AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની

એમએસ ધોની (MS Dhoni) આજે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હોત પણ તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો કેપ્ટન બન્યો, આ બધું કેવી રીતે થયું, કહાની ખૂબ જ રસપ્રદ છે.

IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની
મુંબઇને બદલે ચેન્નાઇ ની ટીમમાં આ રીતે પહોંચ્યો Ms dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:58 AM
Share

જ્યારે ટીમ ઇન્ડિયા માટે રમતો ત્યારે પણ હરીફ ટીમો તેને કેપ્ટન જ નહી પણ ટીમનો નિષ્ણાંત યોદ્ધા માનતા હતા. IPL  Auction માં પણ તેને લેવા માટે સ્વાભાવિક જ પડાપડી જ નહી પણ યુદ્ધ જામે જ. આ ખેલાડી એટલે નામ લીધા વિના જ આટલી વાતમાં સ્વિકારી લીધુ હશે તે જ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની વાત છે. તેને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) નુ મગજ માનવામાં આવે છે. ખેલાડીઓ ખરીદવાથી લઈને મેદાનમાં ઉતરવાની વ્યૂહરચના. ટીમમાં કયો ખેલાડી કઈ ભૂમિકામાં રમશે, ધોની બધું જ કરે છે. તે ધોની છે જેની પસંદ કરેલી ટીમ ચેન્નાઈ ને ચાર વખત IPL ચેમ્પિયન બનાવી છે. IPL 2020 સિવાય દરેક વખતે ટીમ ચોક્કસપણે પ્લેઓફમાં પહોંચી છે.

ધોનીએ બેટ્સમેન, કીપર અને લીડર તરીકે ચેન્નાઈને ઉંચાઈ પર પહોંચાડ્યું છે. પ્રશંસકો ધોની વિના ચેન્નાઈ સુપર કિંગ્સની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલની પ્રથમ હરાજીમાં એમએસ ધોની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમમાં જઈ શક્યો હોત, પરંતુ સચિનના કારણે આ ફ્રેન્ચાઈઝીએ માહીને ખરીદવાથી પીછેહઠ કરી અને આ અનુભવી ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં આવ્યો. ત્યારબાદ આ ટીમે IPL પર રાજ કર્યું.

વાત વર્ષ 2008ની છે જ્યારે IPLની શરૂઆત પહેલા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. દરેક ટીમ તેમની સાથે આઇકોન પ્લેયર પસંદ કરવા માંગતી હતી. દિલ્હી ડેરડેવિલ્સને જેમ વીરેન્દ્ર સેહવાગને પોતાની ટીમમાં જોઈતો હતો. પંજાબની ટીમને યુવરાજ જોઈતો હતો અને એ જ રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સચિન તેંડુલકરને ટીમમાં ઈચ્છતી હતી. હરાજી પહેલા આઇકોન ખેલાડીઓ શાસન કરે છે. નિયમ એવો હતો કે આઇકોન ખેલાડીને ટીમના સૌથી મોંઘા ખેલાડી કરતાં 10 ટકા વધુ પૈસા મળશે. ધોની કોઈપણ ટીમનો આઈકોન ખેલાડી નહોતો કારણ કે તેના રાજ્યની કોઈ ટીમ નહોતી.

ચેન્નાઈએ આઈકોન પ્લેયર પર દાવ લગાવ્યો ન હતો

જ્યાં તમામ ટીમ રાજ્યના આઇકોન ખેલાડીને ટીમમાં તેમની સાથે ઇચ્છતી હતી, તો બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સનો વિચાર અલગ હતો. ચેન્નાઈને ટીમમાં કોઈ આઈકોન ખેલાડી જોઈતો નહોતો. તેનો પહેલો અને છેલ્લો ધ્યેય પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને ખરીદવાનો હતો. પીટીઆઈ સાથેની ખાસ વાતચીતમાં બીસીસીઆઈ ચીફ એન શ્રીનિવાસને ધોનીને ખરીદવા અંગે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો.

શ્રીનિવાસને કહ્યું, “તમામ આઇકોન્સ ખેલાડીઓ ઇચ્છતા હતા અને તેમને ટીમના સૌથી વધુ પગાર મેળવનાર ખેલાડી કરતા 10 ટકા વધુ પૈસા મળવાના હતા. તેથી જ્યારે ધોની માટે બોલી લાગી ત્યારે હું કોઈપણ કિંમતે ધોનીને ખરીદવા તૈયાર હતો. ધોનીને ખરીદવા માટે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે મોટી લડાઈ થઈ હતી. જ્યારે ધોનીની 1.5 મિલિયન ડોલરની બોલી લગાવવામાં આવી ત્યારે મને લાગે છે કે મુંબઈને સમજાયું કે તેણે સચિનને ​​1.65 મિલિયન ડોલર ચૂકવવા પડશે. તે સમયે ટીમના પર્સમાં પાંચ મિલિયન હતા. મતલબ કે જો મુંબઈની ટીમે ધોનીને પણ ખરીદ્યો હોત તો પર્સમાંથી 60 ટકા રકમ આ બંને ખેલાડીઓને ખરીદવામાં ખર્ચાઈ ગઈ હોત. તેથી મુંબઈની ટીમ રોકાઈ ગઈ અને અમને ધોની મળ્યો.

આ પણ વાંચોઃ WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">