શ્રેણી માટે દરેક લોકો ઉપલબ્ધ રહેશે. પરંતુ કોઈ વેસ્ટ ઈન્ડિઝ જશે નહીં. સિનિયર ખેલાડીઓને બ્રેક આપવાની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે. મહત્વનું છે કે કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આ વધુ બન્યું છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાઃ

શિખર ધવન (સુકાની), રવિન્દ્ર જાડેજા (ઉપ-સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">