AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: મોહમ્મદ સિરાજ T20 સિરીઝ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમવા પર આશંકા, ઇજાને લઇને સંકટ

જયપુરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ T20માં ઈજાના કારણે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) રાંચી T20 માંથી બહાર થયો હતો, પરંતુ હવે તેને ત્રીજી T20માંથી પણ બહાર થવાનો ખતરો છે.

IND vs NZ: મોહમ્મદ સિરાજ T20 સિરીઝ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમવા પર આશંકા, ઇજાને લઇને સંકટ
Mohammad Siraj
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 9:37 PM
Share

જયપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાયેલી પ્રથમ T20માં, ઈજાના કારણે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) રાંચી ટી20માંથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે તેને ત્રીજી T20માંથી પણ બહાર થવાનો ખતરો મંડરાયો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 21 નવેમ્બરે કોલકાતા (Kolkata) માં રમાશે. ત્રીજી T20 સિવાય ટેસ્ટ સિરીઝમાં પણ સિરાજના રમવા પર સસ્પેન્સ છે.

સિરાજને પ્રથમ T20I દરમિયાન ડાબા હાથમાં ઈજા થઈ હતી. હાલમાં, તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને ત્રીજી T20 અથવા ટેસ્ટ શ્રેણીમાં તેના રમવા અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ ટીમે લેવાનો છે.

મોહમ્મદ સિરાજ જયપુર T20માં પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. BCCI ની મેડિકલ ટીમ તેની ઈજા પર સતત નજર રાખી રહી છે, જે સંદર્ભે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

સિરાજને ત્રીજી T20 અને ટેસ્ટ શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ

સિરાજને ઈજાના કારણે રાંચી T20ની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી નહોતી. તેની જગ્યાએ હર્ષલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પરંતુ હવે ત્રીજી ટી20માં સિરાજના રમવા પર સસ્પેન્સ છે. આટલું જ નહીં, એવા સમાચાર પણ છે કે રોહિતને સિરાજનો લાભ નહીં મળે તો રહાણે અને વિરાટ પણ તેના લાભથી વંચિત રહી શકે છે. મતલબ સિરાજ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ જશે.

ટેસ્ટ સિરીઝ 25 નવેમ્બરથી શરૂ થશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી રમાશે. વિરાટ કોહલી મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. જ્યારે પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે કેપ્ટન અને ચેતેશ્વર પુજારા વાઇસ કેપ્ટન હશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી કાનપુરથી શરૂ થશે. કાનપુરનુ ગ્રીન પાર્ક પ્રથમ ટેસ્ટની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ પણ વાંચોઃ Tim Paine: ટિમ પેનની ખૂબસુરત પત્નિ બોની એ દિલ મોટુ રાખ્યુ, ગંદી હરકત કર્યા બાદ પણ કરી દીધો માફ

આ પણ વાંચોઃ IND vs NZ: માર્ટિન ગુપ્ટીલ T20I માં બન્યો કિંગ, વિરાટ કોહલીના બહાર રહેતા તોડી દીધો આ મહત્વનો રેકોર્ડ, રોહિત પણ રેસમાં

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">