AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

2014માં આઈપીએલની હરાજી કરનાર રિચર્ડ મેડલીએ તે વર્ષની હરાજીનો એક કિસ્સો શેર કર્યો છે, જેમાં વિજય માલ્યા મૂંઝવણમાં હતો.

IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી
Yuvraj Singh ને 2014 માં RCB એ ખરિદ્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 3:48 PM
Share

આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ બે દિવસ માટે આ ઓક્શન યોજાશે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આઈપીએલ ઓક્શન હંમેશાથી રસપ્રદ રહ્યુ છે. ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો. IPLમાં હરાજી કરનાર વ્યક્તિએ આ હરાજી સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે. આ 2014ના ઓક્શનની આ વાત છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ને પોતાની સાથે જોડ્યો હતો. આ હરાજીનું આયોજન કરનાર વ્યક્તિ રિચર્ડ મેડલે (Richard Medley) હતા. મેડલેએ કહ્યું કે ટીમના માલિક વિજય માલ્યા યુવરાજને ખરીદવાને લઈને ગુસ્સે થઈ ગયા.

આરસીબીનો પ્રયાસ એ હરાજીમાં યુવરાજને તેમની સાથે લાવવાનો હતો અને તેથી તેઓ તેના માટે લડ્યા. આરસીબીએ યુવરાજ માટે 10 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ જેવી જ મેડલે આ બિડ પર પોતાની અંતિમ મહોર લગાવવા જઈ રહ્યા હતા, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે કૂદી પડી હતી અને તેથી મેડલેએ KKRને બિડ કરવી પડી હતી કારણ કે તેમની બિડ વધુ હતી. આ મામલે માલ્યા અને તેની ટીમ સામે સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી હતી.

ફરી હરાજી શરૂ કરવામાં આવી હતી

મેડલેએ જણાવ્યું કે હરાજી મૂંઝવણ પછી ફરી શરૂ કરવામાં આવી હતી અને યુવરાજને આરસીબીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મેડલેએ ભારતીય ટીમના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, “મેં રૂમની આસપાસ જોયું કે બિડ ફાઇનલ હતી (તે સમયે બોલી 10 કરોડની હતી). મેં આજુબાજુ સારી રીતે જોયું અને કોઈ બોલી લગાવી રહ્યુ નહોતુ. હું હેમર નીચે લાવવાનો હતો, ત્યાં જ અવાજ આવ્યો કે હું બોલી લગાવી રહ્યો છું. ત્યાં KKR તરફથી આ અવાજ આવ્યો હતો. મેડલેએ જણાવ્યું કે જ્યારે ફરીથી હરાજી શરૂ થઈ ત્યારે માલ્યાએ ખૂબ જ જોરથી બૂમો પાડી, ‘આ ખેલાડી મારો છે.’ જ્યારે ફરીથી હરાજી શરૂ થઈ ત્યારે યુવરાજને 14 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યો હતો.

આવી હતી યુવરાજની કારકિર્દી

આઈપીએલમાં, યુવરાજે કુલ 132 મેચ રમી અને 2,750 રન બનાવ્યા અને સાથે જ 36 વિકેટ પણ લીધી. યુવરાજે કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. તે ટીમનો કેપ્ટન હતો. આ પછી તે બીજી ઘણી ફ્રેન્ચાઈઝીમાં પણ રમ્યો.

યુવરાજને 2014માં RCBમાં 14 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યો હતો, તેણે આ સિઝનમાં ટીમ માટે 14 મેચ રમી અને 376 રન બનાવ્યા. તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તે પાંચ વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. આ પછી 2015માં તેને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની

આ પણ વાંચોઃ IND vs SL : રિદ્ધિમાન સાહાની કારકિર્દી ‘ખતમ’, શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં નહીં મળે જગ્યા, હવે આ ખેલાડીને મળશે તક

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">