IND Vs NZ: રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રુમમાં એવુ તો શું કરે છે કે, દરેક ખેલાડી ચેમ્પિયન બની જાય છે, કેએલ રાહુલનો આવો રહ્યો જવાબ

India vs New Zealand: ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલા, કેએલ રાહુલે (KL Rahul) નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની પ્રશંસા કરી હતી.

IND Vs NZ: રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રુમમાં એવુ તો શું કરે છે કે, દરેક ખેલાડી ચેમ્પિયન બની જાય છે, કેએલ રાહુલનો આવો રહ્યો જવાબ
Rahul Dravid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:07 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ખરાબ પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા હવે નવી શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે, જેની પ્રથમ મેચ જયપુરમાં થશે. આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના નવા વાઈસ કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) મીડિયા સાથે વાત કરી અને તેણે નવા હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પર મોટી વાત કરી હતી.

કેએલ રાહુલે જણાવ્યું કે રાહુલ દ્રવિડની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયાને કેવી રીતે ફાયદો થશે. આ સાથે આ ખેલાડીએ રાહુલ દ્રવિડની ખાસિયત વિશે પણ જણાવ્યું, જેના પછી દરેક ખેલાડીને ચેમ્પિયન તરીકે જોવામાં આવે છે.

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેએલ રાહુલને રાહુલ દ્રવિડના પ્રભાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘હું ખૂબ જ નસીબદાર છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. જ્યારે હું નાનો હતો, ત્યારે હું તેમની જેમ રમતને સમજવાની કોશિશ કરતો હતો. તેમણે કર્ણાટકમાં અમને ઘણી મદદ કરી છે. તે દેશભરના ખેલાડીઓને મદદ કરે છે. તે ટીમ ઈન્ડિયામાં જોડાયા બાદ હવે અમને તેની પાસેથી ઘણું શીખવાનો મોકો મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાહુલ દ્રવિડ કેવી રીતે બનાવે છે ચેમ્પિયન ખેલાડી?

કેએલ રાહુલે જણાવ્યું કે, કેવી રીતે રાહુલ દ્રવિડ એક સારા ખેલાડીને ચેમ્પિયન ખેલાડીમાં ફેરવે છે. રાહુલે કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે રાહુલ દ્રવિડ કેટલું મોટું નામ છે. અમારી પાસે તેમની પાસેથી ઘણું શીખવાનો મોકો છે. કોચિંગની વાત કરીએ તો, મેં તેના કોચિંગ હેઠળ ઈન્ડિયા A માટે કેટલીક મેચ રમી છે. દ્રવિડની ખાસિયત એ છે કે તે રમતને સારી રીતે સમજે છે અને તે હંમેશા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કૂલ રાખે છે. તે હંમેશા ટીમ વિશે જ વિચારે છે.

રાહુલ દ્રવિડની આ ગુણવત્તા તેમને અન્ય કરતા અલગ બનાવે છે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ આગળ વધ્યા છે.

દ્રવિડ પર મોટી જવાબદારી

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 2013થી કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ જેવા મહાન ખેલાડીઓ હોવા છતાં, આ ટીમ T20 વર્લ્ડ કપ 2021ની સેમી ફાઇનલમાં પણ પહોંચી શકી નથી.

હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ હશે. આ પછી, 2023 ODI વર્લ્ડ કપ ભારતમાં રમાનાર છે. આવી સ્થિતિમાં, નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બંને ટૂર્નામેન્ટ જીતે અને ICC ટૂર્નામેન્ટની ટ્રોફીની ખોટને ખતમ કરે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">