IPL 2022: લખનૌની ટીમના સભ્યોને નડ્યો માર્ગ અકસ્માત, મેચ માટે પુણેના સ્ટેડિયમ માટે આવી રહ્યા હતા ત્યારે જ સર્જાઈ ઘટના
IPL 2022 માં, આજે લખનૌ સુપર જાયન્ટ્સ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સનો સામનો કરી રહી છે અને આ મેચ માટે આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
શુક્રવારે IPL 2022 ની મેચ માટે મુંબઈથી પુણે આવી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ની ટીમના કેટલાક અધિકારીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. ટીમના અધિકારીઓ જે કારમાંથી આવી રહ્યા હતા તે કારને અકસ્માત નડ્યો. આ કારમાં ફ્રેન્ચાઈઝીના સીઈઓ રઘુ અય્યર (CEO Raghu Iyer) અને મેન્ટર ગૌતમ ગંભીરના મેનેજર હતા. આ કાર ટીમ બસ સાથે મુસાફરી કરી રહી હતી. લખનૌ ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સારી વાત એ છે કે સામેલ દરેક વ્યક્તિ સુરક્ષિત છે. લખનૌનો મુકાબલો પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ છે.
લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કર્યું, “લખનૌ સુપર જાયન્ટ્સના સીઇઓ રઘુ અય્યર, તેમના પાર્ટનર રચિતા બેરી અને ગૌતમ ગંભીરના મેનેજર ગૌરવ અરોરા એક નાના માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. આજની મેચ માટે સ્થળ પર આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સદભાગ્યે દરેક સુરક્ષિત છે.”
Lucknow Super Giants’ CEO Raghu Iyer, his associate Rachita Berry and Gaurav Arora, Manager for Gautam Gambhir were involved in a minor road accident en route to the venue for tonight’s game. Fortunately, all three are safe and well. pic.twitter.com/NoWHmN0MOl
— Lucknow Super Giants (@LucknowIPL) April 29, 2022
મેચ પ્રભાવિત થઈ નથી
જો કે આ અકસ્માતની મેચ પર કોઈ અસર થઈ નથી. આ મેચ લખનૌ અને પંજાબની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મનીષ પાંડેની જગ્યાએ અવેશ ખાન આવ્યો છે.
લખનૌની ટીમ શાનદાર ફોર્મમાં છે
લખનૌની ફ્રેન્ચાઈઝી પ્રથમ વખત આઈપીએલ રમી રહી છે અને તેની પ્રથમ સિઝનમાં આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમને ટાઈટલની દાવેદાર માનવામાં આવે છે. પંજાબની મેચ પહેલા લખનૌની ટીમ આઠ મેચ રમી છે જેમાંથી પાંચમાં તેણે જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે.