ઈશાન કિશન-શ્રેયસ અય્યરને માફી ન મળી? ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન

BCCIએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં શુભમન ગિલને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બે ખેલાડી એવા છે જેનાથી BCCI નારાજ છે. આ બંને ખેલાડીઓએ સમજાવટની પોત-પોતાની રીતો અપનાવી, પરંતુ તેમને માફી ન મળી, પરિણામે તેમને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર બેસવું પડ્યું છે.

ઈશાન કિશન-શ્રેયસ અય્યરને માફી ન મળી? ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન
Shreyas Iyer & Ishan Kishan
Follow Us:
| Updated on: Jun 24, 2024 | 11:39 PM

BCCIની વર્તમાન સિઝનમાં ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ બાદ બે વિદેશ પ્રવાસો કરવાના છે. તેમાંથી પ્રથમ પ્રવાસ એટલે કે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. કેટલાક એવા ખેલાડીઓ હતા જેઓ આશાવાદી હતા કે તેમની પસંદગી થશે, પરંતુ તેઓ નિરાશ થયા. આ માટે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જેમાંથી બે ખેલાડી એવા હતા જે લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ હતા. તેણે ભૂલ કરી છે અને આજ સુધી તેણે માફ કરી નથી. તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

જય શાહ સાથેની મુલાકાતનો ફાયદો ન થયો

અમે જે બે ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ તે છે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન. વર્લ્ડ કપ બાદ બંને ખેલાડીઓ ટીમથી દૂર રહ્યા અને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની પણ ના પાડી દીધી. જે બાદ BCCIએ બંને ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છીનવી લીધા હતા. ત્યારથી બંને ટીમમાંથી બહાર ચાલી રહ્યા છે. કિશન IPL દરમિયાન જય શાહને મળ્યો હતો. ત્યારપછી એવી અટકળો વહેતી થઈ હતી કે આ બાબતે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. જોકે, જય શાહે આ વાતને નકારી કાઢી હતી.

BCCI વિરુદ્ધ બોલવું ભારે પડી ગયું

જ્યારે શ્રેયસ અય્યરે તાજેતરમાં BCCIનું નામ લીધા વિના કહ્યું હતું કે તેને ઈજા થઈ છે, તેમ છતાં કોઈએ તેની વાત ન સાંભળી અને તેને રણજી ટ્રોફી રમવા માટે દબાણ કર્યું. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા બાદ તેણે IPL ટ્રોફી જીતીને પોતાની ભૂલની ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાગે છે કે BCCI વિરુદ્ધ બોલવું ફરી ભારે પડી ગયું છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

આ ખેલાડીઓએ પણ નારાજગી વ્યક્ત કરી

કોલકાતા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા જેવા ખેલાડીઓએ ટ્રોફી જીત્યા બાદ ટીમમાં પસંદગીની આશા વ્યક્ત કરી હતી. તેમને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હર્ષિત રાણા પણ તેના ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન બાદ વિવાદમાં આવ્યો હતો. આ માટે તેના પર એક મેચનો પ્રતિબંધ પણ મુકાયો હતો. આ પછી, આખી ટીમે ફાઈનલમાં ફરીથી આ ઉજવણીનું પુનરાવર્તન કર્યું. હવે તેનું નામ ટીમમાં સામેલ ન થયા બાદ હર્ષિત રાણાએ તેના સોશિયલ મીડિયા પર કહ્યું છે કે બધું યોગ્ય સમયે થાય છે. વરુણ ચક્રવર્તીએ BCCI પર કટાક્ષ કર્યો છે કે જો તેમની પાસે PR ટીમ હોત તો સારું થાત.

કોને તક મળી?

અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડે એવા કેટલાક નામ છે જેમને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ચાર ખેલાડીઓ ઝિમ્બાબ્વસો ડેબ્યૂ કરશે.

આ પણ વાંચો: રોહિત શર્મા સદી તો ન કરી શક્યો પણ તોડ્યા આ 5 રેકોર્ડ, યુવરાજ સિંહ અને વિરાટ કોહલી બંનેને પાછળ છોડી દીધા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">