AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની

એમએસ ધોની (MS Dhoni) આજે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હોત પણ તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો કેપ્ટન બન્યો, આ બધું કેવી રીતે થયું, કહાની ખૂબ જ રસપ્રદ છે.

IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની
મુંબઇને બદલે ચેન્નાઇ ની ટીમમાં આ રીતે પહોંચ્યો Ms dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:58 AM
Share

જ્યારે ટીમ ઇન્ડિયા માટે રમતો ત્યારે પણ હરીફ ટીમો તેને કેપ્ટન જ નહી પણ ટીમનો નિષ્ણાંત યોદ્ધા માનતા હતા. IPL  Auction માં પણ તેને લેવા માટે સ્વાભાવિક જ પડાપડી જ નહી પણ યુદ્ધ જામે જ. આ ખેલાડી એટલે નામ લીધા વિના જ આટલી વાતમાં સ્વિકારી લીધુ હશે તે જ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની વાત છે. તેને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) નુ મગજ માનવામાં આવે છે. ખેલાડીઓ ખરીદવાથી લઈને મેદાનમાં ઉતરવાની વ્યૂહરચના. ટીમમાં કયો ખેલાડી કઈ ભૂમિકામાં રમશે, ધોની બધું જ કરે છે. તે ધોની છે જેની પસંદ કરેલી ટીમ ચેન્નાઈ ને ચાર વખત IPL ચેમ્પિયન બનાવી છે. IPL 2020 સિવાય દરેક વખતે ટીમ ચોક્કસપણે પ્લેઓફમાં પહોંચી છે.

ધોનીએ બેટ્સમેન, કીપર અને લીડર તરીકે ચેન્નાઈને ઉંચાઈ પર પહોંચાડ્યું છે. પ્રશંસકો ધોની વિના ચેન્નાઈ સુપર કિંગ્સની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલની પ્રથમ હરાજીમાં એમએસ ધોની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમમાં જઈ શક્યો હોત, પરંતુ સચિનના કારણે આ ફ્રેન્ચાઈઝીએ માહીને ખરીદવાથી પીછેહઠ કરી અને આ અનુભવી ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં આવ્યો. ત્યારબાદ આ ટીમે IPL પર રાજ કર્યું.

વાત વર્ષ 2008ની છે જ્યારે IPLની શરૂઆત પહેલા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. દરેક ટીમ તેમની સાથે આઇકોન પ્લેયર પસંદ કરવા માંગતી હતી. દિલ્હી ડેરડેવિલ્સને જેમ વીરેન્દ્ર સેહવાગને પોતાની ટીમમાં જોઈતો હતો. પંજાબની ટીમને યુવરાજ જોઈતો હતો અને એ જ રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સચિન તેંડુલકરને ટીમમાં ઈચ્છતી હતી. હરાજી પહેલા આઇકોન ખેલાડીઓ શાસન કરે છે. નિયમ એવો હતો કે આઇકોન ખેલાડીને ટીમના સૌથી મોંઘા ખેલાડી કરતાં 10 ટકા વધુ પૈસા મળશે. ધોની કોઈપણ ટીમનો આઈકોન ખેલાડી નહોતો કારણ કે તેના રાજ્યની કોઈ ટીમ નહોતી.

ચેન્નાઈએ આઈકોન પ્લેયર પર દાવ લગાવ્યો ન હતો

જ્યાં તમામ ટીમ રાજ્યના આઇકોન ખેલાડીને ટીમમાં તેમની સાથે ઇચ્છતી હતી, તો બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સનો વિચાર અલગ હતો. ચેન્નાઈને ટીમમાં કોઈ આઈકોન ખેલાડી જોઈતો નહોતો. તેનો પહેલો અને છેલ્લો ધ્યેય પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને ખરીદવાનો હતો. પીટીઆઈ સાથેની ખાસ વાતચીતમાં બીસીસીઆઈ ચીફ એન શ્રીનિવાસને ધોનીને ખરીદવા અંગે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો.

શ્રીનિવાસને કહ્યું, “તમામ આઇકોન્સ ખેલાડીઓ ઇચ્છતા હતા અને તેમને ટીમના સૌથી વધુ પગાર મેળવનાર ખેલાડી કરતા 10 ટકા વધુ પૈસા મળવાના હતા. તેથી જ્યારે ધોની માટે બોલી લાગી ત્યારે હું કોઈપણ કિંમતે ધોનીને ખરીદવા તૈયાર હતો. ધોનીને ખરીદવા માટે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે મોટી લડાઈ થઈ હતી. જ્યારે ધોનીની 1.5 મિલિયન ડોલરની બોલી લગાવવામાં આવી ત્યારે મને લાગે છે કે મુંબઈને સમજાયું કે તેણે સચિનને ​​1.65 મિલિયન ડોલર ચૂકવવા પડશે. તે સમયે ટીમના પર્સમાં પાંચ મિલિયન હતા. મતલબ કે જો મુંબઈની ટીમે ધોનીને પણ ખરીદ્યો હોત તો પર્સમાંથી 60 ટકા રકમ આ બંને ખેલાડીઓને ખરીદવામાં ખર્ચાઈ ગઈ હોત. તેથી મુંબઈની ટીમ રોકાઈ ગઈ અને અમને ધોની મળ્યો.

આ પણ વાંચોઃ WWE: આ 4 સુપર સ્ટાર રેસલર એક્ટીંગમાં પણ મચાવે છે ધમાલ, આ વર્ષે આવશે તેમની આ ફિલ્મો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">