AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: સુરેશન રૈનાને મેગા ઓક્શનમાં કેમ કોઇ ખરીદનાર ના મળ્યુ, આ ટીમના કોચે બતાવ્યુ કારણ

IPL શરૂ થઈ ત્યારથી સુરેશ રૈના (Suresh Raina) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો હિસ્સો હતો પરંતુ આ વખતે ચેન્નાઈએ હરાજીમાં તેના પર બોલી લગાવી ન હતી.

IPL 2022: સુરેશન રૈનાને મેગા ઓક્શનમાં કેમ કોઇ ખરીદનાર ના મળ્યુ, આ ટીમના કોચે બતાવ્યુ કારણ
Suresh Raina આઇપીએલ 2022 ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:06 AM
Share

આઇપીએલ 2022 (IPL 2022) 26 માર્ચથી શરૂ થઈ રહી છે. આ માટે તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. ફેબ્રુઆરીમાં આયોજિત મેગા ઓક્શનમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતાની પસંદગીના ખેલાડીઓની પસંદગી કરી હતી. આમાં ઘણા યુવા ખેલાડીઓના નસીબ ખુલ્યા હતા અને તેમના પર પૈસાનો વરસાદ થયો હતો, પરંતુ ઘણા ખેલાડીઓ વેચાયા ન હતા. આમાં, અજાણ્યા નામો સિવાય, ઘણા દિગ્ગજોના નામ હતા. આવું જ એક નામ સુરેશ રૈના (Suresh Raina) નું હતું, જેઓ મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા છે. આનાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું. હવે રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારા (Kumar Sangakkara) એ જણાવ્યું છે કે શા માટે રૈનાને વેચી ન હતી.

રૈના IPLની શરૂઆતથી જ મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે હતો પરંતુ આ વખતે CSKએ તેને ખરીદ્યો ન હતો. ચેન્નાઈ પર બે વર્ષનો પ્રતિબંધ હતો ત્યારે રૈનાએ ગુજરાત લાયન્સનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ આ વખતે ન તો ચેન્નાઈએ તેને જાળવી રાખ્યો અને ન તો ફ્રેન્ચાઈઝીએ તેના પર બોલી લગાવી.

આ રહ્યુ કારણ

સંગાકારાએ ક્લબ હાઉસમાં આયોજિત એક ચર્ચામાં કહ્યું, તેને જોવાની ઘણી રીતો છે. જેમ જેમ વર્ષો પસાર થાય છે તેમ તેમ ખેલાડીઓ બદલાતા જાય છે અને યુવા ખેલાડીઓ દ્વારા તેમની ઓળખ પણ નવી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, સુરેશ રૈના, તેની આઈપીએલમાં ઘણી ખ્યાતિ છે. તે એક મહાન ખેલાડી છે. તે શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક રહ્યો છે અને સિઝન પછીના શ્રેષ્ઠ પર્ફોર્મર્સમાંનો એક રહ્યો છે.

તેમણે કહ્યું, જ્યારે તમે નાનામાં નાની ડિટેલમાં જાઓ છો, તો એવું લાગે છે કે આ ખેલાડી આ સિઝન માટે યોગ્ય નથી. તેનાથી ખેલાડીની મહાનતા ઓછી થતી નથી. આ એવી વસ્તુ છે જેને વિશ્લેષકો, કોચ અને ટીમના માલિકો ધ્યાનમાં રાખે છે.

રૈનાની કારકિર્દી આવી રહી

આઈપીએલની આ બીજી સિઝન હશે જેમાં રૈના ચેન્નાઈનો ભાગ નહીં હોય. રૈના IPL-2020માં રમ્યો ન હતો. તે ટુર્નામેન્ટ રમવા માટે સંયુક્ત આરબ અમીરાત ગયો હતો પરંતુ અંગત કારણોસર પરત ફર્યો હતો. રૈનાએ અત્યાર સુધી 205 IPL મેચ રમી છે અને 5528 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 32.52 રહી છે. રૈનાએ આઈપીએલમાં 39 અર્ધસદી ફટકારી છે અને તેના નામે એક સદી પણ છે. તેણે પોતાની બોલિંગથી થોડી સફળતા પણ મેળવી છે અને 25 વિકેટ પણ લીધી છે. IPLમાં રૈનાનો સર્વોચ્ચ સ્કોર અણનમ 100 રન છે.

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલનો હુંકાર, ચેમ્પિયન બનતા કોઇ નહી રોકી શકે જો ટીમના ખેલાડીઓ આ કામ કરી દેખાડશે

આ પણ વાંચોઃ IPL 2022: ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ઓલ રાઉન્ડર હજુ સુધી પહોંચી શક્યો નથી ભારત, ધોનીની ટીમનુ આ કારણ થી વધ્યુ ટેન્શન

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">