MS Dhoni Surgery: ધોનીની હોસ્પિટલથી અપાઈ રજા, જાણો ક્યાં સુધીમાં થશે ફિટ

MS Dhoni Surgery: અમદાવાદમાં ફાઈનલ મેચ જીતીને ધોની સીધો જ મુંબઈ પહોંચ્યો હતો. જ્યાં ચેમ્પિયન કેપ્ટન ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી અને હવે તેને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે.

MS Dhoni Surgery: ધોનીની હોસ્પિટલથી અપાઈ રજા, જાણો ક્યાં સુધીમાં થશે ફિટ
Dhoni discharged from Hospital after knee Surgery
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:00 AM

IPL 2023 ની ફાઈનલ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી. પાંચમી વાર ચેન્નાઈ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બન્યુ છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચ બાદ ધોની તુરત જ મુંબઈ પહોંચ્યો હતો અને પોતાના ઘૂંટણની સમસ્યાને લઈ તેણે સર્જરી કરાવી હતી. મુંબઈના કોકીલાબેન હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ ધોનીને રજા આપી દેવામાં આવી છે. ધોનીને જોકે સંપૂર્ણ રીતે ઘૂંટણથી રાહત થતા બે મહિનાનો સમય લાગશે.

ધોની આઈપીએલની સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યાથી પરેશાન જોવા મળતો હતો. મેદાનમાં તે ઘૂંટણની પીડામાં નજર આવી રહ્યો હતો. આવી સ્થિતીમાં તે મેદાન પર રહ્યો અને ટીમને ચેમ્પિયન બનાવવા સુધીની સફરની આગેવાની કરી રહ્યો હતો. ધોની ફાઈનલ મેચ જીતીને પરિવાર સાથે જ સીધો મુંબઈ પહોંચ્યો હતો. જ્યાં તેના ઘૂંટણનો સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

ગઈ સાંજે અપાઈ રજા

મીડિયા રીપોર્ટ્સ મુજબ ગઈ સાંજે ધોનીને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. ધોનીએ મુંબઈની કોકલીબેન અંબાણી હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી હતીય જ્યાં ડો. દિનશા પારડીવાલાએ તેમનુ ઓપનરેશન કર્યુ હતુ. ડો. પારડીવાલાએ અગાઉ ઋષભ પંતને અકસ્માતમાં લીગામેન્ટની થયેલી ઈજાને લઈ સર્જરી કરી હતી.

ધોનીને સર્જરી બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને વાત કરી હતી. વિશ્વાનાથને ખુલાસો કર્યો હતો કે, તેઓએ સર્જરી બાદ ગઈકાલ સવારે ધોની સાથે વાત કરી હતી. ધોની સંપૂર્ણ રીતે ઠીક હોવાનુ લાગ્યુ હતુ.

ફિટ થવામાં કેટલો સમય લાગશે?

ધોની ફાઈનલ મેચ રમ્યા બાદ તુરત જ તે મુંબઈ પહોંચીને હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. જ્યાં શરુઆતમાં તેના ઘૂંટણના વિવિધ રિપોર્ટ્સ થયાના અને બાદમાં સર્જરીને લઈ સમાચાર આવ્યા હતા. ધોનીની સર્જરી બાદ હવે સવાલ એ છે કે, તે કેટલો સમયમાં ફિટ થઈ શકે છે. ધોનીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં 2 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાર બાદ ધોની ફરી દોડતો નજર આવશે.

ધોની આગામી સિઝનમાં મેદાનમાં જોવા મળશે કે કેમ એ અંગે અત્યારથી જ સવાલો થવા લાગ્યા છે. ધોની જલદી ફિટ થઈ જાય અને તેની ફિટનેશ જળવાઈ રહે એવી ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. જેથી હજુ વધુ એક સિઝનમાં તે એક્શનમાં જોવા મળી શકે. જોકે ચાહકોની આશા કેટલી ફળે છે એ જોવા માટે આગામી સિઝન સુધી રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ  Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન