જાડેજાને T20 ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા પસંદગીકારોની વિચારસરણી પર ઉઠયા સવાલ
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિનાઓમાં મોટા ફેરફારોમાંથી પસાર થશે, ઘણા વરિષ્ઠ ખેલાડીઓ ધીમે ધીમે મર્યાદિત ઓવરોના ફોર્મેટથી દૂર જઈ રહ્યા છે. તેની જગ્યા લેવા માટે ઘણા દાવેદારો છે, પરંતુ માત્ર ખેલાડીઓ જ નહીં, ટીમ ઈન્ડિયાને નેતૃત્વમાં પણ પરિવર્તનની જરૂર પડશે અને તેના માટે હવેથી યુવાનોને તૈયાર કરવાની જરૂર છે. જેની સામે પસંદગીકારોના જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવાના નિર્ણય પર સવાલ ઊભા થયા છે.

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની સફર ખિતાબની નજીક આવતા જ સમાપ્ત થઈ ગઈ. હવે ટાઇટલ માટે તેની આગામી તક જૂન 2024માં આવશે, જ્યારે 20 ટીમો વચ્ચે T20 વર્લ્ડ કપનો જંગ હશે. આ T20 વર્લ્ડ કપ કદાચ છેલ્લી ટૂર્નામેન્ટ હશે જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા મોટા દિગ્ગજો જોવા મળશે. તે પછી, પરિવર્તનનો સમયગાળો શરૂ થશે, જેના માટે ઘણા ખેલાડીઓ પહેલેથી જ દાવો કરી રહ્યા છે.
ભાવિ કેપ્ટનની પસંદગી પર નજર
આ તે સમય હશે જ્યારે ભાવિ કેપ્ટન તૈયાર થશે. ટીમ ઈન્ડિયામાં ચોક્કસપણે કેટલાક દાવેદાર છે પરંતુ કેટલાક અન્ય યુવાનોને પણ તૈયાર કરવાની જરૂર છે, જો કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમ માટે પસંદગીકારો દ્વારા લેવામાં આવેલા કપ્તાનીના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે.
BCCIએ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી
ગુરુવાર 30 નવેમ્બરના રોજ BCCI પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ODI, ટેસ્ટ અને T20 ટીમોની જાહેરાત કરી. ત્રણેય ટીમમાં કેટલાક ખેલાડીઓની પસંદગી કે અવગણનાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. T20 ટીમની કેપ્ટનશીપ સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં હતી કે શું રોહિત શર્મા વાપસી કરશે કે નહીં? રોહિતે આ શ્રેણીમાંથી બ્રેક લીધો અને પસંદગીકારોએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો.
India’s squad for 3 T20Is: Yashasvi Jaiswal, Shubman Gill, Ruturaj Gaikwad, Tilak Varma, Suryakumar Yadav (C), Rinku Singh, Shreyas Iyer, Ishan Kishan (wk), Jitesh Sharma (wk), Ravindra Jadeja (VC), Washington Sundar, Ravi Bishnoi, Kuldeep Yadav, Arshdeep Singh, Mohd. Siraj,…
— BCCI (@BCCI) November 30, 2023
જાડેજાને વાઈસ કેપ્ટન બનાવીને ચોંકાવી દીધા
રોહિત અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ શ્રેણીની પ્રથમ 3 મેચ માટે ઋતુરાજ ગાયકવાડને ઉપ-કેપ્ટન અને શ્રેયસ અય્યરને છેલ્લી 2 મેચ માટે ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની ટીમનો ભાગ છે. આમ છતાં, આ બેમાંથી એકને પસંદ કરવાને બદલે પસંદગી સમિતિએ અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને T20 શ્રેણી માટે વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરી ચોંકાવી દીધા હતા. આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે પસંદગીકારોની વિચારસરણી અને તેમના વિઝન પર સવાલો ઉભા થયા છે.
BCCIના આ નિર્ણય પર સવાલ કેમ છે?
આ ફોર્મેટમાં જાડેજાની હાજરી અંગે પહેલો સવાલ એટલા માટે ઉઠી રહ્યો હતો કારણ કે અક્ષર પટેલને આ સીરિઝ માટે જગ્યા મળી નથી. હજુ પણ મોટો સવાલ જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવાના નિર્ણય પર છે. આ પહેલા પણ જાડેજાને એક-બે સિરીઝમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને ત્યારે પણ આ નિર્ણય સમજની બહાર હતો. આ નિર્ણય પર સવાલ ઉઠાવવાના બે મોટા કારણો છે – પ્રથમ, જાડેજાને કેપ્ટન તરીકે વધુ અનુભવ નથી. બીજું જ્યારે તેને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મળી ત્યારે ટીમનું શું થયું તે કોઈનાથી છુપાયેલું નથી.
શ્રેયસ-ઋતુરાજને કેપ્ટન તરીકે પસંદ ના કર્યા
તેનાથી પણ મોટો વાંધો એ છે કે શા માટે આવી તકોનો ઉપયોગ ભાવિ લીડરને તૈયાર કરવા માટે કરવામાં આવતો નથી? કોઈપણ રીતે, રવીન્દ્ર જાડેજા આગામી વર્ષોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નહીં બને. આવી સ્થિતિમાં, શ્રેયસ અય્યર અથવા ઋતુરાજ ગાયકવાડને આ ભૂમિકા આપવી જોઈએ અને તેમને તૈયાર કરવા જોઈએ. શ્રેયસ અને ઋતુરાજ પાસે આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં જાડેજા કરતાં કેપ્ટન્સીનો વધુ અનુભવ છે.
આ પણ વાંચો: ચહલને લોલીપોપ, પુજારા-રહાણેનું કરિયર ખતમ! ટીમ સિલેક્શન પર ભજ્જીની તીખી પ્રતિક્રિયા
