AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ઓલ રાઉન્ડર હજુ સુધી પહોંચી શક્યો નથી ભારત, ધોનીની ટીમનુ આ કારણ થી વધ્યુ ટેન્શન

IPL ની 15મી સિઝન 26 માર્ચથી મુંબઈમાં શરૂ થવાની છે અને તેની પહેલી જ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે.

IPL 2022: ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ઓલ રાઉન્ડર હજુ સુધી પહોંચી શક્યો નથી ભારત, ધોનીની ટીમનુ આ કારણ થી વધ્યુ ટેન્શન
MS Dhoni ની ટીમે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 મી થી રમવાની છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 1:59 PM
Share

IPL 2022 સીઝનના પ્રારંભિક તબક્કામાં ઘણા વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે નહીં. અલગ-અલગ ટીમો સાથે જોડાયેલા આ ખેલાડીઓ પોતપોતાના દેશોની શ્રેણીમાં વ્યસ્ત છે, જેના કારણે તેઓ કેટલીક મેચોમાં રમી શકશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને આ મામલે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી, પરંતુ એમએસ ધોની (MS Dhoni) ની ટીમ અન્ય એક કારણને કારણે નારાજ છે, જેના કારણે ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલી (Moin Ali) ઓપનિંગ મેચમાં સામેલ થવા અંગે આશંકાઓ ઉભી થઈ છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરને છેલ્લા 20 દિવસથી ભારત આવવા માટે વિઝા મળી શક્યા નથી, જેના કારણે CSKનું ટેન્શન વધી ગયું છે.

બરાબર એક અઠવાડિયા પછી એટલે કે 26 માર્ચથી, IPLની 15મી સિઝન મુંબઈમાં શરૂ થઈ રહી છે અને તેની પહેલી જ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈનો મુકાબલો ગત સિઝનની રનર્સ-અપ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. આવી સ્થિતિમાં મોઈનને હજુ સુધી વિઝા ન મળવો એ ચેન્નાઈ માટે ચિંતાનું કારણ બની ગયું છે. સતત ભારત આવવા છતાં આટલા વિલંબથી ફ્રેન્ચાઇઝી પણ આશ્ચર્યચકિત છે.

28 ફેબ્રુઆરીએ અરજી કરવામાં આવી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે શનિવારે 19 માર્ચે આ વિશે જણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા મુંબઈમાં ટીમ સાથે જોડાઈ શકશે. એક મીડિયા અહેવાલમાં વિશ્વનાથના નિવેદનને ટાંકીને કહ્યું કે, તેણે 28 ફેબ્રુઆરીએ વિઝા માટે અરજી કરી હતી. તે અરજીને 20 દિવસ થઈ ગયા છે. તે સતત ભારત આવતો રહે છે અને તે પછી પણ તેને હજુ સુધી મુસાફરી કરવાની પરવાનગી મળી નથી. અમને આશા છે કે તે જલ્દી જ ટીમમાં જોડાશે.

વિશ્વનાથે એમ પણ કહ્યું કે બીસીસીઆઈએ પણ આ મામલે પોતાના તરફથી પ્રયાસો કર્યા છે અને સોમવાર સુધીમાં મામલો ઉકેલાઈ જવાની આશા છે. “તેણે (મોઇને) અમને કહ્યું છે કે તેને મુસાફરી માટેના દસ્તાવેજો (વિઝા) મળતાં જ તે આગામી ફ્લાઇટમાં ભારત જવા રવાના થશે. બીસીસીઆઈએ પણ આ મામલે અમારી તરફ મદદનો હાથ લંબાવ્યો છે. અમને આશા છે કે તેમને સોમવાર (21 માર્ચ) સુધીમાં પરવાનગી મળી જશે.”

8 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો

મોઈન અલીને ગયા વર્ષની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. તે પછી, આક્રમક ડાબા હાથના બેટ્સમેન અને અસરકારક જમણા હાથના ઓફ-સ્પિનર ​​મોઈન અલીએ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ચેન્નાઈ માટે ચોથુ ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પ્રદર્શનને કારણે ફ્રેન્ચાઇઝીએ ઇંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરને ગત સિઝન બાદ રૂ. 8 કરોડમાં જાળવી રાખ્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલનો હુંકાર, ચેમ્પિયન બનતા કોઇ નહી રોકી શકે જો ટીમના ખેલાડીઓ આ કામ કરી દેખાડશે

આ પણ વાંચોઃ Asia Cup 2022 નુ શ્રીલંકામાં ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં કરાશે આયોજન, T20 વિશ્વકપ પહેલા ટકરાશે ભારત-પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">