IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો

IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના માલિક એન શ્રીનિવાસને એમએસ ધોની (MS Dhoni) પર ઘણી મોટી વાતો કહી

IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:56 AM

IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) આગામી સિઝનમાં રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. જોકે ધોનીએ ઈશારામાં આગામી સિઝનમાં રમવાની વાત કરી હતી. પરંતુ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પણ કહ્યું છે કે ફ્રેન્ચાઈઝીએ તેના પર પૈસા ન વેડફવા જોઈએ. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને ધોની પર મોટી વાત કરી કહી હતી.

ધોની આગામી આઈપીએલમાં રમશે કે નહીં તે અંગે શ્રીનિવાસને કોઈ સીધો જવાબ નથી આપ્યો, પરંતુ તેમણે કહ્યું કે તેનો જવાબ સારો જ છે. તેણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે ધોની આવતા વર્ષે પણ રમે. ધોની ખૂબ જ સારો માણસ છે. તે (ધોની) નથી ઈચ્છતો કે ચેન્નાઈ તેને જાળવી રાખીને તેમના પૈસા વેડફે.

એક ઈન્ટરવ્યુમાં શ્રીનિવાસને ધોનીના વખાણ કર્યા અને કહ્યું, ‘ધોની પ્રક્રિયાને અનુસરે છે. પરિણામો તેમના પોતાના પર આવે છે. ધોનીના કારણે જ માર્કેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું મૂલ્ય છે. શ્રીનિવાસને કહ્યું, ‘હું ચેન્નાઈ સુપર કિંગ્સમાં દખલ કરતો નથી. ટીમ સળંગ 2-3 મેચ હારે તો પણ હું ક્યારેય કશું બોલતો નથી. હું પોતે એક સ્પોર્ટ્સમેન રહ્યો છું અને રમતમાં જીત અને હાર હોય છે. મારા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ એક પરિવાર સમાન છે. હું તેને ફ્રેન્ચાઇઝી તરીકે જોતો નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધોનીને સંપૂર્ણ સ્વતંત્રતા છેઃ શ્રીનિવાસન

શ્રીનિવાસને કહ્યું કે તે ઇચ્છે છે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો રહે. તેમણે કહ્યું, ‘હું ઇચ્છું છું કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુ રમે. ધોની મારું ખૂબ સન્માન કરે છે અને હું તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપું છું. અમે બંને એક બીજાને બહુ મળી શકતા નથી કારણ કે તે ક્રિકેટર છે અને હું બિઝનેસમેન છું.

તેમણે આગળ કહ્યું, ‘ગૅરી કર્સ્ટને વર્લ્ડ કપ 2011 દરમિયાન મને કહ્યું હતું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેદાન પર ધોનીને કોઈ ટચ પણ કરી શકશે નહીં. ધોની આખા દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને તમિલનાડુમાં, લોકો તેને ખૂબ પ્રેમ કરે છે.

2018માં ચેમ્પિયન બનવું હતુ ખાસ-શ્રીનિવાસન

એન શ્રીનિવાસને કહ્યું કે જ્યારે ચેન્નઈ વર્ષ 2018માં IPL ચેમ્પિયન બન્યું ત્યારે તે ક્ષણ તેમના માટે ખાસ હતી. શ્રીનિવાસને કહ્યું કે, વર્ષ 2018ની જીત મારા માટે ખૂબ જ ખાસ રહી હતી. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે કેપ્ટન ધોની ભાવુક હતો. હું પણ ખૂબ જ ભાવુક હતો. કોઈ ખેલાડીએ મને પૂછ્યું નહોતુ કે શું થયું. બસ શ્રેષ્ઠ પ્રદર્શનની ભૂખ દરેકમાં દેખાતી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: ઇંગ્લેન્ડ પ્રથમ સેમિફાઇનાલિસ્ટ નિશ્વિત, શ્રીલંકાની હાલત ટીમ ઇન્ડિયાથી પણ ખરાબ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">