IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

2014માં આઈપીએલની હરાજી કરનાર રિચર્ડ મેડલીએ તે વર્ષની હરાજીનો એક કિસ્સો શેર કર્યો છે, જેમાં વિજય માલ્યા મૂંઝવણમાં હતો.

IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી
Yuvraj Singh ને 2014 માં RCB એ ખરિદ્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 3:48 PM

આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ બે દિવસ માટે આ ઓક્શન યોજાશે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આઈપીએલ ઓક્શન હંમેશાથી રસપ્રદ રહ્યુ છે. ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો. IPLમાં હરાજી કરનાર વ્યક્તિએ આ હરાજી સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે. આ 2014ના ઓક્શનની આ વાત છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ને પોતાની સાથે જોડ્યો હતો. આ હરાજીનું આયોજન કરનાર વ્યક્તિ રિચર્ડ મેડલે (Richard Medley) હતા. મેડલેએ કહ્યું કે ટીમના માલિક વિજય માલ્યા યુવરાજને ખરીદવાને લઈને ગુસ્સે થઈ ગયા.

આરસીબીનો પ્રયાસ એ હરાજીમાં યુવરાજને તેમની સાથે લાવવાનો હતો અને તેથી તેઓ તેના માટે લડ્યા. આરસીબીએ યુવરાજ માટે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ જેવી જ મેડલે આ બિડ પર પોતાની અંતિમ મહોર લગાવવા જઈ રહ્યા હતા, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે કૂદી પડી હતી અને તેથી મેડલેએ KKRને બિડ કરવી પડી હતી કારણ કે તેમની બિડ વધુ હતી. આ મામલે માલ્યા અને તેની ટીમ સામે સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી હતી.

ફરી હરાજી શરૂ કરવામાં આવી હતી

મેડલેએ જણાવ્યું કે હરાજી મૂંઝવણ પછી ફરી શરૂ કરવામાં આવી હતી અને યુવરાજને આરસીબીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મેડલેએ ભારતીય ટીમના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, “મેં રૂમની આસપાસ જોયું કે બિડ ફાઇનલ હતી (તે સમયે બોલી 10 કરોડની હતી). મેં આજુબાજુ સારી રીતે જોયું અને કોઈ બોલી લગાવી રહ્યુ નહોતુ. હું હેમર નીચે લાવવાનો હતો, ત્યાં જ અવાજ આવ્યો કે હું બોલી લગાવી રહ્યો છું. ત્યાં KKR તરફથી આ અવાજ આવ્યો હતો. મેડલેએ જણાવ્યું કે જ્યારે ફરીથી હરાજી શરૂ થઈ ત્યારે માલ્યાએ ખૂબ જ જોરથી બૂમો પાડી, ‘આ ખેલાડી મારો છે.’ જ્યારે ફરીથી હરાજી શરૂ થઈ ત્યારે યુવરાજને 14 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આવી હતી યુવરાજની કારકિર્દી

આઈપીએલમાં, યુવરાજે કુલ 132 મેચ રમી અને 2,750 રન બનાવ્યા અને સાથે જ 36 વિકેટ પણ લીધી. યુવરાજે કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. તે ટીમનો કેપ્ટન હતો. આ પછી તે બીજી ઘણી ફ્રેન્ચાઈઝીમાં પણ રમ્યો.

યુવરાજને 2014માં RCBમાં 14 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યો હતો, તેણે આ સિઝનમાં ટીમ માટે 14 મેચ રમી અને 376 રન બનાવ્યા. તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તે પાંચ વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. આ પછી 2015માં તેને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની

આ પણ વાંચોઃ IND vs SL : રિદ્ધિમાન સાહાની કારકિર્દી ‘ખતમ’, શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં નહીં મળે જગ્યા, હવે આ ખેલાડીને મળશે તક

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">